શોધખોળ કરો

2024 માં PM મોદી માટે પડકાર કોણ બનશે, કેજરીવાલ કે નીતીશ ? સર્વેમાં મળ્યો આ જવાબ

લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ કમર કસી લીધી છે. શું અરવિંદ કેજરીવાલ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર આપી શકશે ?

C-Voter Survey On Modi Vs Kejriwal: લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ કમર કસી લીધી છે. શું અરવિંદ કેજરીવાલ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર આપી શકશે ? કે પછી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર કેજરીવાલ કરતા આગળ નિકળી જશે ? આ પ્રશ્ન આજે દરેકના મનમાં છે.  આ દરમિયાન સી-વોટરે એબીપી ન્યૂઝ માટે એક સર્વે હાથ ધર્યો હતો, જેમાં લોકોએ આ પ્રશ્નનો ખૂબ જ આશ્ચર્યજનક જવાબ આપ્યો છે.

સર્વે દરમિયાન લોકોને પૂછવામાં આવ્યું કે 2024માં પીએમ મોદી માટે સૌથી મોટો પડકાર કોણ હશે કેજરીવાલ કે નીતિશ ?

65 ટકા લોકો માને છે કે કેજરીવાલ પીએમ મોદી માટે પડકાર હશે
35 ટકા લોકો માને છે કે નીતીશ કુમાર પીએમ મોદી માટે પડકાર હશે

દિલ્હીથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર અરવિંદ કેજરીવાલની વાત કરીએ તો આજે તેઓ પ્રાદેશિક રાજકારણ છોડીને રાષ્ટ્રીય સ્તરે પોતાની પાર્ટીની વિશ્વસનીયતા વધારવામાં વ્યસ્ત છે. કેજરીવાલે બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા પછી હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. જો કે, અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી દિલ્હી બાદ પંજાબમાં જ જીતી શકી. પંજાબમાં જીતથી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ઉત્સાહિત છે.

AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પોતે આ વર્ષના અંતમાં યોજાનારી હિમાચલ અને ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જવાબદારી સંભાળી છે. તેઓ સતત ગુજરાત અને હિમાચલનો પ્રવાસ કરે છે. આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. અરવિંદ કેજરીવાલે પોતાની રણનીતિ બદલીને ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં પોતાનો પાયો મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. કેજરીવાલ ગુજરાતમાં સતત રેલીઓ કરી રહ્યા છે.

ગુજરાત માટે અનેક જાહેરાતો કરી

દિલ્હી અને પંજાબની જેમ કેજરીવાલે ગુજરાત માટે પણ અનેક ગેરંટીની જાહેરાત કરી છે. કેજરીવાલે 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફી, ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો, 300 યુનિટ સુધી મફત વીજળી, 10 લાખ સરકારી નોકરીઓ સહિત ઘણી મોટી જાહેરાતો કરી છે. તેઓ ફરી એકવાર 12 અને 13 સપ્ટેમ્બરે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે. જણાવી દઈએ કે તેમની પાર્ટીએ 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 29 ઉમેદવારોની ત્રણ યાદી પહેલાથી જ જાહેર કરી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget