શોધખોળ કરો

Demonetisation: શું દેશમાં ફરી આવશે નોટબંધી? અખિલેશ યાદવના એક ટ્વીટથી મચી ગયો હંગામો

Demonetisation: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે હવે ભાજપના કેટલાક લોકો બંધારણમાંથી 'ઈન્ડિયા' શબ્દ હટાવવાની વાત કરી રહ્યા છે.

Demonetisation: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે હવે ભાજપના કેટલાક લોકો બંધારણમાંથી 'ઈન્ડિયા' શબ્દ હટાવવાની વાત કરી રહ્યા છે, પછી તો 'રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા'ને પણ હટાવવા માટે કહેશે અને પછી RBI દ્વારા જારી કરવામાં આવેલી દરેક નોટમાંથી પણ. પછી શું ભાજપવાળા વધુ એક નોટબંધી લઈને આવશે?

આ પહેલા અખિલેશ યાદવે બુધવારે દાવો કર્યો હતો કે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન 'ઈન્ડિયા' માત્ર ઉત્તર પ્રદેશમાંથી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાંથી ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરશે. યાદવે કહ્યું કે, "ઈન્ડિયાનો મતલબ છે બધાને સાથે લઈને ચાલવાનું છે. દરેકને સમૃદ્ધિના માર્ગ પર લાવવા માગીએ છીએ. આપણી મિશ્ર સંસ્કૃતિ, આપણા ભાઈચારાનો સંદેશ. ઈન્ડિયાનો અર્થ એ છે કે આપણે બધાને સાથે લઈને ચાલીશું. તો પછી ભાજપને આનાથી કઈ વાતનો ડર છે.

 

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું,દેશમાં ભાજપની સરકાર 2014માં આવી, હવે અમે તેને 2024માં બહાર મોકલીશું. તેમણે આગળ કહ્યું કે, ગઠબંધનથી બીજેપી પુરી રીતે ડરેલી છે અને તેમને ઈન્ડિયા નામથી પરેશાની છે.  બુધવારે મેરઠ પહોંચેલા સપા પ્રમુખે સ્થાનિક મીડિયા સાથે વાતચીત દરમિયાન એક પ્રશ્ન પર કહ્યું કે, મુખ્યમંત્રીને કંઈ ખબર નથી. આગ્રામાં મ્યુઝિયમ એટલા માટે બનાવવામાં આવી રહ્યું હતું કે ત્યાં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે. તાજમહેલ જોવા આવતા લોકોને આ મ્યુઝિયમના બહાને સમગ્ર ભારતની સંસ્કૃતિ વિશે જણાવવું જોઈએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે અગાઉની સપાની આગેવાનીવાળી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે તે ઔરંગઝેબની યાદમાં આગ્રામાં મ્યુઝિયમ બનાવી રહી હતી, જ્યારે તેમની સરકાર છત્રપતિ મહારાજ શિવાજીની સ્મૃતિને જાળવી રાખવા માટે તે જ જિલ્લામાં એક મ્યુઝિયમ બનાવી રહી છે.  અખિલેશ યાદવે કહ્યું કે, વાસ્તવમાં ભાજપને એ વાતની ચિંતા છે કે આ વખતે જનતા નક્કી કરશે કે એક તરફ એવા લોકો હશે જેઓ ભારત અને ભારતના બંધારણને બચાવવા માગે છે અને બીજી તરફ એવા લોકો હશે જેઓ ભારતના સંવિધાનને નષ્ટ કરવા માગે છે. આવી સ્થિતિમાં જે લોકો બંધારણને ખતમ કરવા માંગે છે તેઓ ડરી ગયા છે અને ભયભીત લોકોની ભાષા બદલાતી રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
હવે ફક્ત એક દિવસમાં મળી જશે ભારતના વીઝા, કેન્દ્ર સરકારે નવા પોર્ટલ કર્યા લૉન્ચ
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં મોટાપાયે ટ્રાન્સફરના આદેશ, 217 નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી, જુઓ યાદી
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીને ભારત તરફ ‘દોસ્તી’નો હાથ લંબાવ્યો: વિદેશ મંત્રી વાંગ યી અને NSA ડોભાલ.....
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
દેશની સૌથી મોટી બેંક SBIએ ખાતાધારકોને આપ્યો મોટ ઝટકો, 15 ઓગસ્ટથી ચૂકવવો પડશે આ ચાર્જ
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
હિમાચલમાં ફરી કુદરતનો પ્રકોપ: વાદળ ફાટવાથી શિમલા અને લાહૌલ-સ્પિતિમાં પુલ ધોવાયા, 300થી વધુ રસ્તાઓ બંધ, જુઓ Video
Embed widget