શોધખોળ કરો

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે AAP ની હારનું સૌથી મોટું કારણ જણાવ્યું, કહ્યું- કેજરીવાલે...

જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે તાજેતરમાં પૂર્ણ થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર પ્રતિક્રિયા આપી હતી.

જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે તાજેતરમાં પૂર્ણ થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દારૂ નીતિ કેસમાં જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું એક મોટી ભૂલ હતી, જેની પાર્ટીએ ભારે કિંમત ચૂકવવી પડી હતી.

પ્રશાંત કિશોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં કેજરીવાલના બદલાતા રાજકીય નિર્ણયો, જેમ કે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવાનો તેમનો નિર્ણય પરંતુ દિલ્હીની ચૂંટણી એકલા લડવાનું આયોજન, તેણે આમ આદમી પાર્ટીના નબળા પ્રદર્શનમાં વધુ ફાળો આપ્યો.

10 વર્ષ સત્તા વિરોધી લહેર 

દિલ્હીમાં AAPની મોટી હારનું પહેલું કારણ 10 વર્ષની સત્તા વિરોધી લહેર હતી. બીજી અને કદાચ AAPની મોટી ભૂલ અરવિંદ કેજરીવાલનું રાજીનામું હતું. જ્યારે તેમની લિકર  કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમણે પદ છોડવું જોઈતું હતું. જોકે, જામીન મળ્યા બાદ રાજીનામું આપવું અને ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તરીકે અન્ય કોઈની નિમણૂક કરવી એ મોટી રાજનીતિક ભૂલ સાબિત થઈ.

દિલ્હીની સત્તામાં ભાજપની શાનદાર વાપસી

વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 48 બેઠકો જીતીને ભાજપે 27 વર્ષના વનવાસ બાદ દિલ્હીમાં સત્તામાં શાનદાર વાપસી કરી હતી. દરમિયાન, આમ આદમી પાર્ટી, જેણે 2020 માં 62 અને 2015 માં 67 વિધાનસભા બેઠકો જીતી હતી તેની બેઠકો ઘટીને 22 થઈ ગઈ. કોંગ્રેસને રાજધાનીમાં સતત ત્રીજી વખત એકપણ બેઠક મળી નથી.

પ્રશાંત કિશોરે કેજરીવાલના અસંગત રાજકીય નિર્ણયોને પણ મતદારોના મોહભંગનું મુખ્ય કારણ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં જોડાવાના અને પછી તેમાંથી ખસી જવાના તેમના નિર્ણયથી પણ તેમની વિશ્વસનીયતાને નુકસાન થયું છે. વધુમાં, તાજેતરના વર્ષોમાં તેમનું શાસન નબળું રહ્યું છે.

કેજરીવાલનું શાસન મોડલ ઘણું નબળું છે

જન સૂરાજના વડાએ શાસનની નિષ્ફળતાઓ તરફ ધ્યાન દોર્યું, ખાસ કરીને છેલ્લા ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા  સામનો કરવામાં આવતી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે,  લોકો દ્વારા સહન કરવામાં આવતી મુશ્કેલીઓ, ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, વહીવટી તંત્રની ખામીઓને ઉજાગર  કરે છે અને કેજરીવાલના શાસન મોડલને  નબળું પાડે છે.

ગુજરાતમાં તક મળી શકે છે

જો કે, તેમણે સૂચન કર્યું કે આ કેજરીવાલ માટે દિલ્હીથી આગળ ધ્યાન કેન્દ્રિત કરવાની તક પણ હોઈ શકે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, પરિસ્થિતિના બે પાસાં છે. જો કે AAP માટે દિલ્હીમાં રાજકીય વર્ચસ્વ હાંસલ કરવું અત્યંત મુશ્કેલ હશે, કેજરીવાલ હવે શાસનની ફરજોમાંથી મુક્ત છે. તેઓ આ વખતે ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં પાર્ટીની ઉપસ્થિતિને મજબૂત કરવા માટે લાભ ઉઠાવી શકે છે, જ્યાં AAPએ છેલ્લી ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. 

'ભગવંત માનને હટાવી પંજાબના CM બનવા માંગે છે અરવિંદ કેજરીવાલ', BJP નેતાનો મોટો દાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત

વિડિઓઝ

PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
PM Modi Speech: સોમનાથ સ્વાભિમાન પર્વમાં PM મોદીનું સંબોધન
Ambalal Patel Forecast on Uttarayan : પતંગ રસિકો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
Somnath Swabhiman Parv: સોમનાથમાં 108 અશ્વો સાથેની શૌર્ય યાત્રા બાદ PM મોદીએ મહાદેવની કરી પૂજા
PM Modi join Shaurya Yatra: 108 અશ્વ સાથેની શૌર્યયાત્રામાં જોડાયા PM મોદી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
PM મોદીની સૌરાષ્ટ્રને મોટી ભેટ: 13 નવી GIDCની જાહેરાત, કહ્યું- ‘રાજકોટ હવે મીની જાપાન બની ગયું છે’, જાણો કયા જિલ્લાને ફાયદો?
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
વેનેઝુએલા બાદ હવે આ દેશનો વારો? ટ્રમ્પની ખુલ્લી ધમકી- 'ડીલ કરો નહીંતર બધું ખતમ'
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
‘1000 ફિદાયીન હુમલા માટે તૈયાર’: મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ, ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
IND vs NZ: કોનવે-નિકોલ્સની અડધી સદી પછી મિચેલનું તોફાન, ન્યુઝીલેન્ડે ભારતને આપ્યો 301 રનનો લક્ષ્યાંક
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
'સોમનાથ પર લહેરાતી ધજા હિન્દુસ્તાનની તાકાત બતાવી રહી છે', શિવ સાધના કર્યા બાદ બોલ્યા PM મોદી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
સુરત: રોગચાળાને આમંત્રણ! ડીંડોલીમાં ગટર-પાણીની લાઈન ભેગી નખાતા વિવાદ, SMCની ઘોર બેદરકારી
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
લોકોની આતુરતાનો આવ્યો અંત! આ તારીખે Tata Sierra ની તમારા ઘરે થશે ડિલિવરી, જાણો કિંમત
Embed widget