શોધખોળ કરો

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે AAP ની હારનું સૌથી મોટું કારણ જણાવ્યું, કહ્યું- કેજરીવાલે...

જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે તાજેતરમાં પૂર્ણ થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર પ્રતિક્રિયા આપી હતી.

જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે રવિવારે તાજેતરમાં પૂર્ણ થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દારૂ નીતિ કેસમાં જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું એક મોટી ભૂલ હતી, જેની પાર્ટીએ ભારે કિંમત ચૂકવવી પડી હતી.

પ્રશાંત કિશોરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં કેજરીવાલના બદલાતા રાજકીય નિર્ણયો, જેમ કે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવાનો તેમનો નિર્ણય પરંતુ દિલ્હીની ચૂંટણી એકલા લડવાનું આયોજન, તેણે આમ આદમી પાર્ટીના નબળા પ્રદર્શનમાં વધુ ફાળો આપ્યો.

10 વર્ષ સત્તા વિરોધી લહેર 

દિલ્હીમાં AAPની મોટી હારનું પહેલું કારણ 10 વર્ષની સત્તા વિરોધી લહેર હતી. બીજી અને કદાચ AAPની મોટી ભૂલ અરવિંદ કેજરીવાલનું રાજીનામું હતું. જ્યારે તેમની લિકર  કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેમણે પદ છોડવું જોઈતું હતું. જોકે, જામીન મળ્યા બાદ રાજીનામું આપવું અને ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તરીકે અન્ય કોઈની નિમણૂક કરવી એ મોટી રાજનીતિક ભૂલ સાબિત થઈ.

દિલ્હીની સત્તામાં ભાજપની શાનદાર વાપસી

વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 48 બેઠકો જીતીને ભાજપે 27 વર્ષના વનવાસ બાદ દિલ્હીમાં સત્તામાં શાનદાર વાપસી કરી હતી. દરમિયાન, આમ આદમી પાર્ટી, જેણે 2020 માં 62 અને 2015 માં 67 વિધાનસભા બેઠકો જીતી હતી તેની બેઠકો ઘટીને 22 થઈ ગઈ. કોંગ્રેસને રાજધાનીમાં સતત ત્રીજી વખત એકપણ બેઠક મળી નથી.

પ્રશાંત કિશોરે કેજરીવાલના અસંગત રાજકીય નિર્ણયોને પણ મતદારોના મોહભંગનું મુખ્ય કારણ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં જોડાવાના અને પછી તેમાંથી ખસી જવાના તેમના નિર્ણયથી પણ તેમની વિશ્વસનીયતાને નુકસાન થયું છે. વધુમાં, તાજેતરના વર્ષોમાં તેમનું શાસન નબળું રહ્યું છે.

કેજરીવાલનું શાસન મોડલ ઘણું નબળું છે

જન સૂરાજના વડાએ શાસનની નિષ્ફળતાઓ તરફ ધ્યાન દોર્યું, ખાસ કરીને છેલ્લા ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા  સામનો કરવામાં આવતી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે,  લોકો દ્વારા સહન કરવામાં આવતી મુશ્કેલીઓ, ખાસ કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, વહીવટી તંત્રની ખામીઓને ઉજાગર  કરે છે અને કેજરીવાલના શાસન મોડલને  નબળું પાડે છે.

ગુજરાતમાં તક મળી શકે છે

જો કે, તેમણે સૂચન કર્યું કે આ કેજરીવાલ માટે દિલ્હીથી આગળ ધ્યાન કેન્દ્રિત કરવાની તક પણ હોઈ શકે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, પરિસ્થિતિના બે પાસાં છે. જો કે AAP માટે દિલ્હીમાં રાજકીય વર્ચસ્વ હાંસલ કરવું અત્યંત મુશ્કેલ હશે, કેજરીવાલ હવે શાસનની ફરજોમાંથી મુક્ત છે. તેઓ આ વખતે ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં પાર્ટીની ઉપસ્થિતિને મજબૂત કરવા માટે લાભ ઉઠાવી શકે છે, જ્યાં AAPએ છેલ્લી ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. 

'ભગવંત માનને હટાવી પંજાબના CM બનવા માંગે છે અરવિંદ કેજરીવાલ', BJP નેતાનો મોટો દાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 

વિડિઓઝ

Ahmedabad’s Subhash bridge: અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈ તપાસનો ધમધમાટ
PM Modi Speech: વંદે માતરમ પર સંસદમાં PM મોદીનું સંબોધન
Surat Honey Trap Case: સુરતમાં હનીટ્રેપનો પર્દાફાશ, ક્રાઈમબ્રાન્ચે બે આરોપીને પકડ્યા
IndiGo Crisis: ઈન્ડિગોનું સંકટ સાતમા દિવસે પણ યથાવત, દિલ્લી સહિતના એરપોર્ટ પર સેંકડો મુસાફરો અટવાયા
Kutch Demolition: કંડલા પોર્ટ પર 'ઓપરેશન બુલડોઝર', 100 એકર જમીનમાંથી ગેરકાયદે દબાણો કરાયા ધ્વસ્ત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Embed widget