![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'3 થી વધુ બાળકો હશે તો મહિલાઓને નહી મળશે સરકારી યોજનાનો લાભ', આસામ સરકારનો નિર્ણય
આસામ સરકારે ગ્રામીણ મહિલા સાહસિકો માટે નાણાકીય સહાય યોજનામાં કેટલીક નવી શરતો લાગુ કરી છે. આમાં એક મહિલાના બાળકોની સંખ્યાની મર્યાદા ઉમેરવામાં આવી છે.
!['3 થી વધુ બાળકો હશે તો મહિલાઓને નહી મળશે સરકારી યોજનાનો લાભ', આસામ સરકારનો નિર્ણય Assam govt scheme for women no benefits for those who have more than 3 children '3 થી વધુ બાળકો હશે તો મહિલાઓને નહી મળશે સરકારી યોજનાનો લાભ', આસામ સરકારનો નિર્ણય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/4de637a390b747544c6d11b45818994d170508233949378_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Assam Govt Scheme: આસામ સરકારે ગ્રામીણ મહિલા સાહસિકો માટે નાણાકીય સહાય યોજનામાં કેટલીક નવી શરતો લાગુ કરી છે. આમાં એક મહિલાના બાળકોની સંખ્યાની મર્યાદા ઉમેરવામાં આવી છે. જો જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ કોઈપણ નાણાકીય યોજનાનો લાભ મેળવવા માંગે છે, તો તેમને ત્રણથી વધુ બાળકો ન હોવા જોઈએ, જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) અને અનુસૂચિત જાતિ (SC) મહિલાઓ માટે આ મર્યાદા ચાર બાળકો સુધી છે.
ગુરુવારે (11 જાન્યુઆરી) મુખ્યમંત્રી મહિલા સાહસિકતા ઝુંબેશ (MMUA) ની જાહેરાત કરતા આસામના CM હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે ધીમે ધીમે આવા વસ્તી માપદંડ રાજ્ય સરકારની તમામ લાભાર્થી યોજનાઓમાં લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ નિર્ણય 2021માં તેમની જાહેરાતને અનુરૂપ છે.
આ જાતિઓને છૂટ મળી છે
જો કે, એમએમયુએ યોજના માટેના ધોરણો હાલ પૂરતું હળવા કરવામાં આવ્યા છે અને એસટી દરજ્જાની માંગણી કરતા મોરાન, મોટોક અને 'ટી આદિવાસીઓ' પર ચાર બાળકોની મર્યાદા પણ લાદવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ સ્વ-સહાય જૂથોમાં સામેલ મહિલાઓને ગ્રામીણ સૂક્ષ્મ સાહસિકો તરીકે વિકસાવવામાં મદદ કરવાનો છે.
'મહિલાઓ બિઝનેસ કરી શકશે'
હેમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે આ યોજનાને બાળકોની સંખ્યા સાથે જોડવામાં આવી છે જેથી કરીને મહિલાઓ પોતાનો વ્યવસાય સ્થાપિત કરવા માટે પૈસાનો ઉપયોગ કરી શકે. તેમણે કહ્યું કે જો મહિલાને ચાર બાળકો હોય તો તેને પૈસા ખર્ચવા માટે સમય ક્યાં મળશે, બિઝનેસ કરવા માટે સમય ક્યાં મળશે? તે બાળકોને ભણાવવામાં વ્યસ્ત રહેશે.
આ શરતો પણ પૂરી કરવી પડશે
બાળકોની સંખ્યાની મર્યાદા ઉપરાંત, લાભાર્થીઓએ અન્ય બે શરતો પણ પૂર્ણ કરવી આવશ્યક છે. જો તેમની પાસે છોકરીઓ હોય તો તેમને શાળામાં દાખલ કરવા પડશે. જો છોકરી શાળાની ઉંમરની ન હોય તો મહિલાઓએ એફિડેવિટ પર સહી કરવી પડશે કે સમય આવશે ત્યારે તેણીને શાળામાં દાખલ કરવામાં આવશે. તેમજ સરકારના વૃક્ષારોપણ અભિયાન, અમૃત વૃક્ષા આંદોલન અંતર્ગત ગયા વર્ષે તેઓએ જે વૃક્ષો વાવ્યા હતા તેને જીવંત રાખવા પડશે.
https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)