Watch: દિલ્લી એરપોર્ટ પર ભયંકર દુર્ઘટના, બસમાં અચાનક લાગી ભીષણ આગ, જાણો અપડેટ્સ
Delhi Airport Bus Fire: દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 પર વિમાનની નજીક ઉભેલી AI SATS બસમાં ભીષણ આગ લાગી. સદનસીબે, બસમાં કોઈ મુસાફરો ન હોવાથી મોટી જાનહાનિ ટળી.

Delhi Airport Bus Fire: મંગળવારે (28 ઓક્ટોબર) ના રોજ, એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ પ્રોવાઇડર AI SATS ની બસમાં દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 3 (T3) પર અચાનક આગ લાગી ગઈ. આ ઘટના એરક્રાફ્ટથી થોડા મીટર દૂર બે નંબર 32 નજીક બની હતી.
કમનસીબે, તે સમયે બસમાં કોઈ મુસાફરો નહોતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ. ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી. નજીકના વિમાનમાં કોઈ ઈજા કે નુકસાનના અહેવાલ નથી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગ લાગવાના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. એર ઇન્ડિયા તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાને કારણે એરપોર્ટ પર થોડો ખળભળાટ મચી ગયો હતો, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
#ChhathPuja
— AIRCRAFT MECHANIC (@GOD3636) October 28, 2025
Bus fire at Delhi Airport pic.twitter.com/t1wyRFkbGf
દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે, જેમાં ત્રણ ટર્મિનલ અને ચાર રનવે છે. તે વાર્ષિક 1૦ કરોડથી વધુ મુસાફરોને સેવા આપવાની ક્ષમતા ધરાવે છે. ટર્મિનલ ૩ (T3) વિશ્વના સૌથી મોટા ટર્મિનલમાંનું એક છે અને વાર્ષિક આશરે 4 કરોડ મુસાફરોને સેવા આપી શકે છે.
આ ટર્મિનલ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટ્સ સેવા આપે છે. તેનું નીચનો ફ્લોર આગમન ક્ષેત્ર તરીકે કામ કરે છે અને ઉપલો ફ્લોર પ્રસ્થાન ક્ષેત્ર તરીકે કામ કરે છે. ગયા અઠવાડિયે, એરપોર્ટે નવીનીકરણ પછી તેનું ટર્મિનલ ૨ (T2) ફરીથી ખોલ્યું, જેનાથી મુસાફરોની સુવિધાઓમાં સુધારો થયો. આનાથી એરપોર્ટની ક્ષમતા અને કાર્યકારી કાર્યક્ષમતા બંનેમાં સુધારો થવાની અપેક્ષા છે





















