શોધખોળ કરો

હવે ટિકિટ કેન્સલ કરવા પર તરત જ મળશે રિફંડ, જાણો રેલવેની નવી સુવિધા

અત્યાર સુધી જો ટ્રેનની ટિકિટ કેન્સલ થઈ હોય અથવા કોઈ કારણસર કેન્સલ કરવી પડી હોય તો રિફંડ માટે લાંબી રાહ જોવી પડતી હતી

નવી દિલ્હીઃ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. અત્યાર સુધી જો ટ્રેનની ટિકિટ કેન્સલ થઈ હોય અથવા કોઈ કારણસર કેન્સલ કરવી પડી હોય તો રિફંડ માટે લાંબી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે એવું નહી થાય. IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) એ પોતાનું પેમેન્ટ ગેટવે IRCTC-iPay લોન્ચ કર્યું છે.

આ સર્વિસ અગાઉથી જ ચાલુ છે.  આ મારફતે ટિકિટ બુકિંગ માટે કોઇ પણ બેન્કના પેમેન્ટ ગેટવે પર ચૂકવણી કરવામાં આવે છે જેથી સમયની બચત થાય છે અને સાથે જ ટિકિટ કેન્સલ કરવા પર તેનું રિફંડ તરત જ તમારા ખાતામાં જમા થઇ જાય છે. IRCTC iPay (IRCTC iPay ટિકિટ બુકિંગ પ્રક્રિયા) પરથી ટ્રેન ટિકિટ બુક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણીએ.

 

IRCTC iPayથી ટ્રેન ટિકિટ બુકિંગ પ્રક્રિયા

 

  1. iPay દ્વારા બુકિંગ માટે પ્રથમ www.irctc.co.in પર લોગિન કરો.
  2. હવે પ્રવાસને લગતી વિગતો જેમ કે સ્થળ અને તારીખ ભરો.
  3. આ પછી તમારા રૂટ અનુસાર ટ્રેન પસંદ કરો.
  4. ટિકિટ બુક કરતી વખતે તમને પેમેન્ટ મેથડમાં 'IRCTC iPay' નો પહેલો વિકલ્પ મળશે.
  5. આ વિકલ્પ પસંદ કરો અને 'પે એન્ડ બુક' પર ક્લિક કરો.
  6. હવે પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI વિગતો ભરો.
  7. આ પછી તરત જ તમારી ટિકિટ બુક થઈ જશે, જેનું કન્ફર્મેશન તમને SMS અને ઈમેલ દ્વારા મળશે.
  8. અને સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે તમે ભવિષ્યમાં ફરીથી ટિકિટ બુક કરશો ત્યારે તમારે ફરીથી પેમેન્ટની વિગતો ભરવાની જરૂર રહેશે નહીં. તમે તરત જ પેમેન્ટ કરીને ટિકિટ બુક કરી શકશો.

તરત જ રિફંડ મળે છે

અગાઉ ટિકિટ કેન્સલ થવા પર રિફંડ મેળવવામાં ઘણો સમય લાગતો હતો. પરંતુ હવે આ પૈસા તરત જ ખાતામાં જમા થઇ જશે. IRCTC હેઠળ યુઝર્સને તેના UPI બેંક એકાઉન્ટ અથવા ડેબિટ માટે માત્ર એક જ મેનડેટ આપવો પડશે.

ટિકિટ તરત જ બુક થઇ જશે.

IRCTC અધિકારીઓએ કહ્યું છે કે અગાઉ કંપની પાસે પોતાનું પેમેન્ટ ગેટવે નહોતું, પછી બીજા પેમેન્ટ ગેટવે (IRCTC iPay મીન્સ)નો ઉપયોગ કરવો પડતો હતો. તેથી બુકિંગમાં ઘણો સમય લાગતો હતો અને જો પૈસા કપાઈ ગયા તો ખાતામાં પાછા આવવામાં પણ વધુ સમય લાગતો હતો. પણ હવે એવું થશે નહીં. IICTCના પેમેન્ટ ગેટવે પર સવાલ પર અધિકારીઓનું કહેવું છે કે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

વેઇટિંગ ટિકિટ પર પણ પૈસા તરત જ મળી જશે

ઘણી વખત જ્યારે તમે ટિકિટ બુક કરો છો પરંતુ તમારી ટિકિટ વેઇટિંગમાં આવે છે. અને અંતિમ ચાર્ટ તૈયાર થયા પછી આપમેળે તમારી ટિકિટ રદ કરી દેવામાં આવે છે. હવે આ સ્થિતિમાં પણ તમને તમારું રિફંડ તરત જ મળી જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
Embed widget