શોધખોળ કરો

Birbhum Violence: બિરભુમ હિંસા મુદ્દે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું, ‘બંગાળમાં દાનવરાજ’

Birbhum Violence: બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજને  વધુમાં કહ્યું કે, આ મધ્યયુગીન બર્બરતાનું જીવંત ઉદાહરણ છે. અહીં 'માનવ રાજ' નથી પણ 'દાનવ રાજ' છે.


West Bengal : પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટના બોગતુઈ ગામમાં ત્રણ મહિલાઓ અને બે બાળકો સહિત આઠ લોકોને જીવતા સળગાવી દેવાના મામલામાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીને બોગતુઈ ગામમાં જતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખેલા પત્રમાં રાજ્યમાં કલમ 355 લાગુ કરવાની સાથે અધીર રંજને કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસની માંગ કરી છે.

મમતા  બેનર્જી પીકનીક પર આવ્યાં હતા : અધીર રંજન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા અધીર રંજને કહ્યું કે, બંગાળના સીએમ અહીં પિકનિક માટે આવ્યા હતા. તે હેલિકોપ્ટર દ્વારા આવ્યાં, મીટિંગ કરી, ભોજન લીધું અને ચાલ્યા ગયા. તેણે સ્થાનિક લોકોની વાત સાંભળવી જોઈતી હતી.

બંગાળમાં 'માનવ રાજ' નથી પણ 'દાનવ રાજ'
બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજને  વધુમાં કહ્યું કે, આ મધ્યયુગીન બર્બરતાનું જીવંત ઉદાહરણ છે. અહીં 'માનવ રાજ' નથી પણ 'દાનવ રાજ' છે. મુખ્યમંત્રીએ રાજ્યને બરબાદ કરી નાખ્યું છે. પોલીસ અને ટીએમસીની મિલીભગતથી રાજ્યને લૂંટવામાં આવી રહ્યું છે. બંગાળ જેવી સ્થિતિ અન્ય કોઈ રાજ્યમાં નથી.

12 ઘરોને આગ લગાડવામાં આવી,  8 લોકો જીવતા સળગી ગયા 
મંગળવારે વહેલી સવારે રામપુરહાટના બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોમાં આગ લગાડવામાં આવતા બે બાળકો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પંચાયત-સ્તરના નેતાની કથિત હત્યાના કલાકોમાં આ ઘટના બની હતી.

અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ 
તૃણમૂલ કોંગ્રેસના નેતાની હત્યા બાદ રામપુરહાટ શહેરની બહારના બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને કથિત રીતે સળગાવી દેવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકોએ પોતાના નેતાની હત્યાનો બદલો લેવા ઘરોને આગ લગાવી દીધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિજયે મુખ્યમંત્રી બનતા જ પોતાના જ્યોતિષીને સરકારમાં આપ્યું મોટું પદ, જાણો કોણ છે રાધાન પંડિત 
વિજયે મુખ્યમંત્રી બનતા જ પોતાના જ્યોતિષીને સરકારમાં આપ્યું મોટું પદ, જાણો કોણ છે રાધાન પંડિત 
NEET 2026 પરીક્ષા રદ, ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, જાણો NTA એ શું કહ્યું?
NEET 2026 પરીક્ષા રદ, ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, જાણો NTA એ શું કહ્યું?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
'હું શપથ લઉં છું...', બીજીવાર આસામના મુખ્યમંત્રી બન્યા હિમંતા બિસ્વા સરમા, જાણો રાજકીય સફર
'હું શપથ લઉં છું...', બીજીવાર આસામના મુખ્યમંત્રી બન્યા હિમંતા બિસ્વા સરમા, જાણો રાજકીય સફર

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Embed widget