શોધખોળ કરો

Covid-19 Vaccination: 15 વર્ષથી મોટા બાળકોને ક્યારથી અપાશે વેક્સિન, કોને અપાશે બૂસ્ટર ડોઝ ? જાણો દરેક સવાલના જવાબ

દેશમાં ૩જી જાન્યુઆરીને સોમવારથી ૧૫ વર્ષથી ૧૮ વર્ષની વયના સગીરો માટે રસીકરણ અભિયાન શરૂ થશે. જેનાથી સ્કૂલ-કોલેજોમાં જઈ રહેલા બાળકો અને તેમના માતા-પિતાની ચિંતાઓ પણ દૂર કરશે.

PM Modi On Booster Dose: Omicron ના વધતા કહેર અને કોવિડ 19ની ત્રીજી લહેરની આશંકા વચ્ચે પીએમ મોદી શનિવારે રાત્રે આગામી વર્ષે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી હતી,. ઉપરાંત તેમણે વૃદ્ધો તથા ફ્રન્ટલાઈન વર્કર્સને ૧૦મી જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રને નામ સંબોધનમાં જણાવ્યું હતું.

કોને કઈ તારીખથી અપાશે બૂસ્ટર ડોઝ

હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે બૂસ્ટર ડોઝની જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણા બધાનો અનુભવ છે કે કોરોના વોરિયર્સ, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સે કોરોના સામેની લડાઈમાં દેશને સુરક્ષિત રાખવામાં મોટું યોગદાન આપ્યું છે. તેઓ આજે પણ કોરોનાના દર્દીઓની સેવામાં પોતાનો ઘણો સમય પસાર કરી રહ્યા છે. તેથી તકેદારીના ભાગરૂપે સરકારે નિર્ણય લીધો છે કે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સને રસીનો બૂસ્ટર ડોઝ અપાશે, જેની શરૂઆત ૧૦મી જાન્યુઆરીને ૨૦૨૨થી કરાશે. વડાપ્રધાને જણાવ્યું કે, અન્ય બીમારીઓનો ભોગ બનેલા લોકોને પણ બૂસ્ટર ડોઝ અપાશે. કો-મોર્બિડિટીવાળા ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને ડૉક્ટરની સલાહ પર બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમને પણ ૧૦મી જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ આપી શકાશે.

બાળકોના માતા-પિતાની ચિંતા પર શું બોલ્યા પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સગીરોને રસીકરણની જાહેરાત કરતા કહ્યું કે સરકારનો આ નિર્ણય કોરોના સામે દેશની લડાઈને મજબૂત કરવાની સાથે સ્કૂલ-કોલેજોમાં જઈ રહેલા બાળકો અને તેમના માતા-પિતાની ચિંતાઓ પણ દૂર કરશે. દેશમાં ૩જી જાન્યુઆરીને સોમવારથી ૧૫ વર્ષથી ૧૮ વર્ષની વયના સગીરો માટે રસીકરણ અભિયાન શરૂ થશે.

ઓમિક્રોનને લઈ મોદીએ કહી આ વાત

દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે વડાપ્રધાને તેનાથી ગભરાવાની જરૂર નથી. તેના બદલે નાગરિકોએ સાવધાની રાખવી જોઈએ. ભારતમાં અનેક લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. હું તમને બધાને આગ્રહ કરું છું કે તમે ગભરાશો નહીં. તેના બદલે સાવધાની રાખો. માસ્ક અને હાથ થોડા-થોડા સમયે ધોઈ નાંખો. સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોના સંબંધિત પ્રોટોકોલનું પાલન કરો. મોદીએ ઉમેર્યું કે, આજે વાઈરસ મ્યુટેશન કરી રહ્યો છે. આજે દેશ પાસે ૧૮ લાખ આઈસોલેશન બેડ છે. પાંચ લાખ ઓક્સિજન બેડ છે. પાંચ લાખ આઈસીયુ બેડ છે. આઈસીયુ અને નોન આઈસીયુ બેડ વિશેષરૂપે બાળકો માટે છે. આજે દેશમાં ૩ હજારથી વધુ ઓક્સિજન પ્લાન્ટ કામ કરી રહ્યા છે. ૪ લાખ ઓક્સિજન સિલિન્ડર દેશને અપાયા છે.

 

Covid-19 Vaccination: 15 વર્ષથી મોટા બાળકોને ક્યારથી અપાશે વેક્સિન, કોને અપાશે બૂસ્ટર ડોઝ ? જાણો દરેક સવાલના જવાબ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget