![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mumbai: MNS પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બીજું બિનજામીનપાત્ર વોરંટ જાહેર, ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ
આ અગાઉ 6 એપ્રિલે સાંગલી કોર્ટે પણ ઠાકરે વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. આ બિનજામીનપાત્ર વોરંટ 2008ના એક કેસમાં જાહેર કરવામાં આવ્યું હતું
![Mumbai: MNS પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બીજું બિનજામીનપાત્ર વોરંટ જાહેર, ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ Court in Beed issues non-bailable warrant against Raj Thackeray Mumbai: MNS પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બીજું બિનજામીનપાત્ર વોરંટ જાહેર, ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/06/ea2d08e44a8a01a945d9460cbbb50df6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ ગૃહ મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, બીડની પરલી જિલ્લા કોર્ટે મનસેના વડા રાજ ઠાકરે વિરુદ્ધ વધુ એક બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. રાજ ઠાકરે વિરુદ્ધ આ બીજું બિનજામીનપાત્ર વોરંટ છે. આ અગાઉ 6 એપ્રિલે સાંગલી કોર્ટે પણ ઠાકરે વિરુદ્ધ વોરંટ જાહેર કર્યું હતું. આ બિનજામીનપાત્ર વોરંટ 2008ના એક કેસમાં જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં તેમની સામે IPCની કલમ 143, 109, 117 અને બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
Maharashtra | Beed's Parli District Court has issued a non-bailable warrant against Maharashtra Navnirman Sena chief Raj Thackeray in a 2008 case
— ANI (@ANI) May 6, 2022
લાઉડસ્પીકર વિવાદ કેસમાં મહારાષ્ટ્રની સરકારને અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજ ઠાકરે તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગને લઈને ચર્ચામાં છે.
શું છે વિવાદ?
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ લાઉડસ્પીકર વિશે કહ્યું હતું કે જો મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો જવાબ આપવામાં આવશે. વાસ્તવમાં મુંબઈની મસ્જિદોમાં ગેરકાયદેસર રીતે લગાવેલા લાઉડસ્પીકરોને હટાવવાની માંગ સૌપ્રથમ ભાજપના નેતાઓએ ઉઠાવી હતી, પરંતુ છેલ્લા અઠવાડિયામાં રાજ ઠાકરે તેની માંગ કરી રહ્યા છે.
મસ્જિદ પરના લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે નમાઝ માટે રસ્તા અને ફૂટપાથની શું જરૂર છે? ઘર પર પઢો. જો તેઓ અમારી વાત નહી સમજે તો તમારી મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે અમે આ મુદ્દે પાછળ હટીશું નહીં.
DC vs SRH: ઉમરાન મલિકે ફેંક્યો આઈપીએલના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો...
ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના, એક સાથે 600 લોકોએ હાઇકોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગણી કરતા ખળભળાટ
COVID-19: દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં? WHOએ આ અનુમાન લગાવ્યું....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)