શોધખોળ કરો

Cyclone Biparjoy: કેમ વિચિત્ર છે બિપરજોય? 'ડાંસિંગ ચાલ' બની માથાનો દુ:ખાવો

15મી જૂને બપોરે ગુજરાતના જખૌ બંદર પરથી પસાર થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સ્થિતિમાં માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

Cyclone Landfall : બિપરજોય નામના વાવાઝોડાએ ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 15મી જૂને બપોરે ગુજરાતના જખૌ બંદર પરથી પસાર થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સ્થિતિમાં માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

પવનની ઝડપ 129.64 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જતાં, બિપોરજોય અરબી સમુદ્રમાં ચોથું સૌથી મજબૂત તોફાન બની ગયું છે. તે 15 જૂને ગુજરાતના કચ્છના માંડવીથી પાકિસ્તાનના કરાચી સુધી લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. પરંતુ ઘણા લોકોને લોન્ડફોલ શું છે તેનાથી અજાણ હોય છે. તો આજે અમે તમને જણાવીએ કે કોઈપણ ચક્રવાતી તોફાનનો લેન્ડફોલ શું છે અને તેની અસર શું છે તેના વિષે માહિતી આપવા જઈ રહ્યાં છીએ. 

ચક્રવાત લેન્ડફોલ શું છે?

જ્યારે ચક્રવાત સમુદ્રમાંથી આગળ વધે છે અને જમીન પર પ્રવેશ કરે છે ત્યારે તેને ચક્રવાત લેન્ડફોલ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં તેની અસર પાણી બાદ જમીન પર દેખાવા લાગે છે. જ્યારે ચક્રવાત જમીન પર લેન્ડફોલ કરે છે ત્યારે આ સમય દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદ થાય છે. આ દરમિયાન સમુદ્રનું સ્તર પણ વધે છે.

ત્યાર બાદ તોફાન ઘણી તબાહી મચાવે છે અને તે જ્યાં પણ ત્રાટકે છે ત્યાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત કરે છે. કોઈપણ ચક્રવાતના લેન્ડફોલ સમયે પવનની ગતિ 110 થી 120 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. એટલા માટે ચક્રવાત લેન્ડફોલ સમયે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, જેથી નુકસાન ઓછું થાય.

Biporjoyને લઈ આ છે જુદી જુદી આગાહી

Biporjoy વિશે ચિંતાજનક બાબત એ છે કે, તેનો ટ્રેક સ્પષ્ટ નથી. ડાઉન ટુ અર્થના એક રિપોર્ટ અનુસાર આ અંગે અલગ-અલગ આગાહી કરવામાં આવી રહી છે. પરંતુ સાથે જ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ભારતે આ અંગે સાવધાન રહેવું જોઈએ. ભારતના હવામાન વિભાગે 9 જૂનના રોજ આગાહી કરી હતી કે, ચક્રવાત બિપોરજોય આગામી 48 કલાકમાં ભારતની ઉપર ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને ત્યારપછીના ત્રણ દિવસમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે.

જ્યારે યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટે જણાવ્યું હતું કે, બિપરજોય 16 જૂને પાકિસ્તાનના સિંધમાં લેન્ડફોલ કરશે. તો ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ કહે છે કે Biporjoy 16 જૂને પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં લેન્ડફોલ કરશે. બીજી બાજુ, 8 જૂને, જીએફએસ મોડેલે આગાહી કરી હતી કે, વાવાઝોડું 14-15 જૂન સુધીમાં ઓમાનમાં લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.

આગાહી ટ્રેસ કરવામાં મુશ્કેલી

યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ રીડિંગના રિસર્ચ સાયન્ટિસ્ટ અક્ષય દેવરાસે કહ્યું કે અલગ-અલગ ક્લાઇમેટ મોડલના અનુમાનમાં તફાવત છે, પરંતુ આ વખતે આ તફાવતો ખૂબ જ આશ્ચર્યજનક છે. તેનું મુખ્ય કારણ એ છે કે, વિન્ડ પ્રોફાઇલ આદર્શ નથી. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, એક તરફ જોરદાર પવનો એક દિશામાં ફૂંકાઈ રહ્યા છે અને નબળા પવનો બીજી દિશામાં ફૂંકાઈ રહ્યા છે. તે ઉષ્ણકટિબંધીય ચક્રવાતની તરફેણ કરતું નથી. બીજી તરફ, પાકિસ્તાન અને પશ્ચિમ એશિયામાં શુષ્ક હવા છે, જે ઉષ્ણકટિબંધીય ચક્રવાત માટે ઝેર છે. જેમ જેમ ચક્રવાત આગળ વધશે તેમ તેમ વિવિધ પ્રદેશોમાંથી સૂકી હવા ખેંચશે. આ કારણોસર ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને ટ્રેકની ચોક્કસ તીવ્રતા અને સ્થાન જાણવામાં મુશ્કેલીઓ આવી રહી છે. સાદી ભાષામાં સમજીએ તો આ ચક્રવાતનો માર્ગ સીધો નથી પરંતુ સાપ ચાલ માફક વાંકોચુંકો છે. એટલે કે સર્પાકાર છે. 

આવી સ્થિતિમાં જો ઉષ્ણકટિબંધીય ચક્રવાત અરબી સમુદ્ર પર રહે છે અને પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહે છે, તો તે સમુદ્ર પર જ વિખેરાઈ શકે છે અથવા નબળું બની શકે છે. બીજી તરફ જો તે તીવ્રતા જાળવી શકે તો વધુ વરસાદ પડી શકે છે. અક્ષય દેવરાસે કહ્યું કે, જો તે પાકિસ્તાન અથવા ઉત્તર ગુજરાત તરફ આવશે તો વરસાદ ઓછો થશે પરંતુ મને નથી લાગતું કે તે કોઈ તોફાન લાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અખિલેશ યાદવનું મોટું નિવેદન,
અખિલેશ યાદવનું મોટું નિવેદન, "અમે બધા લોકો મળીને નીતિશ કુમારને પ્રધાનમંત્રી..."
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Embed widget