![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Patra Chawl land scam case: શિવસેના નેતા સંજય રાઉત સામે EDની મોટી કાર્યવાહી, સીલ કરી કરોડની સંપત્તિ
પાત્રા ચોખા જમીન કૌભાંડ કેસમાં EDએ સંજય રાઉતની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. EDએ રાઉતનો અલીબાગમાં એક પ્લોટ અને દાદર-મુંબઈમાં એક-એક ફ્લેટ જપ્ત કર્યો છે
![Patra Chawl land scam case: શિવસેના નેતા સંજય રાઉત સામે EDની મોટી કાર્યવાહી, સીલ કરી કરોડની સંપત્તિ ED attached Shiv Sena leader Sanjay Raut's property in connection with Rs 1,034 crore Patra Chawl land scam case Patra Chawl land scam case: શિવસેના નેતા સંજય રાઉત સામે EDની મોટી કાર્યવાહી, સીલ કરી કરોડની સંપત્તિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/05/793081d3995355dfeede06d91a155102_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Patra Chawl land scam case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પાત્રા ચોખા જમીન કૌભાંડ કેસમાં EDએ સંજય રાઉતની કરોડોની સંપત્તિ જપ્ત કરી છે. EDએ રાઉતનો અલીબાગમાં એક પ્લોટ અને દાદર-મુંબઈમાં એક-એક ફ્લેટ જપ્ત કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કૌભાંડ 1034 કરોડ રૂપિયાનું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી બાદ સંજય રાઉતે એક ટ્વિટ કર્યું હતું. તેણે ટ્વિટર પર લખ્યું, 'અસત્યમેવ જયતે!!'
#UPDATE | Enforcement Directorate attached Shiv Sena leader Sanjay Raut's Alibaug plot & one flat in Dadar, Mumbai in connection with the Rs 1,034 crore Patra Chawl land scam case.
— ANI (@ANI) April 5, 2022
શ્રીલંકાની દુર્દશા પર સંજય રાઉતે કહ્યું- ભારતની સ્થિતિ આનાથી પણ વધુ ખરાબ થઈ શકે છે
શ્રીલંકામાં મોંઘવારી તેની ટોચ પર છે. શ્રીલંકા નાદારીની આરે છે. 13-13 કલાક વીજકાપ હોવાથી લોકોને ઘરમાં બેસવું પણ મુશ્કેલ છે. આ સ્થિતિ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. નાગરિકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો માટે રસ્તા પર આવી ગયા છે. તેઓ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે શ્રીલંકાની આવી દુર્દશા પર ભારતને ચેતવણી આપી છે. સંજય રાઉતે કહ્યું, "શ્રીલંકાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ભારત પણ આ જ તબક્કે છે. આપણે આ પરિસ્થિતિને સંભાળવી પડશે, નહીં તો આપણી સ્થિતિ શ્રીલંકા કરતા પણ ખરાબ થઈ શકે છે."
આ પણ વાંચોઃ
Sri Lanka Crisis: શ્રીલંકામાં કટોકટી, ફ્રી વહેંચવામાં ખજાનો ખાલી ! ભારતે પણ બોધપાઠ લેવાની જરૂર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)