શોધખોળ કરો

Kuno National Park: 4 મહિનામાં 8 ચિત્તાના મોત બાદ પણ કેન્દ્રીય વન મંત્રી અડગ, કહ્યું- "MPના કૂનો પાર્કમાં જ રહેશે ચિત્તા

મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સહિત અન્ય નિષ્ણાતોના સંપર્કમાં છીએ. અમારી ટીમ ત્યાં મુલાકાત લેશે. ચિત્તાઓ ખસેડવામાં આવશે નહીં અને કુનોમાં રહેશે.

Kuno National Park:કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે શનિવારે કહ્યું કે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા રહેશે અને આ પ્રોજેક્ટ સફળ થશે. મંત્રીએ કહ્યું, “અમે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો સહિત અન્ય નિષ્ણાતોના સંપર્કમાં છીએ. અમારી ટીમ ત્યાં મુલાકાત લેશે. ચિત્તાઓ ખસેડવામાં આવશે નહીં અને કુનોમાં રહેશે.

ચિત્તા પ્રોજેક્ટ અંગે કેટલાક નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતાઓ વચ્ચે યાદવની ટિપ્પણી આવી છે. દક્ષિણ આફ્રિકાના એક નિષ્ણાતે જણાવ્યું છે કે આ અઠવાડિયે રાજ્યમાં બે નર ચિત્તાના મૃત્યુ પાછળનું સંભવિત કારણ રેડિયોકોલરને કારણે થતું સેપ્ટિસેમિયા હોઈ શકે છે, જ્યારે અન્ય એક વ્યક્તિએ કહ્યું કે માત્ર પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ કારણ નક્કી કરી શકે છે.

દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા નર ચિત્તા સૂરજનું શુક્રવારના રોજ શિયોપુરના કેએનપી ખાતે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય નર ચિત્તા તેજસનું મંગળવારે મૃત્યુ થયું હતું.

દક્ષિણ આફ્રિકાના ચિત્તા નિષ્ણાત વિન્સેન્ટ વેન ડેર મેર્વે જણાવ્યું હતું કે રેડિયો કોલરના કારણે ચેપનું કારણ બની રહ્યા હતા અને કદાચ આ ચિત્તાના મૃત્યુનું કારણ હતું. ચાર મહિનાથી ઓછા સમયમાં બે ચિત્તા અને ત્રણ બચ્ચા સહિત મૃત ચિત્તાઓની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે.

જ્યારે ભારતમાં પ્રોજેક્ટ ચિતાના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે મેરવે આશાવાદી જણાતા હતા. તેમણે કહ્યું, “હવે પણ ભારતમાં ચિત્તાઓની 75 ટકા વસ્તી જીવંત અને સ્વસ્થ છે. તેથી જંગલી ચિત્તાના પ્રજનન માટે સામાન્ય પરિમાણો હેઠળ મૃત્યુદર સાથે બધું હજુ પણ યોગ્ય દિશામાં છે."

KNPના ડાયરેક્ટર ઉત્તમ શર્માએ કહ્યું કે, તેમણે બંને ચિત્તાઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ભોપાલમાં વરિષ્ઠ અધિકારીઓને મોકલી દીધા છે. જોકે, તેણે આ અંગે વધુ માહિતી શેર કરી નથી.

શુક્રવારે મધ્યપ્રદેશના વન મંત્રી વિજય શાહે કહ્યું હતું કે ચિત્તા સૂરજના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જાણી શકાશે. જ્યારે ચિત્તાના મૃત્યુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મંત્રીએ કહ્યું કે મૃત્યુ પામેલા ત્રણ બચ્ચા જન્મથી જ કુપોષિત હતા જ્યારે અન્ય મૃત્યુ પ્રાણીઓમાં સામાન્ય રીતે લડાઈને કારણે થયા હતા.

ભારતીય હવામાન વિભાગના ભોપાલ કેન્દ્રના ફરજ અધિકારી એસ.એન. સાહુએ જણાવ્યું હતું કે, શિયોપુર જિલ્લામાં જ્યાં KNP સ્થિત છે, 1 જૂનથી 15 જુલાઈ વચ્ચે 321.9 મિમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા માટે સામાન્ય વરસાદ 161.3 મિમી છે.

પાંચ માદા અને ત્રણ નર સહિત આઠ નામીબિયન ચિત્તાઓને ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એક ભવ્ય કાર્યક્રમમાં KNPના વાડામાં છોડવામાં આવ્યા હતા, આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાથી વધુ 12 ચિત્તાઓ આવ્યા હતા.

ચાર બચ્ચાના જન્મ પછી ચિત્તાની કુલ સંખ્યા વધીને 24 થઈ ગઈ હતી પરંતુ આઠ મૃત્યુ બાદ હવે આ સંખ્યા ઘટીને 16 થઈ ગઈ છે.

પૃથ્વી પર સૌથી ઝડપી દોડનાર પ્રાણીને 1952માં દેશમાંથી લુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral

વિડિઓઝ

Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય
Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
WTC Points Table: એશિઝમાં કાંગારૂઓની જીતથી ભારતનું ટેન્શન વધ્યું! રેન્કિંગમાં મોટી ઉથલપાથલ, ભારતની હાલત ખરાબ
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: પાકિસ્તાની બોલરને ઓકાત બતાવી! સ્લેજિંગ કરતા જ વૈભવ સૂર્યવંશી ભડક્યો, જુઓ Video Viral
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Shubman Gill Dropped: ગિલની બાદબાકી પર ગૌતમ ગંભીરનું સૂચક મૌન! એરપોર્ટ પરનો વીડિયો જોઈ ચાહકો ચોંક્યા
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Embed widget