શોધખોળ કરો

Farmers Protest: ખેડૂત સંગઠનો 2 દિવસ સુધી નહી કરે 'દિલ્હી કૂચ', 12 પોલીસકર્મી અને 58 ખેડૂતો ઇજાગ્રસ્ત, એકનું મોત

Farmers Protest: પંજાબ અને હરિયાણાના ખેડૂતો MSP અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે

Farmers Protest: લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કાયદેસરની ગેરન્ટીની માંગ સાથે આઠ દિવસથી શંભૂ અને દાતાસિંહ વાલા બોર્ડર પર ઉભા રહેલા ખેડૂતોએ બુધવારે સવારે દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને રબરની ગોળીઓ પણ છોડી હતી.  દાતાસિંહવાલા બોર્ડર પર ગોળીઓથી બે ખેડૂતો ઘાયલ થયા હતા, જેમાંથી ભટિંડાના બલોંકે ગામના યુવક શુભકરણ (23)નું મૃત્યુ થયું હતું. સંગરુરના નવાગાંવના અન્ય એક ખેડૂત પ્રીતપાલ સિંહને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને રોહતક પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે.

21 વર્ષીય ખેડૂતનું મોત 

પંજાબ અને હરિયાણાના ખેડૂતો MSP અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે બુધવારે પોલીસ સાથેની અથડામણ દરમિયાન 21 વર્ષીય ખેડૂતનું મોત થયું હતું. જોકે, પોલીસે આ દાવાને અફવા ગણાવીને ફગાવી દીધી છે. દરમિયાન, ખેડૂત સંગઠનોએ આગામી બે દિવસ ગુરુવાર અને શુક્રવાર માટે દિલ્હી તરફની તેમની કૂચ મોકૂફ રાખી છે. શુક્રવારે સાંજે ખેડૂત સંગઠનોની બેઠકમાં આગળની રણનીતિ અંગે નિર્ણય લેવામાં આવશે.

ખેડૂતોનો દાવો છે કે શુભકરણનું મોત રબરની ગોળી માથામાં વાગવાને કારણે થયું હતું. અથડામણમાં 52 ખેડૂતો અને 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. શંભુ બોર્ડર પર છ ખેડૂતો ઘાયલ પણ થયા છે. બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ફરીથી ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. કેન્દ્રના પ્રસ્તાવ પર ખેડૂત નેતાઓએ તેમની દિલ્હી કૂચ બે દિવસ માટે મોકૂફ રાખી છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંધેરે કહ્યું કે તેઓ શુક્રવારે સાંજે વધુ વ્યૂહરચના જાહેર કરશે.

બુધવારે બપોરે લગભગ 1 વાગ્યે દાતાસિંહવાલા બોર્ડર પર આંદોલને હિંસક વળાંક લીધો હતો. જીંદના પોલીસ અધિક્ષક સુમિત કુમારે જણાવ્યું હતું કે પંજાબના ખેડૂતો બુલડોઝરની મદદથી સરહદ પરના બેરિકેડ્સને હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે તેમને રોકવામાં આવ્યા હતા. ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ, વોટર કેનન અને લાઠીચાર્જનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. આ ઉપરાંત અનેક ખેડૂતોએ પોલીસ પર તલવારો અને ધોકા વડે હુમલો પણ કર્યો હતો. ખેડૂતો સાંજના 5 વાગ્યા સુધી અનેકવાર બેરિકેડીંગ પાસે આવ્યા હતા અને તેને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીયર ગેસના શેલ અને વોટર કેનનને કારણે તેઓએ પીછેહઠ કરવી પડી હતી.

ખેડૂત નેતાઓ પંધેર અને જગજીત સિંહ ડલ્લેવાલે સાંજે શંભુ બોર્ડર પર જાહેરાત કરી હતી કે હવે આવી સ્થિતિમાં સરકાર સાથે વાત કરવી યોગ્ય નથી લાગતી. આ પછી મોટી સંખ્યામાં યુવાનોએ ખેડૂત નેતાઓના નેતૃત્વમાં સરહદ તરફ આગળ વધવાનું શરૂ કર્યું. હરિયાણા તરફથી ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જેના કારણે ખેડૂત આગેવાનો પંધેર અને ડલ્લેવાલની તબિયત પણ લથડી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.