શોધખોળ કરો

Nuh violence: નૂંહ-મેવાત હિંસામાં બજરંગ દળના નેતા પ્રદીપની હત્યા મામલે AAP નેતા જાવેદ વિરુદ્ધ FIR

આ મામલે બજરંગ દળના નેતાના સહયોગીઓએ સોહના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

હરિયાણામાં નૂહ-મેવાત હિંસામાં બજરંગ દળના નેતા પ્રદીપની હત્યાના સંબંધમાં પોલીસે આમ આદમી પાર્ટીના નેતા જાવેદ અહેમદ અને અન્ય 150 લોકો સામે હત્યાનો કેસ નોંધ્યો છે. આ કેસમાં પોલીસના હાથમાં સીસીટીવી ફૂટેજ પણ લાગ્યા છે. જેમાં પ્રદીપને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તે સારવાર બાદ હોસ્પિટલની બહાર બેઠો પણ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 31મીએ થયેલી હિંસામાં બજરંગ દળના નેતા પ્રદીપ શર્માને રાયસીના ગામ પાસે ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો હતો. જેના એક દિવસ પછી તેમનું અવસાન થયું હતું. આ મામલામાં AAP નેતા જાવેદે ફોન પર કહ્યું કે તેમના પર લાગેલા આરોપો પાયાવિહોણા છે. તે દિવસે તે ઘરની બહાર હતો.

આ મામલે બજરંગ દળના નેતાના સહયોગીઓએ સોહના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તે લોકો આવી રહ્યા હતા ત્યારે જાવેદ તેના સાથીઓ સાથે રસ્તામાં ઉભો હતો. અમને જોઈને તેણે તેના સાથીઓને હુમલો કરવા કહ્યું હતું.

આ પછી લોકોએ અમારા પર હુમલો કર્યો હતો. જેમાં પ્રદીપ શર્માને માથામાં સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ કેસમાં પોલીસે કલમ-302 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક ફૂટેજ તેમને મળ્યા છે.

પ્રદીપનો પરિવાર 15 વર્ષથી ગુરુગ્રામમાં રહે છે

નોંધનીય છે કે પાંચી ગામનો રહેવાસી પ્રદીપનો પરિવાર છેલ્લા 15 વર્ષથી ગુરુગ્રામમાં રહે છે. 31મી જુલાઇના રોજ થયેલી હિંસામાં તોફાનીઓના હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી તેનું મૃત્યુ થયું હતું. શુક્રવારે તેમના વતનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ. તેમના પરિવારને સાંત્વના આપવા અનેક ગામડાઓમાંથી લોકો પહોંચ્યા હતા.

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સરઘસ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. 31 જુલાઈ, સોમવારના રોજ અરવલ્લીની પહાડીઓમાં બનેલા મંદિરમાંથી નીકળેલી શોભાયાત્રા પર ફાયરિંગ અને પથ્થરમારો થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Advertisement

વિડિઓઝ

Vibrant Navaratri: સરકારી નવરાત્રિમાં રૂપિયા 100નો પાસ, વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રમવા માટે VIP ઝોન બનાવાશે
Botad Police: બોટાદમાં ચોરીના આરોપમાં સગીરને પોલીસ કર્મચારીઓએ ઢોર માર્યાંનો આરોપ
Ahmedabad Builder murdered : અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાથી હડકંપ
Donald Trump Tariff: ટ્રમ્પનું ટેરિફ તરકટ અમેરિકામાં 10 લાખ લોકોને બનાવશે બેરોજગાર
MLA Abhesinh Motibhai Tadvi: ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, કામ નહીં માત્ર ભ્રષ્ટાચાર થાય છે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
કેટલાકે બહિષ્કારની વાત કરી તો કેટલાકે જણાવ્યો ઇતિહાસ...એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને મચ્યું રાજકીય ઘમાસાણ
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની  મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'ચુલ્લૂભર પાની મેં ડૂબ મરો...', Asia Cupમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ BJP પર ઓવૈસીના આકરા પ્રહારો
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
'BCCI ના પરિવારમાંથી કોઈ નથી ગયું', ભારત-પાકિસ્તાનની મેચને લઈ ભાવુક થઈ શહીદ શુભમની પત્ની
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ
Gujarat News: ભરૂચમાં સંઘવી ફેક્ટ્રીમાં ભીષણ આગ, મોટા નુકસાનનો અંદાજ, જાણો અપડેટ્સ
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
જો તમે વૈષ્ણોદેવી યાત્રાએ જવાના હોય તો થોભી જજો, શ્રાઇન બોર્ડે આપી મહત્વની જાણકારી
જો તમે વૈષ્ણોદેવી યાત્રાએ જવાના હોય તો થોભી જજો, શ્રાઇન બોર્ડે આપી મહત્વની જાણકારી
Embed widget