શોધખોળ કરો

મુગલ કાળમાં ભારત કેટલું હતું સમૃદ્ધ? જાણો કયા સમ્રાટ પાસે એલોન મસ્ક કરતા અનેક ગણી હતી સંપત્તિ

શાહજહાં અને અકબરના શાસનકાળ દરમિયાન, મુગલ કાળ દરમિયાન ભારત સૌથી વધુ સમૃદ્ધ હતું. તે સમયે ભારતને સોના ચીડિયા તરીકે ઓળખવામાં આવતું હતું. તે સમયે, ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું.

કહેવામાં આવે છે કે, ભારતમાં એટલી સમૃદ્ધિ હતી કે, ભારત દેશને સોને કી ચીડિયાનું વિશેષણ અપાતું હતું પરંતુ મુગલ આવ્યા બાદ સંપત્તિ નષ્ટ થઇ ગઇ પરંતુ અસંખ્ય ઐતિહાસિક સ્ત્રોતો આ ધારણાને ખોટી સાબિત કરે છે. હકીકતમાં, મુઘલ શાસન દરમિયાન ભારત આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું હતું. ખાસ કરીને, અકબરથી શાહજહાં સુધીના સમયગાળાને ભારતીય ઇતિહાસમાં સૌથી મજબૂત આર્થિક સમયગાળો માનવામાં આવે છે.

ઇતિહાસકારો માને છે કે, શાહજહાંના શાસનકાળમાં ભારત વિશ્વનું સૌથી મોટું અને સમૃદ્ધ અર્થતંત્ર હતું. જોકે, એ પણ સાચું છે કે, અકબરે આ સમૃદ્ધિનો પાયો નાખ્યો હતો. અકબરે વહીવટી માળખું મજબૂત બનાવ્યું, ખેડૂતોને રાહત આપી, મહેસૂલ વ્યવસ્થાને સરળ બનાવી અને સમગ્ર સામ્રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી. પરિણામે, ભારત આગામી 150 વર્ષ સુધી વૈશ્વિક અર્થતંત્રમાં ટોચ પર રહ્યું.

મુગલ સામ્રાજ્યનો સુવર્ણ યુગ

અકબરના શાસનકાળ દરમિયાન વિવિધ જાતિઓ અને સમુદાયોમાં સંવાદિતા પ્રવર્તતી હતી. વેપારનો વિકાસ થયો, અને કારીગરો અને કલાકારોને સમર્થન મળ્યું હતું. દેશના આંતરિક બજારો અત્યંત શક્તિશાળી બન્યા હતા. આ તે સમય હતો જ્યારે ભારતને એક સમૃદ્ધ, સુવ્યવસ્થિત અને સાંસ્કૃતિક રીતે શ્રેષ્ઠ રાષ્ટ્ર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી. ત્યારબાદ, જહાંગીર અને શાહજહાંએ આ પાયા પર સામ્રાજ્યને વધુ મજબૂત બનાવ્યું.

એલોન મસ્ક અને અકબરની સંપત્તિ

Aberdeen Asia અને Money.comના અહેવાલો અનુસાર, આજના સંદર્ભમાં અકબરની સંપત્તિ $21 ટ્રિલિયન હોવાનો અંદાજ છે, જે ભારતીય ચલણમાં આશરે ₹1750 લાખ કરોડ થાય છે. દરમિયાન, ફોર્બ્સના અહેવાલ મુજબ, ઓક્ટોબર 2025માં એલોન મસ્કની કુલ સંપત્તિ આશરે ₹500 બિલિયન હતી, જે ભારતીય ચલણમાં આશરે ₹41-42 લાખ કરોડ થાય છે. આમ, એલોન મસ્કની સંપત્તિ અકબરની તુલનામાં ઓછી છે.

ભારતની આર્થિક શક્તિ - વિશ્વની સંપત્તિનો એક ચતુર્થાંશ ભાગ

ઘણા ઇતિહાસકારોનો અંદાજ છે કે, મુગલ કાળ દરમિયાન, એકલા ભારતનો હિસ્સો વિશ્વના કુલ અર્થતંત્રનો આશરે 25 ટકા હતો. આ આજે યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનની સંયુક્ત આર્થિક શક્તિની સમકક્ષ છે. તે સમયે, મોટાભાગના યુરોપિયન દેશો ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતા અને ભારતની સમૃદ્ધિથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ભારત, વિદેશી પ્રવાસીઓની નજરમાં વૈભવથી ભરેલું

મુઘલ કાળ દરમિયાન ભારતની મુલાકાત લેતા વિદેશી પ્રવાસીઓ તેની ભવ્યતાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફ્રેન્ચ પ્રવાસી ટેવર્નિયરે લખ્યું હતું કે, ભારત સમૃદ્ધ હતું અને તેના બજારો વિશ્વમાં સૌથી ધનિક હતા. ફ્રાન્કોઇસ બર્નિયરે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેની ચીજવસ્તુઓ યુરોપ કરતા વધુ સુંદર અને સસ્તી હતી. અંગ્રેજ પ્રવાસી થોમસ રો મુઘલ દરબારની ભવ્યતાથી દંગ રહી ગયા હતા અને લખ્યું હતું કે યુરોપિયન રાજાઓ સાથે પણ તેની ભવ્યતાની તુલના કરી શકાતી નથી.

શાહજહાં અને મુઘલ દરબારની અદ્ભુત ભવ્યતા

શાહજહાંનો દરબાર તેના ભવ્યતા, સુંદરતા અને વૈભવ માટે વિશ્વભરમાં પ્રશંસાનો વિષય હતો. સોના અને કિંમતી પથ્થરોથી બનેલું તેમનું પ્રખ્યાત પીકોક થ્રોન, આજના ચલણમાં આશરે 135,000 કરોડ રૂપિયાનું હોવાનો અંદાજ છે. ઘણા પ્રવાસીઓએ એમ પણ લખ્યું હતું કે, શાહજહાં ખાસ પ્રસંગોએ હીરા અને મોતીનો વરસાદ કરતો હતો. તાજમહેલની સત્તાવાર વેબસાઇટ અનુસાર, શાહજહાંના શાસનકાળ દરમિયાન, ફક્ત જમીનનો મહેસૂલ 20.75 મિલિયન પાઉન્ડ જેટલો હતો.

ભારત આટલું સમૃદ્ધ કેવી રીતે બન્યું

મુઘલ કાળ દરમિયાન ભારતની સમૃદ્ધિમાં ઘણા પરિબળોને કારણે ઝડપથી વધારો થયો. ફળદ્રુપ ખેતીલાયક જમીનો, મોટા પ્રમાણમાં અનાજનું ઉત્પાદન,કારીગર કૌશલ્ય, કાપડ, ધાતુકામ, બ્રોકેડ અને રેશમના કાપડને વૈશ્વિક સ્તરે માન્યતા, મરી મસાલાનો વેપારે સહિતના પરિબળોએ ભારતને વૈશ્વિક સ્તરે અગ્રણી બનાવ્યું. ભારત કુદરતી સંસાધનોથી સમૃદ્ધ હતું, અને લગભગ દરેક વસ્તુનું ઉત્પાદન દેશમાં જ થતું હતું, જે આત્મનિર્ભરતાને મજબૂત બનાવે છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
Advertisement

વિડિઓઝ

Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
JEE Advanced 2026: IIT રૂડકીએ JEE Advanced 2026 માટે બદલ્યા નિયમો, હવે પરીક્ષા આપી શકશે ફક્ત આ ઉમેદવારો
JEE Advanced 2026: IIT રૂડકીએ JEE Advanced 2026 માટે બદલ્યા નિયમો, હવે પરીક્ષા આપી શકશે ફક્ત આ ઉમેદવારો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Embed widget