શોધખોળ કરો

'બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા', ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય

India Pakistan Ceasefire: યુદ્ધવિરામની જાહેરાત બાદ બંને દેશોના ડીજીએમઓએ ​​સોમવારે પહેલી વાર વાતચીત કરી હતી

India Pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે શનિવારે ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાન અને ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સોમવારે (12 મે, 2025) પ્રથમ રાઉન્ડની વાતચીત થઈ હતી. પાકિસ્તાનના સંરક્ષણ સૂત્રોએ આ વાતની પુષ્ટી કરી છે અને કહ્યું છે કે ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લા અને તેમના ભારતીય સમકક્ષ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ હોટલાઇન પર એકબીજા સાથે વાત કરી હતી.

ડીજીએમઓ વચ્ચેની વાતચીતમાં બંને પક્ષો એક પણ ગોળી નહીં ચલાવવાની પ્રતિબદ્ધતા ચાલુ રાખવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી નહીં કરે. બંને પક્ષો સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર પણ સંમત થયા હતા. શનિવારે જમીન, હવા અને સમુદ્રમાં તમામ પ્રકારના ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે કરારની જાહેરાત બાદ બંને દેશોના ડીજીએમઓએ ​​સોમવારે પહેલી વાર વાતચીત કરી હતી.

સેનાના જણાવ્યા અનુસાર, એ વાત પર સહમત થયા હતા કે ભારત અને પાકિસ્તાન બંને પક્ષોએ સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આમાં, નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની ચર્ચા કરવામાં આવી હતી. આ વાતચીતમાં પાકિસ્તાને કહ્યું છે કે હવે તે આ યુદ્ધને આગળ લઇ જશે નહીં. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે નહીં. નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે 2021માં ભારત-પાકિસ્તાન ડીજીએમઓ દ્વારા એક નવો યુદ્ધવિરામ કરાર પણ કરવામાં આવ્યો હતો.

'પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને પોતાની લડાઈ લડવા માટે મજબૂર કર્યા'

સોમવારે સેનાએ ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ યોજી હતી. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું કે પહલગામ સુધી આતંકવાદીઓના પાપનો ઘડો ભરાઈ ગયો છે, કારણ કે આતંકવાદીઓ પર અમારા સચોટ હુમલાઓ LOC અને ઈન્ટરનેશનલ બોર્ડર પાર કર્યા વિના કરવામાં આવ્યા હતા. અમને સંપૂર્ણ જાણકારી હતી કે પાકિસ્તાનનો હુમલો સરહદ પારથી પણ થશે, તેથી અમે એર ડિફેન્સ માટે તૈયારીઓ કરી લીધી હતી. જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ 9-10 મેના રોજ આપણા એરફિલ્ડ્સ પર હુમલો કર્યો, ત્યારે તેઓ આ મજબૂત એર ડિફેન્સ ગ્રીડ સામે નિષ્ફળ ગયા. એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે અમે વિચારી રહ્યા હતા કે અમે આતંકવાદીઓ સામે લડી રહ્યા છીએ, પરંતુ પાકિસ્તાની સેના વચ્ચે કૂદી પડી. પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓની લડાઈને પોતાની લડાઈ બનાવી દીધી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે

વિડિઓઝ

Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
UPI થી ખોટો એકાઉન્ટમાં મોકલ્યા પૈસા ? ગભરાશો નહીં! બસ 5 મિનિટમાં આ રીતે કરો રિકવરી, જાણો પ્રોસેસ
UPI થી ખોટો એકાઉન્ટમાં મોકલ્યા પૈસા ? ગભરાશો નહીં! બસ 5 મિનિટમાં આ રીતે કરો રિકવરી, જાણો પ્રોસેસ
EPF માંથી પૈસા ઉપાડવા હવે એકદમ સરળ! 2026 માં આવશે નવી ઓનલાઈન પ્રોસેસ, જાણો ડિટેલ્સ 
EPF માંથી પૈસા ઉપાડવા હવે એકદમ સરળ! 2026 માં આવશે નવી ઓનલાઈન પ્રોસેસ, જાણો ડિટેલ્સ 
બદામને કેટલા કલાક સુધી પાણીમાં પલાળીને રાખવી, રોજ ખાવાથી શરીરમાં શું થાય ?
બદામને કેટલા કલાક સુધી પાણીમાં પલાળીને રાખવી, રોજ ખાવાથી શરીરમાં શું થાય ?
Embed widget