શોધખોળ કરો

'બોર્ડર પર ફાયરિંગ નહીં, ઓછી થશે સૈનિકોની સંખ્યા', ભારત-પાકિસ્તાન DGMO વચ્ચેની વાતચીતમાં નિર્ણય

India Pakistan Ceasefire: યુદ્ધવિરામની જાહેરાત બાદ બંને દેશોના ડીજીએમઓએ ​​સોમવારે પહેલી વાર વાતચીત કરી હતી

India Pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા માટે શનિવારે ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. પાકિસ્તાન અને ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સોમવારે (12 મે, 2025) પ્રથમ રાઉન્ડની વાતચીત થઈ હતી. પાકિસ્તાનના સંરક્ષણ સૂત્રોએ આ વાતની પુષ્ટી કરી છે અને કહ્યું છે કે ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લા અને તેમના ભારતીય સમકક્ષ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ હોટલાઇન પર એકબીજા સાથે વાત કરી હતી.

ડીજીએમઓ વચ્ચેની વાતચીતમાં બંને પક્ષો એક પણ ગોળી નહીં ચલાવવાની પ્રતિબદ્ધતા ચાલુ રાખવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. એકબીજા સામે કોઈ આક્રમક અને પ્રતિકૂળ કાર્યવાહી નહીં કરે. બંને પક્ષો સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર પણ સંમત થયા હતા. શનિવારે જમીન, હવા અને સમુદ્રમાં તમામ પ્રકારના ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે કરારની જાહેરાત બાદ બંને દેશોના ડીજીએમઓએ ​​સોમવારે પહેલી વાર વાતચીત કરી હતી.

સેનાના જણાવ્યા અનુસાર, એ વાત પર સહમત થયા હતા કે ભારત અને પાકિસ્તાન બંને પક્ષોએ સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આમાં, નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની ચર્ચા કરવામાં આવી હતી. આ વાતચીતમાં પાકિસ્તાને કહ્યું છે કે હવે તે આ યુદ્ધને આગળ લઇ જશે નહીં. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે તે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે નહીં. નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે 2021માં ભારત-પાકિસ્તાન ડીજીએમઓ દ્વારા એક નવો યુદ્ધવિરામ કરાર પણ કરવામાં આવ્યો હતો.

'પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને પોતાની લડાઈ લડવા માટે મજબૂર કર્યા'

સોમવારે સેનાએ ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગ યોજી હતી. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું કે પહલગામ સુધી આતંકવાદીઓના પાપનો ઘડો ભરાઈ ગયો છે, કારણ કે આતંકવાદીઓ પર અમારા સચોટ હુમલાઓ LOC અને ઈન્ટરનેશનલ બોર્ડર પાર કર્યા વિના કરવામાં આવ્યા હતા. અમને સંપૂર્ણ જાણકારી હતી કે પાકિસ્તાનનો હુમલો સરહદ પારથી પણ થશે, તેથી અમે એર ડિફેન્સ માટે તૈયારીઓ કરી લીધી હતી. જ્યારે પાકિસ્તાન વાયુસેનાએ 9-10 મેના રોજ આપણા એરફિલ્ડ્સ પર હુમલો કર્યો, ત્યારે તેઓ આ મજબૂત એર ડિફેન્સ ગ્રીડ સામે નિષ્ફળ ગયા. એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે અમે વિચારી રહ્યા હતા કે અમે આતંકવાદીઓ સામે લડી રહ્યા છીએ, પરંતુ પાકિસ્તાની સેના વચ્ચે કૂદી પડી. પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓની લડાઈને પોતાની લડાઈ બનાવી દીધી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
મોબાઈલ ખરીદનારા લોકોને લાગ્યો ઝટકો, આ કંપનીઓએ સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Embed widget