20 જુલાઈએ દિલ્હીમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકી હતી, જેની પોલીસ તપાસ કરી રહી છે.
'મોત થશે તો સરકાર પર દબાણ વધશે', દિલ્હીમાં પ્રદર્શન અને હિંસા સંબંધિત વોટ્સએપ ચેટ લીક
દિલ્હીમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ દરમિયાન ભડકેલી હિંસાની પોલીસ તપાસ કરી રહી છે

- દિલ્હી જંતર-મંતર પ્રદર્શન હિંસાની પોલીસ તપાસ કરી રહી છે.
- હિંસા પાછળ ષડયંત્રની શંકા, વોટ્સએપ ચેટ્સ લીક થઈ.
- ચેટ્સમાં મૃત્યુ-બલિદાન ઉશ્કેરણી, બ્લૂટૂથ એપ વાપરવા સૂચના.
- લીક ચેટ્સની સત્યતાની હજુ પુષ્ટિ થઈ નથી.
Jantar-Mantar Protest: સોમવારે (20 જુલાઈ) દિલ્હીમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ દરમિયાન ભડકેલી હિંસાની પોલીસ તપાસ કરી રહી છે. આ હિંસા પાછળ ષડયંત્રની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન રિપબ્લિકને કથિત વોટ્સએપ ગ્રુપની વાતચીત મળી છે જે 20 જુલાઈના "સંસદ ચલો" વિરોધ પ્રદર્શનની યોજનાઓ જાહેર કરે છે. ઘણા મેસેજ પરથી જાણવા મળે છે કે તૈયારીઓ શાંતિપૂર્ણ લોકશાહી પ્રદર્શન કરતાં ઘણી વધુ વ્યાપક હતી.
વોટ્સએપ ચેટ થઈ લીક
આ ચેટ્સ "JNU સંસદ ચલો કોઓર્ડિનેશન" અને "સંસદ ચલો - 20 જૂલાઈ" નામના વોટ્સએપ ગ્રુપ્સમાંથી લીક કરવામાં આવી હતી. આ લીક થયેલ ગ્રુપ ચેટ્સમાં ઘણા આઘાતજનક મેસેજ છે જે ઇરાદાપૂર્વક લોકોના જીવનને જોખમમાં મૂકવાનું કહે છે. એક મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, "ભાઈ, જો કોઈ મૃત્યુ પામે છે તો તેનાથી સરકાર પર વધુ દબાણ આવશે."
બીજા મેસેજમાં પ્રદર્શનકારીઓને ઉશ્કેરીને તેમના જીવનું "બલિદાન" આપવા માટે હાકલ કરવામાં આવી. તેમાં લખ્યું હતું, "જો તમે તમારા જીવનું બલિદાન આપવા તૈયાર છો તો તમારા બલિદાનને ભવિષ્યની પેઢીઓ યાદ રાખશે. મારો ભાઈ તે વિરોધમાં માર્યો ગયો હતો. તમને યાદ કરવામાં આવશે. આટલા બધા લોકો પોતાનો જીવ આપવા તૈયાર છે તે જાણીને આનંદ થાય છે."
આયોજન ફક્ત ભીડ એકઠી કરવા કરતાં આગળ વધી ગયું હતું. પ્રદર્શનકારીઓ સારી રીતે જાણતા હતા કે પોલીસ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ઇન્ટરનેટ બંધ કરી શકે છે અથવા નેટવર્ક જામર ઇન્સ્ટોલ કરી શકે છે. ગ્રુપમાં સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "ગઈ વખતે પોલીસે નેટવર્ક જામરનો ઉપયોગ કર્યો હતો... બ્રાયર, બિટચેટ અથવા સમાન એપ્લિકેશનો ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનો બ્લૂટૂથ સિગ્નલ પર કાર્ય કરે છે, ભલે નેટવર્ક બ્લોક હોય."
જોકે, આ લીક થયેલા વોટ્સએપ મેસેજની સત્યતા અથવા તેમને કોણે મોકલ્યા તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ પુષ્ટી મળી નથી. હવે તપાસ એજન્સીઓ પર નિર્ભર છે કે આ મેસેજ સાચા છે કે નહીં, તેમને કોણે લખ્યા છે, અને વિરોધ દરમિયાન થયેલી હિંસા સાથે તેમનો કોઈ સંબંધ હતો કે નહીં.
મંગળવારે સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસકર્તાઓ કોઈ પણ નિષ્કર્ષ કાઢતા પહેલા ચેટ્સની સત્યતા અને સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખની તપાસ કરી રહ્યા છે. પીટીઆઈને તે વોટ્સએપ ગ્રુપમાં થયેલી વાતચીતના મેસેજ મળ્યા છે. નોંધનીય છે કે હિંસામાં 118 પોલીસ કર્મચારીઓ અને 70 વિરોધીઓ ઘાયલ થયા હતા અને 15 થી 20 થી વધુ સરકારી વાહનોને નુકસાન થયું હતું.
Frequently Asked Questions
જંતર-મંતર ખાતે કઈ ઘટના બની હતી?
વિરોધ પ્રદર્શન અંગે કયા નવા પુરાવા સામે આવ્યા છે?
રિપબ્લિકને કથિત વોટ્સએપ ગ્રુપ ચેટ્સ મળી છે જે 20 જુલાઈના
શું વોટ્સએપ ચેટ્સની સત્યતાની પુષ્ટી થઈ છે?
ના, આ લીક થયેલા મેસેજની સત્યતા અથવા તેમને કોણે મોકલ્યા તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ પુષ્ટી મળી નથી. તપાસ એજન્સીઓ તેની તપાસ કરી રહી છે.






















