![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જનરલ રાવતે મધ્ય પ્રદેશ કોંગ્રેસના ક્યા ટોચના નેતાની પુત્રી સાથે કરેલાં લગ્ન ? સસરા રાજવી પરિવારના હતા...
જનરલ બિપિન રાવત ભારતીય લશ્કરના વડા રહી ચૂક્યા હતા પણ તેમના અંગત જીવન વિશે બહુ ઓછી માહિતી બહાર આવે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું સાસરું શહડોલ જિલ્લાના સોહાગપુરમાં છે.
![જનરલ રાવતે મધ્ય પ્રદેશ કોંગ્રેસના ક્યા ટોચના નેતાની પુત્રી સાથે કરેલાં લગ્ન ? સસરા રાજવી પરિવારના હતા... Know about CDS General Bipin Rawat's family - Wife Madhulika Rawat જનરલ રાવતે મધ્ય પ્રદેશ કોંગ્રેસના ક્યા ટોચના નેતાની પુત્રી સાથે કરેલાં લગ્ન ? સસરા રાજવી પરિવારના હતા...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/09/48df8fce157758c9bd8508f5f3535197_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ તમિલનાડુના કુનૂરના જંગલોમાં બુધવારે બપોરે 12:20 વાગ્યે ભારતીય લશ્કરના હેલિકોપ્ટર ક્રેશમાં દેશના પહેલા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકાનું નિધન થયું છે.
જનરલ બિપિન રાવત ભારતીય લશ્કરના વડા રહી ચૂક્યા હતા પણ તેમના અંગત જીવન વિશે બહુ ઓછી માહિતી બહાર આવે છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું સાસરું શહડોલ જિલ્લાના સોહાગપુરમાં છે. રાવતનાં પત્ની મધુલિકા સિંહ રીયાસતદાર કુંવર મૃગેન્દ્ર સિંહનાં વચલાં પુત્રી હતાં અને રાજવી પરિવારમાંથી આવનતાં હતાં. મધુલિકાનું બાળપણ રાજાબાગ નજીક પૈતૃક ઘર સોહાગપુર ગઢીમાં વિત્યું હતું.મધુલિકા રાવત ગ્વાલિયરની સિંધિયા સ્કૂલનાં વિદ્યાર્થિની રહ્યાં છે. જનરલ રાવત લશ્કરના વડા બન્યા બાદ જનરલ રાવતની સાથે મધુલિકા રાવત 3 વર્ષ પહેલાં જ સિંધિયા સ્કૂલના એક કાર્યક્રમમાં ભાગ લેવા ગ્વાલિયર ગયાં હતાં. તેમણે વધુ અભ્યાસ લખનઉ અને દિલ્હીમાં કર્યો છે.
મધુલિકાના લગ્ન જનરલ બિપિન રાવત સાથે 1985માં થયાં હતાં. મધુલિકાના પિતા મૃગેન્દ્ર સિંહ કોંગ્રેસના ટોચના નેતા હતા. સોહાગપુરથી કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારસભ્ય તરીકે ચૂંટાયા હતા. મૃગેન્દ્ર સિંહ 1967 અને 1972માં એણ બે વાર ધારાસભ્ય રહ્યા છે.દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવૈજ્ઞાનિકનો અભ્યાસ કરનારાં મધુલિકા રાવત આર્મી વાઈવ્સ વેલ્ફેર એસોસિયેશન (AWWA)નાં પ્રેસિડેન્ટ હતાં. મધુલિકા રાવત લશ્કરના જવાનોની પત્ની, બાળકો અને આશ્રિતોને આનંદ મળી રહે એ માટે કામ કરતાં હતાં. સાથે સાથે જવાનોની વિધવાઓના અધિકારો માટે પણ સતત કાર્યરત હતાં.
મેરઠ યુનિવર્સિટીમાંથી ડોકટરેટની ડીગ્રી મેળવનાર રાવતનો ઈન્દોર સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે. તેઓ મહુમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. તેમણે ડીફેવ્સ અને મેનેજમેન્ટ વિષયમાં એમ.ફિલ.ની ડીગ્રી ઈન્દોરના દેવી અહિલ્યા યુનિવર્સિટીમાંથી મેળવી હતી.મધુલિકા સિંહના ભાઈ યશવર્ધન સિંહે જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલાં જ તેમણે બનેવી જનરલ રાવત સાથે વાત કરી હતી. આ વાતચીત વખતે જનરલ રાવતે જાન્યુઆરી 2022માં શહડોલ આવવાનો વાયદો કર્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)