શોધખોળ કરો

BJPના વરિષ્ઠ નેતા અડવાણીએ કહ્યું- હું આ ચુકાદાથી ખુશ છું, મસ્જિદ માટે જગ્યા આપવાનો નિર્ણય આવકાર્ય

અડવાણીએ કહ્યું, અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણ માટે સર્વસંમતિથી જજોએ જે ચુકાદો આપ્યો છે. તેનાથી હું ખૂબ ખુશ છું. રામ જન્મભૂમિને લઈ દેશમાં જે જન આંદોલન ચાલ્યું હતું તે આઝાદીના આંદોલન બાદ સૌથી મોટું આંદોલન હતું.

નવી દિલ્હી: અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર આંદોલનમાં સામેલ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ કહ્યું કે આજે હું દેશવાસીઓની ખુશી સાથે છું. તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટેના આ ચુકાદાથી કરોડો લોકોની ભાવનાઓનું સન્માન થયું. કોર્ટના નિર્ણયને હું આવકારું છું, જેમાં જજોની બેન્ચે મસ્જિદ માટે 5 એકર જમીન આપવાનો નિર્ણય કર્યો. અડવાણીએ કહ્યું, “અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે આજે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામ મંદિરના નિર્માણ માટે સર્વસંમતિથી જજોએ જે ચુકાદો આપ્યો છે. તેનાથી હું ખૂબ ખુશ છું. રામ જન્મભૂમિને લઈ દેશમાં જે જન આંદોલન ચાલ્યું હતું તે આઝાદીના આંદોલન બાદ સૌથી મોટું આંદોલન હતું. હું ભગવાનનો આભાર માનું છું કે હું તેનો ભાગ બન્યો.” તેઓએ કહ્યું કે, ભારત અને દુનિયાભરમાં રહેનારા કરોડો હિંદુસ્તાનીઓના દિલમાં રામ જન્મભૂમિ માટે ખાસ જગ્યા છે. છેલ્લા કેટલાક દાયકાથી ચાલી રહેલા વિવાદનો અંતનો ચુકાદો છે. હવે જ્યારે અયોધ્યાના મંદિર મસ્જિદનો વિવાદનો અંત આવ્યો છે ત્યારે સમય આવી ગયો છે કે પોતાની કડવાશ છોડીને એકબીજા પ્રત્યે સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ સાથે રહો. રામ મંદિરના આંદોલનમાં હું હંમેશા આ વાત કહેતો કે “અયોધ્યામાં એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ એક શાનદાર રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થાય. સશક્ત, સંપન્ન, શાંતિપૂર્ણ, સૌહાર્દ ભર્યા રાષ્ટ્ર નિર્માણમાં જ્યાં સૌને ન્યાય મળે અને એકવાર ફરી આપણે એક મહાન ઉદ્ધેશ્ય માટે સમર્પિત થઈએ.” ઉલ્લેખનીય છે કે અડવાણીએ 90ના દાયકામાં રામ મંદિર આંદોલનને હવા આપી હતી. તેમણે ગુજરાતના સોમનાથથી લઈને અયોધ્યા સુધી રામ રથયાત્રા કાઢી હતી. અડવાણીની રથયાત્રાએ લગભગ ત્રણ દાયકા પહેલા ખૂબ ચર્ચા જગાવી હતી. અડવાણી પોતાના જોશીલા અને ધારદાર ભાષણોના કારણે હિંદુત્વના નાયક બની ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ
Rules for Displaying Flag on Car: 15 ઓગસ્ટે કાર પર તિરંગો લગાવવા ઇચ્છો છો તો પહેલા જાણો આ નિયમ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Forecast: બંગાળની ખાડીમાં લો પ્રેશરથી બદલાયું હવામાન, 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?
હવે ખાતામાં આવશે રાશનના રૂપિયા, પરંતુ 30 દિવસમાં અનાજ નહીં ખરીદો તો શું થશે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
Embed widget