શોધખોળ કરો

Ram Mandir: રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીએ આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું- નિયતિએ નક્કી કર્યું હતું કે...

Ayodhya Ram Mandir: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે નિયતિએ નક્કી કર્યું છે કે અયોધ્યામાં શ્રી રામનું મંદિર ચોક્કસપણે બનશે.

Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તેઓ હાજરી આપશે કે નહીં તે અંગેની તમામ અટકળો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ શુક્રવારે (12 જાન્યુઆરી) એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

રામ મંદિર આંદોલનના અગ્રણી ચહેરાઓ પૈકીના એક અડવાણીએ કહ્યું, "નિયતીએ નક્કી કર્યું હતું કે શ્રી રામનું મંદિર અયોધ્યામાં ચોક્કસપણે બનશે." તેમણે વધુમાં કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે, ત્યારે તેઓ આપણા ભારતના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને શ્રી રામના ગુણો અપનાવવાની પ્રેરણા આપે.

લાલ કૃષ્ણ અડવાણીએ માસિક મેગેઝિન 'રાષ્ટ્ર ધર્મ' સાથેની વાતચીતમાં કહ્યું કે, "રથયાત્રા શરૂ થયાના થોડા દિવસો પછી મને સમજાયું કે હું માત્ર એક સારથિ છું. રથયાત્રાનો મુખ્ય સંદેશવાહક પોતે રથ હતો અને પૂજા યોગ્ય એટલા માટે હતો કારણ કે તે શ્રી રામ મંદિરના નિર્માણના પવિત્ર હેતુને પરિપૂર્ણ કરવા માટે તેમના જન્મસ્થળ અયોધ્યા જઈ રહ્યો હતો. મેગેઝિન સાથે વાત કરતાં તેમણે 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનો પણ સંકેત આપ્યો હતો.

શું લાલકૃષ્ણ અડવાણી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે?

 


વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના વડા આલોક કુમારે ગુરુવારે દાવો કર્યો હતો કે રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. અડવાણી બીજેપીના સંસ્થાપક સભ્ય છે અને તેમણે 1990 ના દાયકાની શરૂઆતમાં રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.

રામવિલાસ વેદાંતીએ સીએમ યોગીને વિનંતી કરી હતી

આ અગાઉ, ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રામ મંદિર આંદોલનમાં સહભાગી, રામ વિલાસ વેદાંતીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અભિષેક સમારોહ માટે લાલ કૃષ્ણ અડવાણીને અયોધ્યા લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. રામવિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, "લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં મોટું યોગદાન આપ્યું હતું. તેમણે રામ લલ્લાને પોતાની આંખે પ્રાણ પ્રતિષ્ઠા જોવી જોઈએ. તેથી તેમને ગર્ભગૃહ સુધી લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Embed widget