શોધખોળ કરો

Ram Mandir: રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીએ આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું- નિયતિએ નક્કી કર્યું હતું કે...

Ayodhya Ram Mandir: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે નિયતિએ નક્કી કર્યું છે કે અયોધ્યામાં શ્રી રામનું મંદિર ચોક્કસપણે બનશે.

Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં તેઓ હાજરી આપશે કે નહીં તે અંગેની તમામ અટકળો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ શુક્રવારે (12 જાન્યુઆરી) એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

રામ મંદિર આંદોલનના અગ્રણી ચહેરાઓ પૈકીના એક અડવાણીએ કહ્યું, "નિયતીએ નક્કી કર્યું હતું કે શ્રી રામનું મંદિર અયોધ્યામાં ચોક્કસપણે બનશે." તેમણે વધુમાં કહ્યું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરશે, ત્યારે તેઓ આપણા ભારતના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે. હું પ્રાર્થના કરું છું કે આ મંદિર તમામ ભારતીયોને શ્રી રામના ગુણો અપનાવવાની પ્રેરણા આપે.

લાલ કૃષ્ણ અડવાણીએ માસિક મેગેઝિન 'રાષ્ટ્ર ધર્મ' સાથેની વાતચીતમાં કહ્યું કે, "રથયાત્રા શરૂ થયાના થોડા દિવસો પછી મને સમજાયું કે હું માત્ર એક સારથિ છું. રથયાત્રાનો મુખ્ય સંદેશવાહક પોતે રથ હતો અને પૂજા યોગ્ય એટલા માટે હતો કારણ કે તે શ્રી રામ મંદિરના નિર્માણના પવિત્ર હેતુને પરિપૂર્ણ કરવા માટે તેમના જન્મસ્થળ અયોધ્યા જઈ રહ્યો હતો. મેગેઝિન સાથે વાત કરતાં તેમણે 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનો પણ સંકેત આપ્યો હતો.

શું લાલકૃષ્ણ અડવાણી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે?

 


વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના વડા આલોક કુમારે ગુરુવારે દાવો કર્યો હતો કે રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે. અડવાણી બીજેપીના સંસ્થાપક સભ્ય છે અને તેમણે 1990 ના દાયકાની શરૂઆતમાં રામ મંદિર આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.

રામવિલાસ વેદાંતીએ સીએમ યોગીને વિનંતી કરી હતી

આ અગાઉ, ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રામ મંદિર આંદોલનમાં સહભાગી, રામ વિલાસ વેદાંતીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અભિષેક સમારોહ માટે લાલ કૃષ્ણ અડવાણીને અયોધ્યા લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. રામવિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, "લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં મોટું યોગદાન આપ્યું હતું. તેમણે રામ લલ્લાને પોતાની આંખે પ્રાણ પ્રતિષ્ઠા જોવી જોઈએ. તેથી તેમને ગર્ભગૃહ સુધી લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | અમેરિકાથી ઈન્ડિયાનું ડ્રગ્સ કનેક્શનHu to Bolish | હું તો બોલીશ | પરીક્ષાની સિસ્ટમ લીક!Shaktisinh Gohil: દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે, ભાજપના મળતીયાઓ હપ્તા લે છેRushikesh Patel: જવાહરભાઇ નારાજ હશે તો તેની નારાજગી દૂર કરવામાં આવશે: ઋષિકેશ પટેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
DevBhumi Dwarka: ખંભાળિયામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
IND W vs SA W 3rd ODI: અંતિમ વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું, સીરીઝમાં 3-0થી કર્યું ક્લીન સ્વીપ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Rajkot Rain: રાજકોટ જિલ્લાના જસદણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
સફેદ સાડીમાં આ અંદાજમાં ઝહીર ઈકબાલની દુલ્હન બની સોનાક્ષી સિન્હા, જુઓ કપલની પ્રથમ તસવીરો
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જમાવટ બોલાવી, સાવરકુંડલા, ધારી, લાઠી,ખાંભામાં વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath Rain: ગીર સોમનાથના તાલાલા પંથકમાં બે ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Embed widget