શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ પર પ્રથમ વખત બોલ્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, જાણો શું આપ્યું નિવેદન ?

સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એબીપી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું મુંબઈ પોલીસની ક્ષમતા, યોગ્યતા અને ઈરાદાઓ પર સવાલ ઉઠાવનારાઓની નિંદા કરુ છું.

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એબીપી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં કહ્યું મુંબઈ પોલીસની ક્ષમતા, યોગ્યતા અને ઈરાદાઓ પર સવાલ ઉઠાવનારાઓની નિંદા કરુ છું. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રથમ વખત સુશાંત સિંહ રાજપૂત મામલે વાત કરતા કહ્યું કે મુંબઈ પોલીસ આ કેસને ઉકેલવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. જો કોઈની પાસે કોઈ પૂરાવા અથવા તો જાણકારી હોય તો તેમણે મુંબઈ પોલીસ સાથે શેર કરવી જોઈએ. મુંબઈ પોલીસ આ મામલામાં જે કોઈપણ દોષી હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સુશાંતની મોત પર રાજકારણ કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 'અમે સુશાંતના પરિવારવાળા, ફેન્સની ભાવનાઓને સમજીએ છીએ. પરંતુ હું એ બધાને વિનંતિ કરુ છુ કે તેઓ ભાવનાઓને વ્યક્ત જરૂર કરે પરંતુ અજાણતા આ મુદ્દા પર રાજકારણ કરનારાઓનો હિસ્સો ન બને.' ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ પર પણ સુશાંતની મોત પર રાજકારણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે ફડણવીસ દ્વારા પોલીસની ક્ષમતા પર અવિસ્વાસ દેખાડવાનો આરોપ લગાવતા કહ્યું કે 'આજ દેવેંદ્ર જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે આજ મુંબઈ પોલીસના આધાર પર તેઓ સીએમ રહી શક્યા. તેમની પાસે આ અપેક્ષા નહોતી.' મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સુશાંત કેસ પર કહ્યું, 'જે કોઈપણ દોષી હશે, તેમને ફાંસી પર લટકાવ્યા વગર અમે ચૂપ નહી બેસીએ. પરંતુ આરોપો માત્ર રાજકારણ કરવા માટે લગાવવામાં આવી રહ્યા છે તે ખોટું છે. તેમણે કહ્યું આજ પોલીસ કોરોનાના આ સંકટકાળમાં આપણી રક્ષા કરી રહી છે. ઘણા પોલીસકર્મીઓએ જનતાની રક્ષા માટે પોતાનો જીવ આપ્યો છે અને તમે આ પોલીસવાળાઓ પર શક કરી રહ્યા છે. આવું કરનારાઓને શરમ આવવી જોઈએ.'

ટોપ સ્ટોરી

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget