![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CM Mamata Meets PM Modi: મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, જાણો ક્યાં મુદ્દાઓ પર કરી ચર્ચા
Mamata Banerjee Meets PM Modi: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
![CM Mamata Meets PM Modi: મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, જાણો ક્યાં મુદ્દાઓ પર કરી ચર્ચા Mamata Banerjee Meets PM Modi CM Mamata Meets PM Modi: મમતા બેનર્જીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત, જાણો ક્યાં મુદ્દાઓ પર કરી ચર્ચા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/110e0876417c3d37a350484541baaa571659713105_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mamata Banerjee Meets PM Modi: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સીએમ મમતાએ પીએમ મોદી સાથે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની બાકી રકમ તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ બંનેની મુલાકાત સાથે જોડાયેલી એક તસવીર ટ્વિટર પર શેર કરી છે.
West Bengal CM @MamataOfficial met PM @narendramodi. pic.twitter.com/dvkHC7G8Ky
— PMO India (@PMOIndia) August 5, 2022
આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
વડાપ્રધાનને સુપરત કરાયેલ મેમોરેન્ડમમાં, મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તેમણે ગ્રામીણ રોજગાર યોજના-મનરેગા, પીએમ-આવાસ યોજના અને પીએમ-ગ્રામીણ સડક યોજના માટે તાત્કાલિક ભંડોળ રિલીઝ કરવા અંગે ઘણી વખત હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ યોજનાઓ હેઠળ રાજ્યને ચૂકવવાપાત્ર રકમ હવે લગભગ 17,996.32 કરોડ રૂપિયા છે.
મેમોરેન્ડમ મુજબ, 31 જુલાઈ, 2022 સુધી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને બાકી રકમ આશરે રૂ. 1,00,968.44 કરોડ હોવાનો અંદાજ છે. બેનર્જીએ ઘણી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર રાજ્યોને, ખાસ કરીને વિરોધ પક્ષો દ્વારા શાસિત રાજ્યોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની ચુકવણીમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે.
Chief Minister of West Bengal Mamata Banerjee called on President Droupadi Murmu at Rashtrapati Bhavan pic.twitter.com/4rU2iNR3T7
— President of India (@rashtrapatibhvn) August 5, 2022
મમતા બેનર્જી રાષ્ટ્રપતિને મળ્યા
પીએમ મોદીને મળ્યા બાદ સીએમ મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરી હતી. આ પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા બેનર્જીએ દિલ્હીમાં પાર્ટીના સાંસદોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદના વર્તમાન સત્ર અને 2024ની લોકસભા ચૂંટણી વિશે ચર્ચા કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે બેનર્જીના ભત્રીજા અને પક્ષના મહાસચિવ અભિષેક બેનર્જી બેઠક દરમિયાન ખૂબ જ અવાજ ઉઠાવતા હતા અને સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસોમાં સાંસદોએ કયા મુદ્દા ઉઠાવવા જોઈએ તે સૂચવ્યું હતું. બંનેએ પાર્ટીના સાંસદોને સ્પષ્ટપણે કહ્યું કે ભાજપથી 'ડરવું' નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)