શોધખોળ કરો

MCD Election: સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો ભાજપના, AAP અને કોગ્રેસના કેટલા છે અમીર ઉમેદવારો?

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાવાની છે. આ માટે તમામ ઉમેદવારો પૂરા પ્રયાસો કરી રહ્યા છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાવાની છે. આ માટે તમામ ઉમેદવારો પૂરા પ્રયાસો કરી રહ્યા છે. આ ચૂંટણી જંગમાં ઉતરેલા કેટલાક ઉમેદવારો પણ કરોડપતિઓની યાદીમાં સામેલ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) નો એક રિપોર્ટ સામે આવ્યો છે. આ હિસાબે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ પાસે સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો છે. તે પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો નંબર આવે છે.

મળતી માહિતી મુજબ ટોપ-3 સૌથી અમીર ઉમેદવારોની યાદીમાં બે ઉમેદવારો ભાજપના અને એક ઉમેદવાર આમ આદમી પાર્ટીના છે. રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટીના ત્રણ ઉમેદવારો પર સૌથી વધુ દેવું છે, જ્યારે બે અપક્ષ ઉમેદવારો એવા છે જેમણે પોતાની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક અપક્ષ, એક કોંગ્રેસ અને એક BSP ઉમેદવાર પાસે સૌથી ઓછી સંપત્તિ છે.

રિપોર્ટ અનુસાર, ભાજપના 249 ઉમેદવારોમાંથી 162 (65 ટકા), આમ આદમી પાર્ટીના 248 ઉમેદવારોમાંથી 148 (60 ટકા) અને કોંગ્રેસના 245 ઉમેદવારોમાંથી 107 (44 ટકા)એ એક કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે ચૂંટણી લડી રહેલા દરેક ઉમેદવારની સરેરાશ સંપત્તિ 2.27 કરોડ રૂપિયા છે. 2017ની મ્યુનિસિપલ ચૂંટણીમાં 2,315 ઉમેદવારોમાંથી દરેકની સરેરાશ સંપત્તિ 1.61 કરોડ રૂપિયા હતી. ભાજપના 249 ઉમેદવારોમાંથી દરેકની સરેરાશ સંપત્તિ 4.04 કરોડ રૂપિયા છે, જ્યારે આમ આદમી પાર્ટીના 248 ઉમેદવારોની સંપત્તિ 3.74 કરોડ રૂપિયા છે અને કોંગ્રેસના 245 ઉમેદવારોની 1.98 કરોડ રૂપિયા છે.

બલ્લીમારાન વોર્ડમાંથી ચૂંટણી લડી રહેલા ભાજપના રામદેવ શર્માએ 66 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. જ્યારે 149-માલવીયા નગર વોર્ડમાંથી ભાજપના નંદિની શર્માએ 49.84 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. બીજી તરફ 248-કરાવલ નગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતેન્દ્ર બંસલાએ તેમની એફિડેવિટમાં 48.27 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.

ADR એ 1,336 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. તેમાંથી 556 કરોડપતિ છે. જો ટોપ-10 અમીર ઉમેદવારોની વાત કરીએ તો તેમાં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી, જ્યારે ભાજપ પાસે 5, AAPના 3 અને બે અપક્ષ ઉમેદવારો છે. 4 ડિસેમ્બરે યોજાનારી MCD ચૂંટણી માટે 1,349 ઉમેદવારો મેદાનમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget