શોધખોળ કરો

Mumbai Corona Update: મુંબઈમાં નવા વર્ષના પ્રથમ દિવસે કોરોના વિસ્ફોટ, 6 હજારથી વધુ લોકો થયા સંક્રમિત

નવા વર્ષના પહેલા દિવસે શનિવારે મુંબઈમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો આવ્યો હતો. આજે શહેરમાં 6 હજાર 347 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

Coronavirus Update: નવા વર્ષના પહેલા દિવસે શનિવારે મુંબઈમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો આવ્યો હતો. આજે શહેરમાં 6 હજાર 347 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ દરમિયાન મુંબઈમાં એક દર્દીનું મોત થયું હતું. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 451 લોકો કોરોના સંક્રમણને મ્હાત આપી છે. છેલ્લા 24 કલાકમાં જે કેસ સામે આવ્યા છે તેમાંથી 379 સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મુંબઈમાં એક્ટિવ કેસ

ઓમિક્રોનના ખતરા વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. હાલમાં શહેરમાં 22,334 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 75 હજાર 158 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે. જણાવી દઈએ કે વર્ષ 2021 ના ​​છેલ્લા દિવસે મુંબઈમાં 5,631 કેસ નોંધાયા હતા.

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોના આંકડા

31 ડિસેમ્બર 5631
30 ડિસેમ્બર 3671
29 ડિસેમ્બર 2510
28 ડિસેમ્બર 1377
27 ડિસેમ્બર 809
26 ડિસેમ્બર 922
25 ડિસેમ્બર 757
24 ડિસેમ્બર 683
23 ડિસેમ્બર 602
22 ડિસેમ્બર 490

પ્રતિબંધોની જાહેરાત

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે, મુંબઈ પોલીસે લોકોને 15 જાન્યુઆરી સુધી સાંજે 5 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી દરિયાકિનારા, ખુલ્લા મેદાનો, ફરવાના સ્થળો, બગીચાઓ અને આવા અન્ય જાહેર સ્થળોની મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો છે. તેની અસર નવા વર્ષે પણ જોવા મળી હતી અને મુખ્ય પ્રવાસન સ્થળો ખાલીખમ જોવા મળ્યા હતા.

અત્યાર સુધીમાં મહારાષ્ટ્રના 10 થી વધુ મંત્રીઓ અને લગભગ 20 ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત 

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શનિવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યના 10 થી વધુ પ્રધાનો અને ઓછામાં ઓછા 20 ધારાસભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. નોંધપાત્ર રીતે, મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડ-19ના 8,067 નવા કેસ નોંધાયા હતા, જે ગુરુવારે થયેલા ચેપના કેસો કરતાં 50 ટકા વધુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget