શોધખોળ કરો

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી

Maharashtra Election 2024: મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટી સામેલ છે. ત્રણેય પક્ષો સાથે મળીને લોકસભા ચૂંટણી લડ્યા અને એનડીએને પાછળ ધકેલી દીધું.

મહારાષ્ટ્રના વિપક્ષી જૂથ મહાવિકાસ આઘાડીમાં બેઠક વહેંચણીનું ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગયું છે. સૂત્રો અનુસાર, રાજ્યની 288 બેઠકોમાંથી 100 બેઠકો પર ઉદ્ધવ ઠાકરે અને 100 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. શરદ પવારની પાર્ટીને 84 બેઠકો અને બાકીની ચાર બેઠકો સહયોગીઓ માટે રાખવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય પાર્ટીઓ 60 ટકા બેઠકો પર સહમત છે. કેટલીક બેઠકો પર હજુ પણ મતભેદ છે પરંતુ તેને જલદીથી વાતચીત દ્વારા સુલઝાવી લેવામાં આવશે.

ખરેખર, મહાવિકાસ આઘાડીમાં બેઠક વહેંચણીમાં થઈ રહેલા વિલંબ પર તાજેતરના દિવસોમાં નિવેદનબાજી થઈ. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કોંગ્રેસ પર 'વ્યસ્ત' હોવાનો આરોપ લગાવતા વિલંબ માટે જવાબદાર ઠેરવી હતી. વિપક્ષી જૂથનો પ્રયાસ છે કે ચૂંટણી પહેલા વધુ સમય ન ગુમાવતા બેઠકોની વહેંચણી નક્કી કરી લેવામાં આવે જેથી પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં લાગી જાય.

એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસ અને શરદ પવાર સાથે જ વિધાનસભા ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીમાં પણ ત્રણેય પક્ષોની 'ત્રિપુટી'એ રાજ્યની સત્તા પર કાબિજ એનડીએની બેઠકોમાં ગાબડું પાડ્યું. આ પરિણામો પછીથી જ એમવીએના હોંસલા બુલંદ છે.

2019 વિધાનસભા ચૂંટણીના પરિણામો

મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. 2019માં રાજ્યની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. ભાજપ 164 બેઠકો પર લડી અને 105 બેઠકો પર જીતવામાં સફળ રહી. શિવસેના (અવિભાજિત) 126 બેઠકો પર લડી અને 56 બેઠકો પર પાર્ટીને સફળતા મળી. એનસીપીએ 121 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. આમાંથી પાર્ટીને 54 બેઠકો પર જીત મળી હતી. કોંગ્રેસના 147 ઉમેદવારોમાંથી 44 નેતાઓ જ ધારાસભ્ય બન્યા.

આ વખતની વિધાનસભા ચૂંટણી રસપ્રદ હશે. શિવસેનામાં બે ફાડ થઈ ચૂક્યા છે. એનસીપી પણ બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. કોંગ્રેસના પણ ઘણા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. આવી સ્થિતિમાં એમવીએ અને એનડીએ બંને જ જૂથો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાની લડાઈ માનવામાં આવી રહી છે.

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેના શાનદાર પ્રદર્શન બાદ કોંગ્રેસ મુંબઈમાં વધુ બેઠકો જીતવાની આશા રાખી રહી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ 13 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)એ 9 અને NCP (SP)એ 8 બેઠકો જીતી છે.

આ પણ વાંચોઃ

નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget