શોધખોળ કરો

નિર્ભયા કેસ: ફાંસી અટકાવવા મોડી રાત સુધી ચાલ્યો ડ્રામા, એક કોર્ટથી બીજી કોર્ટ દોડતાં રહ્યાં આરોપીના વકીલ

દોષિતોને 15 લોકોની ટીમની દેખરેખમાં ફાંસી આપવામાં આવી. મળતી જાણકારી મુજબ, ફાંસી આપ્યા બાદ અડધા કલાક સુધી તેમને ફાંસીના માંચડે જ લટકાવી રાખવામાં આવ્યા.

નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજા રોકવા માટે ગુરૂવાર બપોરે છેલ્લો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે રાતે લગભગ સાડા ત્રણ વાગે ખતમ થઈ હતી. તે એ સમય જ્યાર સુપ્રિમ કોર્ટે આરોપી પવન ગુપ્તા તરફથી બન્ને અરજી રદ્દ કરી દીધી હતી. પવન તરફી રજૂ થયેલા વકીલ એપી સિંહે એક પિટિશનમાં 2012માં નિર્ભયાની સાથે થયેલા કૃત્ય સમયે પવન સગીર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જ્યારે બીજી અરજીમાં પવનની દયા અરજી રાષ્ટ્રપતિ તરફથી ફગાવી દેવામાં આવી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે પવનના વકીલ એપી સિંહની દલીલોને ખોટી ગણાવીને અરજી ફગાવી દીધી હતી. લગભગ 9:45 વાગે નિર્ભયાના આરોપીના વકીલ એપી સિંહ દિલ્હી હાઈકોર્ટ આવી રહ્યાં હતાં. તે દરમિયાન નિર્ભયાના માતા-પિતા પણ હાઈકોર્ટ તરફ આગળ વધ્યા હતાં. થોડીવારમાં જ એપી સિંહે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરીને રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવી દેવાનો નિર્ણયને ચેતવણી આપી હતી. તેમણે મીડિયાને કહ્યું હતું કે, તેમણે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બન્ને જગ્યાએ આવેદન કર્યું હતું. થોડીવારમાં જ હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થશે. લગભગ 10:15 વાગે દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંજય નરૂલાની ડિવિજન બેંચમાં એપી સિંહની અરજી પર સુનાવણી શરૂ કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના આરોપીના વકીલ એપી સિંહને પૂછવામાં આવ્યું કે કોઈ એફિડેવિટ નથી ને, કોઈ એન્ક્સર નથી ને, કોઈ મેમો નથી ને. આ મામલમાં કંઈ થશે નહીં. શું તમારી પાસે અરજી દાખલ કરવાની અનુમતિ છે? આની પર એપી સિંહે કહ્યું હતું કે, કોરોના વાયરસના કારણે કોઈ ફોટોકોપી મશીન કામ કરી રહ્યું નથી. કોર્ટે કહ્યું હતું કે, તમે આજે 3 કોર્ટમાં જઈને આવ્યા છે. હવે તમે એ નહીં શકતાં કે આવી નાની તકલીફો પડી રહી છે. આજે 10 વાગે રાતે અમે તમારી વાતો સાંભળી રહ્યાં છીએ. આરોપીના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, રાષ્ટ્રીય માનવાધિકાર અયોગની સામે પણ એક અરજી પેન્ડિગ છે. આટલી બધી અરજી પેન્ડિંગ હોવાના કારણે ફાંસી કેવી રીતે આપી શકાય. રાતે લગભગ 10:47 વાગે દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના આરોપીઓના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, સમય વેડફાઈ રહ્યો છે, વધારે સમય નથી. તમારા ક્લાયન્ટનો ભગવાન સાથે મળવાનો સમય નજીક આવી રહ્યો છે. જો તમે છેલ્લે ઘડીએ મહત્વપૂર્ણ વાતો નહીં કરો તો અમે તમારી મદદ નહીં કરી શકીએ. તમારે પાસ ફક્ત 4થી 5 જ કલાક છે. જો કોઈ દલીલ છે તો કરો. વકીલ એપી સિંહે નિર્ભયાના આરોપીની ફાંસી અટકાવવા માટે દિલ્હી હાઈકોર્ટની સામે તેની ગરીબીવાળી પૃષ્ઠભૂમિનો હવાલો આપ્યો. રાતે 11:05 વાગે દિલ્હ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, સિસ્ટમની સાથે રમત રમવામાં આવી રહી છે. અઢી વર્ષ અરજી દાખલ કરવામાં લાગ્યા, આ કોઈ ષડયંત્ર લાગે છે. રાતે 11.30 વાગે નિર્ભયાના આરોપીના એક અન્ય વકીલે શમ્સ ખ્વાજાને દિલ્હી હાઈકોર્ટમાં પોતાની દલીલો કરવાની શરૂ કરી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, યૌન ઉત્પીડનની ઘટનામાં મોતની સજા મળેલ લોકો પર દયા ખાવાની જરૂર નથી. લગભગ 12.05 વાગે દિલ્હી હાઈકોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી હતી. લગભગ 12.20 વાગે વકીલ એપી સિંહે કોર્ટની બહાર નિકળ્યાં અને મીડિયાને કહ્યુ હતું કે, નિર્ભયા કેસમાં નિર્ણય તો થઈ રહ્યો છે, પરંતુ ન્યાય મળી રહ્યો નથી. કોર્ટના આદેશની કોપી મળતાંની સાથે જ તેઓ સુપ્રીમ કોર્ટ જશે. રાતે 1.35 વાગે આરોપીઓના વકીલ એપી સિંહની દવઈ નગરમાં આવેલ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારના ઘરે પહોંચ્યા હતાં. સુપ્રીમ કોર્ટ તરફથી સુનાવણી માટે રાતે 2.30 વાગેનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. આની વચ્ચે નિર્ભયાના પરિવારજનો પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતાં. 2.50 વાગે સુનાવણ દરમિયાન પવન ગુપ્તા તરફથી સુપ્રિમ કોર્ટમાં રજુ થયેલા વકીલ એપી સિંહે દાવો કર્યું હતું કે, આ ઘટના સમયે પવન સગીર હતો. તેણે સ્કૂલનું સર્ટિફિકેટ, સ્કૂલ રજિસ્ટર અને અટેન્ડેન્સ રજિસ્ટર બતાવ્યા હતાં. સુપ્રિમ કોર્ટના જસ્ટિસ ભૂષણે કહ્યું હતું કે, તેમણે પહેલા પણ કોર્ટમાં આ દસ્તાવેજો બતાવ્યા હતાં. જસ્ટિસ ભૂષણે એ પણ પૂછ્યું હતું કે, વકીલ એપી સિંહ કયા આધાર પર મર્સી પિટિશન ફગાવવાની ચેતવણી આપી રહ્યાં છે. એપ સિંહે કોર્ટને કહ્યું હતુંકે, મને ખબર છે કે તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવશે, પરંતુ શું બે-ત્રણ કલાક ફાંસી ટાળી શકાય નહીં કારણે પવન ગુપ્તાનું નિવેદન દાખલ કરાવી શકાય. નિર્ભયા કેસ: ફાંસી અટકાવવા મોડી રાત સુધી ચાલ્યો ડ્રામા, એક કોર્ટથી બીજી કોર્ટ દોડતાં રહ્યાં આરોપીના વકીલ રાતેલગભગ 3.10 વાગે સુપ્રિમ કોર્ટે આરોપી પવન ગુપ્તા ઘટના સમયે સગીર હોવાની અરજી ફગાવી દીધી હતી. આગામી 5 મીનિટની અંદર એટલે લગભગ 3.15 લાગે જ રાષ્ટ્રપતિ તરફથી પવનની દયા અરજી ફગાવવા પર કરવામાં આવેલ ચેતણવી વાળી અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. લગભગ 3.35 વાગે નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું હતું કે, હું બધાંનો આભાર માનું છું. ભારતની છોકરીને લડાઈમાં અંતે ન્યાય મળ્યો. અમે આ ઘટના અંગે કોર્ટમાં વિલંબ કરવાની કોશિષ કરી પરંતુ દરેક જગ્યાએ કોર્ટમાં અરજી ફગાવી દેવામાં આવી. હું રાષ્ટ્રપતિનો પણ આભાર માનુ છું. તે મારી પુત્રી નહોતી પણ આખા દેશની પુત્રી હતી. આજનો સુરજ દેશની છોકરીઓના નામે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
હિમાશી ખુરાના બાદ કેનેડામાં હવે શિવાંક અવસ્થીની હત્યા, ટોરન્ટો યુનિવર્સિટી પાસે થયું ફાયરિંગ
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
1 જાન્યુઆરી 2026 થી બદલાશે આ 5 મોટા નિયમો, જો તમે નહીં જાણતા હોવ તો થશે મોટું નુકસાન
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Embed widget