શોધખોળ કરો

No Confidence Motion: વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં રદ

No Confidence Motion: મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' દ્વારા લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં રદ થયો છે. તો બીજી તરફ પીએમ મોદીના સંબોધન વચ્ચે જ વિપક્ષી દળોએ સદનમાંથી લોક આઉટ કર્યું હતું.

No Confidence Motion: મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' દ્વારા લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં રદ થયો છે. તો બીજી તરફ પીએમ મોદીના સંબોધન વચ્ચે જ વિપક્ષી દળોએ સદનમાંથી લોક આઉટ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. જેમાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ પહેલા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવની એ શક્તિ છે કે અમે પીએમ મોદીને ગૃહમાં ખેંચી લાવ્યા.

 

ગુરૂવારે (10 ઓગસ્ટ) લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ ગયો છે. કેન્દ્ર સરકારે ધ્વનિ મતથી અવિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. "2018 માં, સદનના નેતા તરીકે, મેં તેમને 2023 માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કાર્ય સોંપ્યું હતું. હવે હું તેમને 2028 માં લાવવાનું કામ આપી રહ્યો છું, પરંતુ ઓછામાં ઓછી થોડી તૈયારી કરીને આવો. જેથી જનતાને લાગે કે કમ સે કમ તે વિરોધને લાયક છે.

 

તમને જણાવી દઈએ કે 2018માં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે વિપક્ષ 2023માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. હવે પીએમ મોદીએ ફરી એકવાર 2024ની ચૂંટણીમાં જીતના તમામ રેકોર્ડ તોડવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે વિપક્ષ 2028માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

PM મોદીનો 'INDIA' પર કટાક્ષ

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ ગઠબંધન ' INDIA ' પર પ્રહારો કર્યા અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતાં વિપક્ષી ગઠબંધન ' INDIA ' પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)નો ક્રિયાકર્મ કરી દીધું. પીએમ મોદીએ કહ્યું કે,દોઢ બે દશક જુની યૂપીએનો ક્રિયાક્રમ અંતિમ સંસ્કાર કરી દીધો. લોકતાંત્રિક વ્યવહાર મુજબ મારે સંવેદના વ્યક્ત કરવી જોઇએ. જો કે સંવેદનના વ્યક્ત કરવામાં વિલંબ થયો તે મારો દોષ  નથી કારણ કે આપ ખુદ જ એક બાજુ યુપીએનો ક્રિયાક્રર્મ કરતા હતો અને બીજી તરફ જશ્ન મનાવી રહ્યાં હતા.

તો બીજી તરફ નામ લીધા વિના પીએમ મોદીએ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. વિપક્ષને ગરીબોની ભૂખની ચિંતા નથી. વિપક્ષના એક-એક શબ્દને દેશ ધ્યાનથી સાંભળે છે. વિપક્ષે હંમેશા દેશને નિરાશા સિવાય કઈ નથી આપ્યું. વિપક્ષે અધિર રંજનને નજરઅંદાજ કર્યા. કોંગ્રેસ વારંવાર વિપક્ષ નેતાનું અપમાન કરે છે. કોંગ્રેસ વારંવાર અધિરનું અપમાન કરે છે. તેઓ ગોળને ગોબર કરવામાં માહિર છે. અમે સંકલ્પોને સિદ્ધિ સુધી લઈ જઈશું. 2014-19માં પૂર્ણ બહુમત સાથે સરકાર બની હતી. અવિશ્વાસ પ્રસ્તાવની આડમાં જનતાના આત્મવિશ્વાસને તોડવાનો નિષ્ફળ પ્રયાસ છે. દુનિયાનો ભારત પર વિશ્વાસ વધ્યો છે. હાલમાં ગરીબી ઝડપથી ઓછી થઈ રહી છે. ભારતમાં રેકોર્ડબ્રેક વિદેશી રોકાણ થયા છે. IMFએ ભારતના વખાણ કર્યા છે. ભારતની ઉપલબ્ધિ પર વિપક્ષને અવિશ્વાસ છે. અવિશ્વાસ અને ઘમંડ વિપક્ષના લોહીમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ, કોના તરફ ઈશારો?
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ, કોના તરફ ઈશારો?

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Embed widget