શોધખોળ કરો

Odisha Train Accident: 'ટિકિટ વગર મુસાફરી કરનારા મુસાફરોને પણ મળશે સહાય' રેલવેએ કર્યો મોટો નિર્ણય

રેલવેએ રવિવારે (4 જૂન) કહ્યું કે જેઓ ટિકિટ વગર મુસાફરી કરી રહ્યા હતા તેઓ પણ ઓડિશામાં અકસ્માત પીડિતોમાં સામેલ છે.

Railway Compensation For Death: રેલવેએ રવિવારે (4 જૂન) કહ્યું કે જેઓ ટિકિટ વગર મુસાફરી કરી રહ્યા હતા તેઓ પણ ઓડિશામાં અકસ્માત પીડિતોમાં સામેલ છે. ટિકિટ વગરના મુસાફરોને પણ સહાય આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ કરવામાં આવશે.

રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, મુસાફરો પાસે ટિકિટ હોય કે ન હોય, તેમને સહાય આપવામાં આવશે.  રેલ્વે બોર્ડના ઓપરેશન્સ મેમ્બર જયા વર્મા સિન્હાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા દરેક ઘાયલ મુસાફરની સાથે સ્કાઉટ અથવા ગાઈડ હોય છે, જે તેના નજીકના સંબંધીઓને શોધવામાં મદદ કરે છે.

139 પર વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે

જયા વર્મા સિન્હાએ કહ્યું કે હેલ્પલાઈન નંબર 139 પર રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે અને શક્ય તેટલા લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘાયલ અથવા મૃતકોના પરિવારના સભ્યો અમને ફોન કરી શકે છે અને અમે ખાતરી કરીશું કે તેઓ તેમને મળી શકે. અમે તેમની મુસાફરી અને અન્ય ખર્ચાઓનું ધ્યાન રાખીશું. 


મૃત્યુના કિસ્સામાં 10 લાખ રૂપિયા

રેલવેએ એમ પણ કહ્યું હતું કે 139 સેવા અવિરત ચાલુ રહેશે અને રેલવે મંત્રી દ્વારા જાહેર કરાયેલા સહાયની રકમ  મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ, ગંભીર ઇજાઓ માટે રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાઓ માટે રૂ. 50,000 આપવામાં આવશે.

રેલવેના જણાવ્યા અનુસાર ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતના બે દિવસ બાદ અનેક મુસાફરોના પરિવારજનો તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. ઘટનાસ્થળે રાહત બચાવ કાર્ય સતત ચાલુ છે. આ અકસ્માતમાં 1100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. 

બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ હવે CBIના હવાલે

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયાના દિવસો બાદ હવે સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. રેલવે મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી બાદ રેલવે બોર્ડ દ્વારા સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ પાસાને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી જે પણ વહીવટી માહિતી પ્રાપ્ત થઈ છે તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે ભલામણ કરી છે કે, સીબીઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
Advertisement

વિડિઓઝ

Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Amreli Rain : અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર સર્જાયા નદી જેવા દ્રશ્યો, જુઓ અહેવાલ
Hathmati Dam: હિંમતનગરનું હાથમતી જળાશય છલકાયું, ડીપ પર ફરી વળ્યા પાણી, જુઓ અહેવાલ
Shamlaji Rain : શામળાજીમાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી, જુઓ અહેવાલ
Chhotaudaipur Rain: છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
બોયકોટની માંગ વચ્ચે 15 લાખમાં વેચાઈ રહી છે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, 14 સપ્ટેમ્બરે જામશે જંગ
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
શું ભાજપ અને RSS વચ્ચે ચાલી રહ્યો છે ઝઘડો? મોહન ભાગવતે કર્યો મોટો ખુલાસો
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
ઉમરપાડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Chota Udaipur Rain: હવામાનની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ 
Embed widget