Operation Sindoor: પાકિસ્તાન અને POKમાં ભારતે લગભગ 900 આતંકવાદીઓ પર છોડી મિસાઇલો, નષ્ટ કર્યા લોન્ચ પેડ
લશ્કર-એ-તૌયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના લગભગ 900 આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ભારતીય સેનાએ પાકિસ્તાની ધરતીથી ભારત વિરુદ્ધ કાવતરું ઘડનારા આતંકવાદી આકાઓના લોન્ચ પેડ્સનો નાશ કર્યો છે. 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર વારંવાર હુમલા કર્યા અને તેમને નષ્ટ કર્યા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૌયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના લગભગ 900 આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 26 પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી તેનાથી સમગ્ર ભારત ગુસ્સે ભરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ધરતી પરથી જાહેરાત કરી હતી કે હુમલામાં સામેલ આતંકવાદીઓ અને તેમના મદદગારોને ધરતીના અંતિમ છેડાથી પણ ઉખેડી નાખવામાં આવશે અને પહલગામ હુમલાના બરાબર 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું.
જ્યાં હુમલો થયો ત્યાં કેટલા આતંકવાદીઓ હાજર હતા
બહાવલપુર - 250થી વધુ
મુરીદકે - 120થી વધુ
મુઝફ્ફરાબાદ - 110-130થી વધુ
કોટલી - 75-80
ગુલપુર – 75-80
ભીમ્બર - 60
ચક અમરુ – 70-80
સિયાલકોટ – 100
કયા આતંકવાદી સંગઠનનું ઠેકાણું ક્યાં હતું?
બહાવલપુરમાં મરકઝ સુભાન અલ્લાહમાં જૈશ-એ-મોહમ્મદનો અડ્ડો
મુરીદકેમાં મરકઝ તૈયબા લશ્કર-એ-તૌયબાનો અડ્ડો
તહરા કલાંના સરજલમાં જૈશ-એ-મોહમ્મદનો અડ્ડો
સિયાલકોટના મેહમૂના જોયામાં હિઝબુલ મુજાહિદ્દીનનો અડ્ડો
બરનાલાના મરકઝ અહલે હદીતમાં લશ્કર-એ-તૈયબાનું અડ્ડો
કોટલીના મરકઝ અબ્બાસમાં જૈશ-એ-મોહમ્મદનો અડ્ડો
કોટલીના મસ્કર રાહીલ શાહિદમાં હિઝબુલ મુજાહિદ્દીનનો અડ્ડો
મુઝફ્ફરાબાદના શવાઈ નલ્લા કેમ્પમાં લશ્કર-એ-તૈયબાનો અડ્ડો
મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ કેમ્પમાં જૈશ-એ-મોહમ્મદનો અડ્ડો
આ હુમલા અંગે ભારતે કહ્યું કે આ કાર્યવાહી 'કેન્દ્રિત અને સચોટ' હતી. ભારતે એમ પણ કહ્યું હતું કે તેની પાસે વિશ્વસનીય સંકેતો અને પુરાવા છે જે પહલગામ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની સંડોવણીના સ્પષ્ટ સંકેત આપે છે. આ ચોક્કસ હુમલાઓ પછી ભારતે વિશ્વના ઘણા દેશોનો સંપર્ક કર્યો અને તેમના વરિષ્ઠ અધિકારીઓને પાકિસ્તાન સામે આતંકવાદ વિરોધી કાર્યવાહી વિશે માહિતી આપી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે યુએસ NSA અને વિદેશ સચિવ માર્કો રુબિયો સાથે વાત કરી અને તેમને લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી.





















