શોધખોળ કરો

PM Modi Cabinet:  સફેદ કુર્તા અને લીલા ગમછામાં  જયંત ચૌધરીએ અંગ્રેજીમાં લીધા શપથ 

નરેન્દ્ર મોદીએ રવિવારે (9 જૂન, 2024) સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા. આ સાથે આ શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રીય લોક દળ (RLD) ના પ્રમુખ જયંત ચૌધરીએ સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા.

PM Modi Swearing-In Ceremony: નરેન્દ્ર મોદીએ રવિવારે (9 જૂન, 2024) સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા. આ સાથે આ શપથ ગ્રહણ સમારોહમાં રાષ્ટ્રીય લોક દળ (RLD) ના પ્રમુખ જયંત ચૌધરીએ સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા. જયંત ચૌધરીએ અંગ્રેજીમાં શપથ લઈને બધાને ચોંકાવી દીધા, આ દરમિયાન આરએલડી ચીફ સફેદ કુર્તા અને લીલા ગમછામાં જોવા મળ્યા.  RLD ચીફ જયંત ચૌધરીએ NDA સરકારમાં સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે.

રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરીને તેમના પિતા પાસેથી વારસામાં મળેલી પાર્ટી ઉત્તર પ્રદેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા ધરાવે છે. જયંત ચૌધરીનો સમગ્ર ઉત્તર પ્રદેશ રાજ્યમાં નહીં પરંતુ રાજ્યના પશ્ચિમ ભાગમાં ઘણો પ્રભાવ છે. જયંત ચૌધરી 15મી લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ મથુરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. વિદેશમાં અભ્યાસ કર્યા બાદ દેશની રાજનીતિમાં મજબૂત ઓળખ ધરાવતા નેતા ગણાતા જયંત ચૌધરીએ તેમના પિતા અજીત ચૌધરીના અવસાન બાદ તેમની પાર્ટી રાષ્ટ્રીય લોકદળની બાગડોર સંભાળી હતી.

ઉત્તર પ્રદેશમાં જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોક દળ (RLD) એ બે ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને બંને જીત્યા હતા. બાગપતથી રાજ કુમાર સાંગવાન અને બિજનૌરથી ચંદન ચૌહાણ. બંનેની જીતનું માર્જિન પણ સારું હતું.

જયંત ચૌધરી પાસે રાષ્ટ્રીય લોકદળની કમાન છે. તેમણે પિતા અજીત ચૌધરી બાદ પાર્ટીની કમાન સંભાળી છે. પિતા અજીત ચૌધરીનું વર્ષ 2021માં અવસાન થયું હતું, ત્યારબાદ પાર્ટીના નેતાઓએ સર્વસંમતિથી જયંત ચૌધરીને અધ્યક્ષ બનાવ્યા હતા.

વિદેશની ધરતી પર જન્મેલા જયંત ચૌધરીની શૈક્ષણિક લાયકાત પણ ઊંચી છે. તેણે 2002 માં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું. જયંત ચૌધરીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

જયંત ચૌધરીની પારિવારિક પૃષ્ઠભૂમિ શું છે ?

જયંત ચૌધરીનો પરિવાર ઉચ્ચ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે. જયંતનો જન્મ 27 ડિસેમ્બર 1978ના રોજ ડલ્લાસ, ટેક્સાસ, યુએસમાં થયો હતો. તેમના પિતા અજીત ચૌધરી પણ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે, જેમણે રાષ્ટ્રીય લોકદળનો પાયો નાખ્યો હતો. જયંતના દાદા ચૌધરી ચરણ સિંહ હતા, જેમણે દેશના 5મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જયંતના લગ્ન 2003માં ચારુ ચૌધરી સાથે થયા હતા. જયંતને બે દીકરીઓ છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
Advertisement

વિડિઓઝ

Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
Embed widget