શોધખોળ કરો

PM Modi: પીએમ મોદી કહ્યું -1984માં કોંગ્રેસના વાવાઝોડામાં અમે ઉડી ગયા પરંતુ...

ભાજપ મુખ્યાલયના વિસ્તરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માટે વડાપ્રધાન મોદી પોતે દિલ્હીમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા હતાં.

ભાજપ મુખ્યાલયના વિસ્તરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માટે વડાપ્રધાન મોદી પોતે દિલ્હીમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા હતાં. આ દરમિયાન પીએમ મોદી આ ઓફિસ બનાવનાર તમામ મજૂરોને પણ મળ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી ઓફિસમાં પૂજા-અર્ચના કરી હતી. સાથે જ તેમણે વિરોધ પક્ષો તેમાં પણ ખાસ કરીને કોંગ્રેસ પર આકારા પ્રહારો કર્યાં હતાં.

પાર્ટીના આ કાર્યક્રમમાં ભાજપના પ્રેરક દીનદયાલ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભાજપના કાર્યકરો માટે રહેવાની વ્યવસ્થા

ભાજપ કાર્યાલયનું વિસ્તરણ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે, જો પાર્ટીનો રાષ્ટ્રીય સ્તરનો કાર્યકર બહારથી દિલ્હી આવે છે તો તે તેમાં રહી શકે છે. આ ઉપરાંત આજે દિલ્હી ભાજપ કાર્યાલયનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. જાહેર છે કે, દિલ્હી બીજેપીનું કાર્યાલય પણ કેન્દ્રીય કાર્યાલયની નજીક બનાવવામાં આવી રહ્યું છે.

'ઓફિસનો આત્મા અમારો કાર્યકર'

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. કેન્દ્રીય કાર્યાલયના વિસ્તરણ માટે ભાજપના કાર્યકરોને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ કાર્યાલયનો આત્મા આપણા કાર્યકર્તાઓ છે. આ માત્ર ઈમારતનું વિસ્તરણ નથી, દરેક કામદારના સપનાનું વિસ્તરણ છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, જનસંઘની શરૂઆત જ્યારે દિલ્હીમાં અજમેરી ગેટ પાસેની એક નાની ઓફિસથી થઈ હતી. તે સમયે અમે દેશ માટે મોટા સપનાઓ સાથે નાની પાર્ટી હતા. પીએમે કહ્યું હતું કે, આપણે એ પાર્ટી છીએ જેણે ઈમરજન્સી દરમિયાન પોતાની પાર્ટીનું બલિદાન આપ્યું હતું. આ દરમિયાન પીએમએ કહ્યું હતું કે, આપણે એ પાર્ટી છીએ જેણે બે લોકસભા સીટથી સફર શરૂ કરી હતી અને આજે (2019ની લોકસભા ચૂંટણીમાં) અમે 303 સીટોવાળી પાર્ટી છીએ.

1984માં કોંગ્રેસની આંધીમાં અમારો સફાયો થઈ ગયો હતો પણ

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, 1984ના રમખાણો બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને જંગી બહુમતી મળી હતી. તે ભાવનાત્મક રૂપે આવેશિત વાતાવરણ હતું અને અમે તે તોફાનમાં લગભગ નાશ પામ્યા હતા. જો કે, અમે ક્યારેય આશા ગુમાવી નથી. અમે જમીન પર કામ કર્યું અને અમારા સંગઠનને મજબૂત બનાવ્યું.

યુવાનોને તક આપે છે ભાજપ

પરિવાર દ્વારા ચાલતી પાર્ટીઓમાં ભાજપ એક એવો પક્ષ છે જે યુવાનોને આગળ આવવાની તક આપે છે. આજે ભારતની માતાઓ અને બહેનોના આશીર્વાદ ભાજપ સાથે છે. PMએ કહ્યું કે, BJP માત્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી નથી પણ સૌથી ભવિષ્યની પાર્ટી પણ છે.

 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
1 જાન્યુઆરીથી બદલાઈ જશે UPI, પીએમ કિસાન, આધાર-પાન સંબંધિત આ નિયમો, સામાન્ય લોકો પર શું થશે અસર
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
JEE Advanced 2026નું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર,જાણો ક્યારથી શરૂ કરી શકશો રજિસ્ટ્રેશન?
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
Embed widget