શોધખોળ કરો

રાજ્યસભામાં હાજર ન રહેતા BJP સાંસદો પર PM મોદીએ નારાજગી વ્યક્ત કરી, ગેરહાજર રહેતા સાંસદોની યાદી માંગી

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં ભાજપના મોટાભાગના સદસ્યોના ગેરહાજર રહેવાને લઈ આજે નારાજગી વ્યક્ત કરી છે.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં ભાજપના મોટાભાગના સદસ્યોના ગેરહાજર રહેવાને લઈ આજે નારાજગી વ્યક્ત કરી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ, ભાજપ સંસદીય દળની બેઠકમાં નારાજગી વ્યક્ત કરતા પીએમ મોદીએ ગેરહાજર રહેતા તમામ સાંસદોની યાદી માંગી છે જે કાલે અધિકરણ સુધાર બિલ 2021 દરમિયાન સદનમાં ગેરહાજર રહ્યા હતા.

રાજ્યસભામાં સોમવારે સંક્ષિપ્ત ચર્ચા બાદ વિપક્ષી સદસ્યોના હંગામા વચ્ચે અધિકરણ સુધાર બિલ 2021ને મંજૂરી આપી દિધી છે. આ બિલમાં ચલચિત્ર કાયદો, સીમા શૂલ્ક કાયદો, વ્યાપાર ચિન્હ કાયદો સહિત ઘણા કાયદામાં સંશોધન કરવાના પ્રસ્તાવ કરવામાં આવ્યા છે.

વિપક્ષે આ બિલને પ્રવર સમિતિ પાસે મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો અને બાદમાં તેના ઉપર મતવિભાજનની માંગ કરી. પરંતુ મતવિભાજનમાં સદનમાં 44ને મુકાબલે 79 મતોથી વિપક્ષના આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો. રાજ્યસભામાં હાલમાં ભાજપના કુલ 94 સદસ્યો છે. પ્રધાનમંત્રી મોદી ભાજપ સાંસદોને સદનમાં ઉપસ્થિત રહેવા માટે સતત કહેતા રહે છે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે ભાજપ સંસદીય દળની બેઠકમાં ઓલિમ્પિક મેડલ વિજેતાઓનું ઉભા થઈને સન્માન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીએ પાર્ટીના સાંસદોને પોતાના મતક્ષેત્રોમાં વધુમાં વધુ લોકોને રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા, પ્રોષણ અભિયાન અને પ્રધાનમંત્રી ગરબી કલ્યાણ યોજનાને વધારવા માટે પણ સૂચનો કર્યા હતા.

દેશભરમાં NRC લાગુ કરવાનો હાલમાં કોઈ નિર્ણય નહીં, ગૃહ મંત્રાલયે સંસદમાં આપી જાણકારી

કેન્દ્ર સરકારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) ને સમગ્ર દેશમાં લાગુ કરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ માહિતી સંસદમાં ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે વસ્તી નોંધણી (એનપીઆર) ને અપડેટ કરવાનું કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે NRC ને લઈને દેશવ્યાપી પ્રદર્શન જોવા મળ્યા હતા.


ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આવા અનેક સવાલોના જવાબ આપ્યા હતા. વસ્તી ગણતરી 2021 પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે હાલમાં જાતિના આંકડા જાહેર કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. આગામી વસ્તી ગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. ડેટા એકત્ર કરવા માટે મોબાઇલ એપ અને સેન્સસ પોર્ટલ વિકસાવવામાં આવ્યા છે.


અન્ય એક સવાલના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, "ઓગસ્ટ 2019 થી અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરની બહારથી માત્ર બે જ લોકોએ મિલકતો ખરીદી છે. હવે બહારના લોકો અથવા સરકારને જમ્મુ -કાશ્મીરમાં જમીન ખરીદવા માટે કોઈપણ પ્રકારની મુશ્કેલ પ્રક્રિયાઓનો સામનો કરવો પડતો નથી. તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35-A નાબૂદ કરવામાં આવી હતી.


બીજી બાજુ, કોંગ્રેસે લોકસભામાં OBC સંબંધિત સુધારા બિલને ટેકો આપ્યો છે. તે જ સમયે, કોંગ્રેસે કહ્યું કે કેન્દ્ર સરકારે અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવાનું વિચારવું જોઈએ જેથી મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય અને અન્ય ઘણા રાજ્યોના લોકોને તેનો લાભ મળી શકે. કોંગ્રેસના નેતાએ તેમની પાર્ટીની સરકારો દરમિયાન ઓબીસી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કરવામાં આવેલા કામનો ઉલ્લેખ કર્યો હતો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
Embed widget