PM Modi UNGA Speech Live: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું - આતંકવાદ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ન થવો જોઈએ
પીએમ નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 76 માં સત્રને સંબોધિત કરશે. તેઓ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે,
Background
પીએમ નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 76 માં સત્રને સંબોધિત કરશે. તેઓ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે, જેમાં COVID-19 વૈશ્વિક મહામારી, આતંકવાદ સામે લડવાની આવશ્યકતા, જલવાયુ પરિવર્તન અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ સહિત વૈશ્વિક પડકારો તરફ ધ્યાન આર્કષિત કરશે.
નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું
પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે જે દેશો આતંકવાદને રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે.
અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંક ફેલાવવા માટે ન થવો જોઈએ: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંક ફેલાવવા અને આતંકવાદી હુમલાઓ માટે ન થાય.





















