શોધખોળ કરો

Poonch Attack: પુંછમાં સેનાના વાહન પર થયેલા હુમલાને લઈ થયો મોટો ખુલાસો

આ મામલામાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હુમલાની જવાબદારી જૈશ સમર્થિત આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ લીધી છે.

Poonch Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે થયેલા આતંકી હુમલાના મામલામાં મોટો ખુલાસો થયો છે. ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે, આ હુમલો પાંચ આતંકીઓએ કર્યો હતો. જેમાં ત્રણ આતંકી વિદેશી અને બે સ્થાનિક હતા. એ વાત પણ સામે આવી છે કે, હુમલાનો હેતુ જી-20 બેઠક પહેલા ભય પેદા કરવાનો હતો. આ મામલામાં 6 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હુમલાની જવાબદારી જૈશ સમર્થિત આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ લીધી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ભીમ્બર ગલી અને પૂંચ વચ્ચે સેનાનું વાહન હતું ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંક્યા હતાં. ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો લાભ લઈને આતંકીઓએ ઓચિંતો હુમલો કર્યો. આ ગ્રેનેડ હુમલા દરમિયાન કારમાં આગ લાગી હતી. આ હુમલામાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે એક જવાબ ઘાયલ થયો હતો. શહીદ થયેલા હવાલદાર મનદીપ સિંહ, સિપાહી હરકિશન સિંહ, લાન્સ નાઈક કુલવંત સિંહ અને સિપાહી સેવક સિંહ પંજાબના રહેવાસી હતા, જ્યારે લાન્સ નાઈક દેબાશિષ ઓડિશાના રહેવાસી હતા.

પુંછમાં થયેલા આતંકવાદી હુમલામાં પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોને કસ્ટડીમાં લીધા છે. NIAએ પણ ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, હુમલા બાદ તમામ આતંકવાદીઓ એક વાહનમાં સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. એજન્સીઓનું કહેવું છે કે, હુમલામાં ચારથી પાંચ આતંકવાદીઓ સામેલ હોઈ શકે છે. હાલમાં સંખ્યા વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી.

આતંકવાદી સંગઠનોમાં વ્યાપેલા ફફડાટનું કારણ શું?

ભારત આ વર્ષે G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ અંતર્ગત અલગ-અલગ જગ્યાએ બેઠકો યોજાવાની છે. લદ્દાખના શ્રીનગર અને લેહમાં બે બેઠકો યોજાશે. આ બેઠક લેહમાં 26 થી 28 એપ્રિલ અને શ્રીનગરમાં 22 થી 24 મે દરમિયાન યોજાવાની છે. આ બેઠક પહેલા હુમલો કરીને આતંકવાદીઓ સંદેશ આપવા માંગે છે કે, કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય નથી. પાકિસ્તાને પણ આ બંને બેઠકો પર વાંધો ઉઠાવ્યો છે. જો કે, ભારતે પાકિસ્તાનના વાંધાને ફગાવીને કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર અને લેહ ભારતના અભિન્ન અને અતૂટ અંગ છે.

આ હુમલાનો બદલો લેવા માટે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ઓપરેશન શરૂ કરી દીધું છે. તેમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેનાએ આ વિસ્તારમાં 7 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. તેને ધ્યાનમાં રાખીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનમાં ડ્રોન અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે, સુરક્ષા દળોની ટીમે શંકાસ્પદ વિસ્તારોને નષ્ટ કરી દીધા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેના પાસે પૂંચ સેક્ટરમાં બે સક્રિય આતંકવાદી જૂથો સાથે જોડાયેલા 7 આતંકવાદીઓની હાજરી અંગેના ઇનપુટ્સ છે. તે પાકિસ્તાની આતંકવાદી જૂથ છે, જે સેનાના વાહન પર હુમલો કરવામાં સામેલ હતું.

આ હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, અમે આ હુમલાની નિંદા કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી પાકિસ્તાન તરફથી આવા આતંકી હુમલા થતા રહેશે. જો ભારત સરકાર દાવો કરે છે કે, કાશ્મીરમાં બધું બરાબર છે, તો તેઓ શા માટે ચૂંટણીઓ નથી કરાવતા? શા માટે તેઓ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરતા નથી. આ હુમલા બાદ સાર્ક દેશોએ પણ સક્રિય રહેવાની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
Advertisement

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
Embed widget