શોધખોળ કરો

Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 

જન સુરાજ (Jan Suraaj) ના સૂત્રધાર અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હાલ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં છે.

Prashant Kishor: જન સુરાજ (Jan Suraaj) ના સૂત્રધાર અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હાલ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનોમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તેમની પાર્ટી (જન સુરાજ) સરકાર બનાવશે તો  એક  કલાકની અંદર બિહારમાંથી દારુબંધી હટાવી દેશે. પ્રશાંત કિશોરનું કહેવું છે કે બિહારમાં દારુબંધીથી રાજ્યને નુકસાન થઈ રહ્યું છે.  હવે પ્રશાંત કિશોરે આ સંબંધમાં વધુ એક મોટી જાહેરાત કરી દિધી છે. હવે આ જાહેરાતથી તમામ પાર્ટીઓનું ટેન્શન વધી ગયું છે. પ્રશાંત કિશોરે જણાવ્યું કે દારુબંધી હટાવી બાદમાં જે ટેક્સ આવશે તેનું શું કરશે. 

જન સૂરાજ અભિયાનના સૂત્રધાર પ્રશાંત કિશોર 2 ઓક્ટોબરે પાર્ટી બનાવવા જઈ રહ્યા છે. તે પહેલા તેઓ સમાજના વિવિધ વર્ગો સાથે બેસીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. આ શ્રેણીમાં પટનાના જ્ઞાન ભવન ખાતે બિહારના શિક્ષણવિદો સાથે 'શિક્ષા સંવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. 'શિક્ષા સંવાદ'માં પ્રશાંત કિશોરે પોતાના વિચારો વ્યક્ત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો રાજ્યની શિક્ષણ પ્રણાલીમાં બદલાવ જોવો હોય તો 5 લાખ કરોડ રૂપિયાના વધારાના મૂડી રોકાણની જરૂર પડશે. આ રકમ 50 હજાર કરોડ રૂપિયા ઉપરાંત હશે, જે બિહાર સરકાર હાલમાં શિક્ષણ પર દર વર્ષે ખર્ચ કરી રહી છે.

'બજેટમાં દારૂના ટેક્સનો ઉપયોગ નહી'

પ્રશાંત કિશોરે આ મૂડી એકઠી કરવા સૂચન આપ્યું હતું. તેમણે કહ્યું, "દારુબંધીને  હટાવીને દારૂના કરમાંથી આવતી આવકને આગામી 20 વર્ષ માટે સુરક્ષિત કરી શકાય છે. આ આવકનો ઉપયોગ બજેટમાં કરવામાં આવશે નહીં, પરંતુ તેનો ઉપયોગ બિહારમાં નવી અને મજબૂત શિક્ષણ વ્યવસ્થા સ્થાપિત કરવા માટે કરવામાં આવશે." 

જન સુરાજના ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ કરવામાં આવશે

પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે દારૂના ટેક્સમાંથી આવતા પૈસા રાજકારણીઓની સુરક્ષા,  તેમના હેલિકોપ્ટર અથવા ફર્નિચર પર ખર્ચ કરવા ન જોઈએ, પરંતુ તે ફક્ત બાળકોના શિક્ષણ પર ખર્ચવા જોઈએ. તેમણે સૂચન કર્યું હતું કે આ મુદ્દે કાયદામાં જોગવાઈ કરવી જોઈએ અને જન સૂરાજના ચૂંટણી ઢંઢેરામાં સ્પષ્ટ કરવામાં આવશે કે જો દારૂબંધી હટાવવામાં આવશે તો તેની સંપૂર્ણ આવક બિહારના બાળકોના શિક્ષણ અને શિક્ષણમાં સુધારો કરવામાં ખર્ચવામાં આવશે.  

આ પણ વાંચો: 

સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'SITની રચના કેમ ન થઈ......', તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદ પર સરકાર પર ભડક્યા શંકરાચાર્ય
'SITની રચના કેમ ન થઈ......', તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદ પર સરકાર પર ભડક્યા શંકરાચાર્ય
Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
JK Elections 2024: બાજી પલટવાની છે! આ મોટી પાર્ટી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની છે, વરિષ્ઠ પત્રકારે કર્યો મોટો દાવો
JK Elections 2024: બાજી પલટવાની છે! આ મોટી પાર્ટી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની છે, વરિષ્ઠ પત્રકારે કર્યો મોટો દાવો
શેરબજાર રેકોર્ડ તેજી સાથે બંધ, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4,000,000,000,000 વધી
શેરબજાર રેકોર્ડ તેજી સાથે બંધ, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4,000,000,000,000 વધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડાAhmedabad News | શું અમદાવાદમાં થયું ગેરકાયદે ધર્માંતરણ? પોલીસ તપાસમાં શું થયો મોટો ખુલાસો?Patan Crime | પાટણમાં સગીરાને બ્લેકમેલ કરી ભૂવાએ ગુજાર્યું દુષ્કર્મ | કેવી રીતે થયો પર્દાફાશ?Gujarat Rain Forecast | આજથી ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, ક્યાં ક્યાં વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'SITની રચના કેમ ન થઈ......', તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદ પર સરકાર પર ભડક્યા શંકરાચાર્ય
'SITની રચના કેમ ન થઈ......', તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદ પર સરકાર પર ભડક્યા શંકરાચાર્ય
Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
Prashant Kishor: બિહારમાં દારુબંધી હટાવવાની સાથે પ્રશાંત કિશોરે વધુ એક મોટી જાહેરાત કરી 
JK Elections 2024: બાજી પલટવાની છે! આ મોટી પાર્ટી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની છે, વરિષ્ઠ પત્રકારે કર્યો મોટો દાવો
JK Elections 2024: બાજી પલટવાની છે! આ મોટી પાર્ટી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની છે, વરિષ્ઠ પત્રકારે કર્યો મોટો દાવો
શેરબજાર રેકોર્ડ તેજી સાથે બંધ, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4,000,000,000,000 વધી
શેરબજાર રેકોર્ડ તેજી સાથે બંધ, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4,000,000,000,000 વધી
Watch: એ જ રનઅપ, એ જ એક્શન...દુનિયાને મળ્યો બીજો શોએબ અખ્તર? પાકિસ્તાની દિગ્ગજે પોતે શેર કર્યો વીડિયો
Watch: એ જ રનઅપ, એ જ એક્શન...દુનિયાને મળ્યો બીજો શોએબ અખ્તર? પાકિસ્તાની દિગ્ગજે પોતે શેર કર્યો વીડિયો
સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '
સુપ્રીમ કોર્ટે પલટ્યો મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યું- 'ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને સ્ટોર કરવી ગુનો '
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ,  સિસ્ટમ સક્રિય થતાં  હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી શરૂ થશે વરસાદનો રાઉન્ડ, સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની આગાહી
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
PM મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક, સુંદર પિચાઇ અને શાંતનુ નારાયણ પણ થયા સામેલ
Embed widget