શોધખોળ કરો

Bihar Politics: લાલૂ પ્રસાદ યાદવ સાથે રાહુલ ગાંધીએ કરી મુલાકાત, ડિનર પર બિહાર કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા ? 

રાહુલ ગાંધી શુક્રવારે (4 ઓગસ્ટ) દિલ્હીમાં લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે આરજેડી સુપ્રીમો લાલુ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી.

Bihar Politics: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે (4 ઓગસ્ટ) દિલ્હીમાં લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે આરજેડી સુપ્રીમો લાલુ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી. આ બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ પણ હાજર હતા.  

રાહુલ ગાંધીના અહીં આગમન પર બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવે તેમને પુષ્પગુચ્છ ભેટમાં આપ્યું હતું. રાહુલ ગાંધીને લાલુ પ્રસાદ યાદવ ગળે  મળ્યા હતા.  આ એક પૂર્વ આયોજિત બેઠક હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં બિહાર સરકારમાં કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા કરવામાં આવી છે. આ પહેલા રાહુલ ગાંધીએ બિહારના પટનામાં લાલુ યાદવ સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું હતું કે ત્યારપછી રાહુલ ગાંધીએ કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી.

રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવામાં આવી છે

સુપ્રીમ કોર્ટે આજે જ રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સંભળાવવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. જે બાદ રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની સાથે તેમના માટે ચૂંટણી લડવાનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. માનહાનિના આ કેસમાં સુરતની કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી છે. 

રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ફરિયાદી (પૂર્ણેશ)ની મૂળ અટક મોદી નથી. તેમની મૂળ અટક ભુટાલા છે. તો પછી તે  કેવી રીતે  ફરિયાદ કરી શકે. સિંઘવીએ કોર્ટને એમ પણ કહ્યું કે, રાહુલ દ્વારા જે લોકોએ નામ આપ્યું છે.  તેઓએ તો આ  કેસ દાખલ કર્યો નથી. તેમણે કહ્યું, આ લોકો કહે છે કે, મોદી નામના 13 કરોડ લોકો છે, પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો સમસ્યા માત્ર ભાજપ સાથે જોડાયેલા લોકોને જ થઈ રહી છે.

તેજસ્વી યાદવે કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી

સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું કે રાહુલ ગાંધીને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવકાર્ય છે.    

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભાજપમાં ઉકળતો ચરુHun To Bolish | હું તો બોલીશ | આકાશમાંથી આફત, ખેડૂતની આંખમાં આંસૂCID Crime | CID ક્રાઇમના દરોડા બાદ આંગડિયા પેઢીઓમાં સન્નાટો, જુઓ અહેવાલSwaminarayan Gurukul | 'વિદ્યાર્થીને સાધૂ બનાવવા માગે છે સ્વામી', પિતાનો ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
સંઘાણીએ પાટીલ સામે ખોલ્યો મોરચો, કહ્યું- સહકાર ક્ષેત્રે ન કરો દખલગીરી
Ambalal Patel Forecast: રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હજુ ગાજવીજ સાથે પડશે વરસાદ, આ તારીખથી પડશે આકરી ગરમીઃ અંબાલાલ પટેલની આગાહી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
PM Modi Property: ન ઘર, ન ગાડી, ન કોઈ જમીન, PM મોદીના હાથ પર છે 52 હજારની કેશ અને સોનાની 4 વીંટી
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
EXCLUSIVE: 2024 માં પણ જોવા મળશે મોદી લહેર? જાણો આ સવાલ પર શું બોલ્યા અમિત શાહ
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
Polling Booth Rules: મતદાન મથક પર શું હોય છે બે રૂપિયાવાળો નિયમ, જેનાથી રોકી શકાય છે નકલી મતદાન
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Embed widget