શોધખોળ કરો

'સાયન્સ જુઠ નહીં બોલતા...' કહીને રાહુલ ગાંધીએ WHOના કોરોનાના આંકડા પર પીએમ મોદી પર સાધ્યુ નિશાન.........

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) પર નિશાન સાધ્યુ છે. આ વખતે આ મામલો કોરોના કેસો સાથે જોડાયેલો છે. 

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એકવાર ફરીથી પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) પર નિશાન સાધ્યુ છે. આ વખતે આ મામલો કોરોના કેસો સાથે જોડાયેલો છે. 

તેમને ટ્વીટ કરીને લખ્યુ કે કૉવિડ મહામારીના કારણે 47 લાખ ભારતીયોના મોત થયા. 4.8 લાખ નહીં, જેમ કે સરકારે દાવો કર્યો છે. સાયન્સ જુઠ નહીં બોલતા.. તે પરિવારનુ સન્માન કરો જેમને પોતાનાઓને ગુમાવ્યા છે. અનિવાર્ય રીતે ₹4 વળતરની સાથે તેમનુ સમર્થ કરો, આની સાથે જ રાહુલ ગાંદીએ WHOનો રિપોર્ટ પણ જોડ્યો છે. 

ભારતમાં 47 લાખ લોકોનાં કોરોનાથી મોત થયાનો WHOનો દાવો, આરોગ્ય મંત્રાલયે કહ્યું - આંકડા ખોટા છે...
India Government Calls It Questionable: ભારતે કોરોનાથી થયેલા મોતની ગણતરી કરવા માટે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)દ્વારા ઉપયોગમાં લેવાતા ગાણિતિક મોડેલને નકારી કાઢ્યું છે. ભારતે કહ્યું છે કે, આ આંકડો વાસ્તવિક આંકડાઓથી સંપૂર્ણપણે અલગ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOના ખંડનમાં કહ્યું છે કે, ભારત દેશમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. આરોગ્ય મંત્રાલયે WHOની ડેટા કલેક્શન સિસ્ટમને આંકડાકીય રીતે અયોગ્ય અને વૈજ્ઞાનિક રીતે શંકાસ્પદ ગણાવી છે.

WHOએ કેટલાં મોત ગણ્યાં?
આ પહેલાં WHOએ ભારતમાં જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે કોરોનાથી થયેલા મોતના આંકડા જાહેર કર્યા હતા. WHOના આંકડા મુજબ જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે ભારતમાં 47 લાખ લોકોનાં કોવિડથી મોત થયા છે. WHOએ જાહેર કરેલ આ આંકડો ભારતના સત્તાવાર કોરોના મોતના આંકડા કરતાં 10 ગણો વધુ અને વૈશ્વિક સ્તરે થયેલા મોતનો ત્રીજો ભાગ છે. આ આંકડા મુજબ સમગ્ર વિશ્વમાં કોવિડને કારણે કુલ 1.5 કરોડ લોકોનાં મોત થયા છે. અને WHOના આ કુલ મોતનો આંકડો કોરોનાથી થયેલા મોતના સત્તાવાર આંકડા 60 લાખ મોત કરતાં બમણાથી વધુ છે.

ભારતનો આ છે આંકડોઃ
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં આ સમય (જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021 વચ્ચે) માં કોવિડને કારણે 520,000 લોકોના મોત નોંધાયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, WHOએ જે કહ્યું છે કે મોતના આ આંકડા મીડિયા રિપોર્ટ્સ, વેબસાઈટ અને ગાણિતિક મોડલ દ્વારા ભારતીય રાજ્યોનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે તેની સામે ભારતે WHOના એ નિવેદન પર સતત સવાલો ઉઠાવ્યા છે.

WHOની સિસ્ટમ ખરાબ છેઃ
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતના કેસમાં ઉચ્ચ મૃત્યુદરનો અંદાજ કાઢવા માટે ડેટા એકત્ર કરવાની સિસ્ટમ ખૂબ જ નબળી અને વૈજ્ઞાનિક રીતે શંકાસ્પદ પદ્ધતિ દર્શાવે છે. મંત્રાલયે કહ્યું કે, આ મોડલ પર ભારતનો વાંધો હોવા છતાં, ડબ્લ્યુએચઓએ ભારતના વાંધાઓ પર ધ્યાન આપ્યા વિના આ અંદાજ જાહેર કર્યો છે.

આ છે WHOનું અનુમાનઃ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના અંદાજ મુજબ છેલ્લા બે વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોએ કોરોના વાયરસ અથવા આરોગ્ય પ્રણાલી પર તેની અસરોને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશો દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર આ 6 મિલિયન મૃત્યુ કરતાં બમણા કરતાં વધુ છે. મોટાભાગના મૃત્યુ દક્ષિણપૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકામાં થયા છે.

ભારતે આ પણ જણાવ્યુંઃ
ભારતે WHO ને એ પણ જણાવ્યું હતું કે, ભારત માટે વધારાના મૃત્યુના આંકડાઓ મેળવવા માટે ગાણિતિક મોડલનો ઉપયોગ કરી શકાય છે, ભારતીય રજિસ્ટ્રાર જનરલ (RGI) દ્વારા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અધિકૃત ડેટાની ઉપલબ્ધતાને જોતાં આવું ન કરવું જોઈએ. ભારતમાં જન્મ અને મૃત્યુની નોંધણી અત્યંત મજબૂત છે અને તે દાયકાઓ જૂના વૈધાનિક કાયદાકીય માળખા "જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, 1969" દ્વારા સંચાલિત છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, નાગરિક નોંધણી ડેટા તેમજ RGI દ્વારા વાર્ષિક ધોરણે બહાર પાડવામાં આવતા નમૂના નોંધણી ડેટાનો ઉપયોગ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મોટી સંખ્યામાં સંશોધકો, નીતિ નિર્માતાઓ અને વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
WPL Auction: દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી, જાણો યૂપી વોરિયર્સે કેટલા કરોડમાં ખરીદી
WPL Auction: દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી, જાણો યૂપી વોરિયર્સે કેટલા કરોડમાં ખરીદી
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
Cyclone Senyar Alert: 100 km ની ઝડપે પવન ફૂંકાશે, આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી 
WPL Auction: દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી, જાણો યૂપી વોરિયર્સે કેટલા કરોડમાં ખરીદી
WPL Auction: દીપ્તિ શર્મા સૌથી મોંઘી ખેલાડી, જાણો યૂપી વોરિયર્સે કેટલા કરોડમાં ખરીદી
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
Tata Sierra : 6 એરબેગ અને શાનદાર સેફ્ટી, ટાટા સિએરામાં તમને મળશે આ ગજબના ફિચર્સ  
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
RBI ની મોટી તૈયારી! મહિના બાદ નહીં, માત્ર 7 દિવસમાં અપડેટ થશે ક્રેડિટ સ્કોર,  ગ્રાહકો પર શું થશે અસર ?
માત્ર 20 રુપિયાના પ્રિમિયમ પર તમને મળશે 2 લાખનું વિમા કવર, જાણો આ ઈન્સ્યોરન્સની તમામ વિગતો
માત્ર 20 રુપિયાના પ્રિમિયમ પર તમને મળશે 2 લાખનું વિમા કવર, જાણો આ ઈન્સ્યોરન્સની તમામ વિગતો
ધરમપુરમાં  સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત  ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
ધરમપુરમાં સરકારની 3 દિવસીય ચિંતન શિબિર, વિકસિત ગુજરાત સહિત આ મુ્દ્દે થશે મંથન
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
Share Market: રોકાણકારોને ફળ્યો શુક્રવાર, 14 મહિના બાદ નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ,26000ને પાર
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો,
50 લાખમાં બનેલી ફિલ્મે કર્યો 15 હજાર ટકાનો નફો, "લાલો-કૃષ્ણ સદા સહાયતે" નું કલેક્શન જોઈ બોલિવૂડ પણ હેરાન
Embed widget