શોધખોળ કરો

'બીજા લગ્નમાં પણ પત્નીને મળશે ભરણ પોષણ, જવાબદારીથી બચી શકે નહીં પતિ'

કોર્ટનો આ નિર્ણય એક અરજી પર આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ પોતાની અલગ રહેતી પત્નીને ભરણપોષણ આપવાનો ઇનકાર કર્યો હતો

દિલ્હી હાઈકોર્ટે ઘરેલુ હિંસા કાયદા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કાયદો પત્નીના ભરણપોષણના અધિકારોમાં ભેદભાવ કરતો નથી, પછી ભલે તે પહેલા લગ્ન હોય કે બીજા લગ્ન. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની બેન્ચે સ્પષ્ટ કર્યું કે જ્યારે કોઈ પુરુષ પોતા ઈચ્છાથી લગ્ન કરે છે અને તેની પત્નીને તેના પહેલા લગ્નના બાળકો સાથે સ્વીકારે છે તો પછી તે આ આધાર પર પોતાની ફરજોથી છટકી શકતો નથી.

કોર્ટનો આ નિર્ણય એક અરજી પર આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ પોતાની અલગ રહેતી પત્નીને ભરણપોષણ આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે આ તેના બીજા લગ્ન છે અને પત્નીના બાળકો તેના નથી પરંતુ તેના પહેલા પતિના છે.

નીચલી અદાલતનો નિર્ણય માન્ય રાખવામાં આવ્યો

કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે પતિના ભરણપોષણ આપવાનો ઇનકાર કરવાના દલીલને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી ગણાવી અને કહ્યું કે ઘરેલુ હિંસા કાયદો પહેલા કે બીજા લગ્ન વચ્ચે ભેદ પાડતો નથી. જો પતિએ પોતાની ઇચ્છાથી લગ્ન કર્યા હોય અને પત્ની અને તેના બાળકોને સ્વીકાર્યા હોય તો હવે તે આ જવાબદારીથી ભાગી શકતો નથી.

કોર્ટે નીચલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો અને પતિએ પત્નીને દર મહિને 1 લાખ રૂપિયા ભરણપોષણ આપવાના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો. જોકે, કોર્ટે પત્નીના બે પુત્રો, જે હવે પુખ્તવયના છે, તેમને ભરણપોષણ આપવાનો ઇનકાર કરવાના નિર્ણયને પણ યોગ્ય માન્યો હતો.

પત્નીએ હાઇકોર્ટમાં પતિ પર આરોપ લગાવ્યો

દિલ્હી હાઇકોર્ટમાં મહિલાએ કોર્ટને જણાવ્યું કે તે તેના પિયરમાં રહે છે અને તેના પતિ દ્વારા માનસિક, શારીરિક, આર્થિક અને ભાવનાત્મક ત્રાસ સહન કર્યો છે. તેના મતે, લગ્ન પહેલાં પતિએ તેણીને ખાતરી આપી હતી કે તે ફક્ત તેણીને જ નહીં પરંતુ તેના બાળકોને પણ દત્તક લેશે અને તેમને પિતા જેવો પ્રેમ આપશે.

પતિએ કોર્ટમાં દાવો કર્યો હતો કે પત્નીએ પોતે જ ઘર છોડી દીધું હતું અને ક્યારેય સમાધાન કરવાનો પ્રયાસ કર્યો નથી. તેણે એમ પણ કહ્યું કે તે એક અસાધ્ય રોગ એન્કિલોજિંગ સ્પોન્ડિલાઇટિસથી પીડાઈ રહ્યો છે અને પોતાની સંભાળ રાખી શકતો નથી. જો કે, કોર્ટે મહિલાની ફરિયાદને ગંભીરતાથી લીધી કે પતિએ ટ્રાયલ દરમિયાન તેની મિલકત વેચવાનો પ્રયાસ કર્યો હતો જેથી તે કોઈપણ કાનૂની દાવાથી બચી શકે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટે યોગ્ય કર્યું કે પતિને તેમની પરવાનગી વિના તેની સ્થાવર મિલકત વેચવાથી રોકવામાં આવ્યો હતો. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ કહ્યું કે પતિનું આ પગલું પત્નીની શંકાઓને મજબૂત બનાવે છે અને પતિની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
રિટાયરમેન્ટ પછી પણ દર મહિને થશે 50 હજારની આવક! એક્સપર્ટ્સે જણાવી 3 ખાસ સ્ટ્રેટેજી, જે બદલી નાખશે તમારી લાઈફ
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Embed widget