મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસને બોંબથી ઉડાવી દેવી ધમકીથી મચી ગયો હડકંપ, જાણો અપડેટ્સ
Mumbai CSMT Bomb Threat: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જાણીએ અપડેટ્સ

Mumbai CSMT Bomb Threat: શનિવારે (26 જુલાઈ, 2025) મુંબઈના હાર્ટ ગણાતા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર સુરક્ષા એજન્સીઓ ખળભળાટ મચી ગઈ હતી, જ્યારે એક અજાણ્યા વ્યક્તિએ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. ધમકી આપનાર વ્યક્તિએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, સ્ટેશન પર બોમ્બ મૂકવામાં આવશે, જે મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકે છે.
આ કોલ સીધો મહારાષ્ટ્ર પોલીસના DGP ઓફિસને કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને એલર્ટ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ, મુંબઈ પોલીસ, રેલ્વે પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સ્ટેશન પરિસરને ઘેરી લેવામાં આવ્યું હતું અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ બે કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, જેના કારણે હાલ રાહત મળી છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા પહેલા કરતા વધુ કડક કરવામાં આવી છે. પોલીસે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં CCTV ફૂટેજનું નિરીક્ષણ પણ વધુ તીવ્ર બનાવ્યું છે.
પોલીસે ફરિયાદ નોંધી
ધમકીના સંદર્ભમાં, કોલાબા પોલીસ સ્ટેશને IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને ફોન કરનારની ઓળખ અને સ્થાન શોધવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે.
બોમ્બ ધમકીના કેસોમાં વધારો
તાજેતરના મહિનાઓમાં, દેશમાં બોમ્બ ધમકીના કેસોમાં ઝડપથી વધારો થયો છે. મુખ્ય રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ, શાળાઓ, હોસ્પિટલો અને સરકારી કચેરીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ફોન કોલ્સ, ઇમેઇલ અથવા પત્રો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. જો કે, આમાંના મોટાભાગના કિસ્સાઓમાં, ધમકીઓ ખોટી સાબિત થઈ છે. આ કાયદો અને વ્યવસ્થા માટે પણ એક ગંભીર પડકાર છે





















