શોધખોળ કરો

રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે

Ration Card Rules: ભારતમાં રહેતા કરોડો રેશન કાર્ડ ધારકો માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રેશન કાર્ડ પર મળતા રેશનની માત્રા પણ બદલાઈ ગઈ છે. જાણો હવે કેટલું રેશન મળશે.

Ration Card Rules: ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ દેશના અલગ અલગ લોકોને મળે છે. સરકાર પોતાની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે લાવે છે. ભારતમાં આજે પણ ઘણા લોકો એવા છે જે બે ટંકનું ભોજન પણ નથી કરી શકતા.

આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ખૂબ ઓછા દરે રેશન પૂરું પાડે છે. સરકાર આ માટે લોકોને રેશન કાર્ડ જારી કરે છે. જેની મદદથી લોકો ઓછી કિંમતે રેશનની સુવિધાનો લાભ લઈ શકે છે. ખાદ્ય વિભાગે રેશન કાર્ડ પર મળતી વસ્તુઓમાં ફેરફાર કર્યો છે. તો 1 જાન્યુઆરી 2025થી આ મોટો ફેરફાર થશે.

હવે રેશન કાર્ડ ધારકો માટે આ નિયમો બદલાઈ ગયા

નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ઓછી કિંમતે મળતા રેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા જે માત્રામાં રેશન મળતું હતું તે હવે બદલી દેવામાં આવ્યું છે. વાત કરીએ તો પહેલા જ્યાં એક યુનિટમાં 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા. હવે તેમાં 2 કિલો ઘઉં અને અઢી કિલો ચોખા કરવામાં આવ્યા છે એટલે કે તેમાં અડધો કિલો ચોખા ઘટાડવામાં આવ્યા છે.

તો વળી અડધો કિલો ઘઉં વધારવામાં આવ્યા છે. જોકે જે યુનિટમાં પહેલા 5 કિલો રેશન મળતું હતું તે 5 કિલો જ છે. અંત્યોદય રેશન કાર્ડ ધારકોને 35 કિલો રેશન મળે છે જેમાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળે છે. તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, અંત્યોદય કાર્ડમાં હવે 18 કિલો ચોખા 17 કિલો ઘઉં આપવામાં આવશે. જોકે રેશનની માત્રા એ જ છે. પરંતુ ચોખા ઘટાડીને ઘઉં વધારવામાં આવ્યા છે. 1 નવેમ્બરથી આ નિયમ લાગુ થઈ ગયા છે.

1 જાન્યુઆરીથી પહેલા ઈ કેવાયસી જરૂરી

ખાદ્ય વિભાગે બધા રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવવા માટે સૂચના જારી કરી દીધી છે. બધા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી ફરજિયાત કરાવવું જરૂરી છે. જે રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી નહીં કરાવે તેમના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે સરકારે આ માટે પહેલા 1 ઓક્ટોબર સુધીની ડેડલાઈન આપી હતી, જેને પછીથી 1 નવેમ્બર સુધી વધારવામાં આવી હતી. તો હવે આ ડેડલાઈન 1 ડિસેમ્બર સુધીની છે એટલે કે બધા રેશન કાર્ડ ધારકોએ 1 જાન્યુઆરી 2025 પહેલા રેશન કાર્ડની કેવાયસી કરાવી લેવી પડશે. નહીંતર તેમને મફત રેશન અને ઓછી કિંમતે રેશનની સુવિધા મળવાનું બંધ થઈ જશે.

આ પણ વાંચોઃ

Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
LPG સબસિડી બ્લોક થવાનો મેસેજ આવ્યો છે? જાણો શું કરવું અને શું ન કરવું
LPG સબસિડી બ્લોક થવાનો મેસેજ આવ્યો છે? જાણો શું કરવું અને શું ન કરવું
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Patan ABVP Protest : ફી વધારા સામે ABVPનું હેમચંદ્રાચાર્ય યુનિ.માં વિરોધ પ્રદર્શન
Surat Demolition : સુરત ભૂતિયા ડિમોલિશન, મનપા અધિકારીના જુઠ્ઠાણાનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ
PM Modi Speech : રાજકીય અસ્થિરતાને કારણે દેશને નુકસાન , PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
રાજકોટના ઉપલેટામાં શરમજનક ઘટના: વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની અટકાયત
રાજકોટના ઉપલેટામાં શરમજનક ઘટના: વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની અટકાયત
બુલિયન માર્કેટમાં ખળભળાટ: સોનું 3% અને ચાંદી 4% તૂટી, જાણો હવે આગળ શું થશે?
બુલિયન માર્કેટમાં ખળભળાટ: સોનું 3% અને ચાંદી 4% તૂટી, જાણો હવે આગળ શું થશે?
8મા પગાર પંચમાં વિલંબ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: DAમાં થશે આટલો વધારો
8મા પગાર પંચમાં વિલંબ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: DAમાં થશે આટલો વધારો
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
Embed widget