શોધખોળ કરો

RSS Tiranga DP: RSS અને મોહન ભાગવતે ટ્વિટર પર DP બદલ્યો, તિરંગો લગાવ્યો

આ પછી પીએમ સહિત અનેક મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને સામાન્ય લોકોએ પોતાના ડીપી પર તિરંગાનો ફોટો લગાવ્યો હતો.

Har Ghar Tiranga Campaign: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ સ્વતંત્રતા દિવસ પહેલા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પ્રોફાઇલ પિક્ચર્સ પર તિરંગાની તસવીર મૂકી છે. હાલમાં જ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર દરેકને પોતાનો ડીપી બદલીને તિરંગો મૂકવાની અપીલ કરી હતી. આ પછી પીએમ સહિત અનેક મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને સામાન્ય લોકોએ પોતાના ડીપી પર તિરંગાનો ફોટો લગાવ્યો હતો.

જોકે, આરએસએસ અને સંગઠનના વડા મોહન ભાગવતે પોતાનો ડીપી બદલ્યો ન હતો. જે બાદ આરએસએસ અને ભાજપ વિપક્ષના નિશાન પર આવી ગયા હતા. દરમિયાન હવે આરએસએસ અને મોહન ભાગવતે ટ્વિટરનો ડીપી બદલી નાખ્યો છે. બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવે તિરંગાની તસવીર છે.

પોતાના 'મન કી બાત' રેડિયો પ્રસારણ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને 2 થી 15 ઓગસ્ટ વચ્ચે સોશિયલ મીડિયા પર તિરંગાને તેમના ડીપી તરીકે મુકવાની અપીલ કરી હતી.

ભાજપે કોંગ્રેસના નેતાઓના ડીપી પર કટાક્ષ કર્યો

કોંગ્રેસના નેતાઓએ પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુની તિરંગો પકડીને તેમની ડીપી તરીકેની તસવીર લગાવી છે. આ તસવીરને લઈને ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી છે. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમના પરિવારની બહાર જોવું જોઈએ.

પીએમ મોદીની અપીલ બાદ આરએસએસ અને મોહન ભાગવતે પોતાના સોશિયલ મીડિયા પર ડીપી બદલ્યો નહોતો. જે બાદ ભાજપ અને આરએસએસ વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવ્યા હતા. કોંગ્રેસના નેતા પવન ખેરાએ ટ્વિટર પર આરએસએસ અને તેના વડા મોહન ભાગવતના પ્રોફાઇલ ફોટોનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, "સંઘના લોકો હવે તિરંગાને અપનાવો."

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે, "અમે અમારા નેતા જવાહરલાલ નેહરુના હાથમાં ત્રિરંગા સાથેનો ફોટો ડીપી તરીકે લગાવી રહ્યા છીએ, પરંતુ એવું લાગે છે કે વડાપ્રધાનનો સંદેશ તેમના પરિવાર સુધી પહોંચ્યો નથી. જેમણે 52 વર્ષ સુધી નાગપુરમાં પોતાના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો નથી. શું તેઓ વડાપ્રધાનની વાત માનશે?

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે પીએમ મોદી અને RSS પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "પીએમ મોદી કહે છે કે તેમનો આધાર આરએસએસની વિચારધારા છે. તેઓ અમને તિરંગાને ડીપીમાં મુકવા અને રેલીઓ કાઢવાનું કહી રહ્યા છે, પરંતુ આરએસએસએ સ્વતંત્ર ભારતને નકારી કાઢ્યું."

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Mumbai Rain: ભારે વરસાદ વચ્ચે ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, છ લોકોના મોત
Mumbai Rain: ભારે વરસાદ વચ્ચે ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, છ લોકોના મોત
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે
રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Amreli Rain: અમરેલીના ધારી પંથકમાં બારે મેઘ ખાંગા, 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Ram Mandir Trust: આજે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે થશે નિર્ણય
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Brazil vs Norway: ઉલટફેરનો શિકાર બની બ્રાઝિલની ટીમ, હાલાન્દના બે ગોલથી ક્વાર્ટરફાઈનલમાં નોર્વે
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
Ronaldo Retirement: શું આ વર્લ્ડકપ પછી નિવૃતિ લેશે રોનાલ્ડો? સ્પેન વિરુદ્ધ મેચ અગાઉ મોટું નિવેદન
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
T20 WC જીતવા પર ઓસ્ટ્રેલિયાને મળ્યા કરોડો, ટીમ ઈન્ડિયા પણ થઈ માલામાલ
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
Neymar Retirement: આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નેમારની નિવૃતિ, બ્રાઝિલ ફીફા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા લીધો નિર્ણય
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Embed widget