![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
RSS Tiranga DP: RSS અને મોહન ભાગવતે ટ્વિટર પર DP બદલ્યો, તિરંગો લગાવ્યો
આ પછી પીએમ સહિત અનેક મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને સામાન્ય લોકોએ પોતાના ડીપી પર તિરંગાનો ફોટો લગાવ્યો હતો.
![RSS Tiranga DP: RSS અને મોહન ભાગવતે ટ્વિટર પર DP બદલ્યો, તિરંગો લગાવ્યો RSS changes profile pictures of its social media accounts RSS Tiranga DP: RSS અને મોહન ભાગવતે ટ્વિટર પર DP બદલ્યો, તિરંગો લગાવ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/13/517b73f4e325eef0db8aecc88e7c5577166035395733374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Har Ghar Tiranga Campaign: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ સ્વતંત્રતા દિવસ પહેલા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પ્રોફાઇલ પિક્ચર્સ પર તિરંગાની તસવીર મૂકી છે. હાલમાં જ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર દરેકને પોતાનો ડીપી બદલીને તિરંગો મૂકવાની અપીલ કરી હતી. આ પછી પીએમ સહિત અનેક મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, વિપક્ષી નેતાઓ અને સામાન્ય લોકોએ પોતાના ડીપી પર તિરંગાનો ફોટો લગાવ્યો હતો.
स्वाधीनता का अमृत महोत्सव मनाएँ.
— RSS (@RSSorg) August 13, 2022
हर घर तिरंगा फहराएँ.
राष्ट्रीय स्वाभिमान जगाएँ. pic.twitter.com/li2by2b0dK
જોકે, આરએસએસ અને સંગઠનના વડા મોહન ભાગવતે પોતાનો ડીપી બદલ્યો ન હતો. જે બાદ આરએસએસ અને ભાજપ વિપક્ષના નિશાન પર આવી ગયા હતા. દરમિયાન હવે આરએસએસ અને મોહન ભાગવતે ટ્વિટરનો ડીપી બદલી નાખ્યો છે. બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવે તિરંગાની તસવીર છે.
પોતાના 'મન કી બાત' રેડિયો પ્રસારણ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓને 2 થી 15 ઓગસ્ટ વચ્ચે સોશિયલ મીડિયા પર તિરંગાને તેમના ડીપી તરીકે મુકવાની અપીલ કરી હતી.
ભાજપે કોંગ્રેસના નેતાઓના ડીપી પર કટાક્ષ કર્યો
કોંગ્રેસના નેતાઓએ પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુની તિરંગો પકડીને તેમની ડીપી તરીકેની તસવીર લગાવી છે. આ તસવીરને લઈને ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી છે. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ તેમના પરિવારની બહાર જોવું જોઈએ.
પીએમ મોદીની અપીલ બાદ આરએસએસ અને મોહન ભાગવતે પોતાના સોશિયલ મીડિયા પર ડીપી બદલ્યો નહોતો. જે બાદ ભાજપ અને આરએસએસ વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવ્યા હતા. કોંગ્રેસના નેતા પવન ખેરાએ ટ્વિટર પર આરએસએસ અને તેના વડા મોહન ભાગવતના પ્રોફાઇલ ફોટોનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, "સંઘના લોકો હવે તિરંગાને અપનાવો."
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ જયરામ રમેશે કહ્યું હતું કે, "અમે અમારા નેતા જવાહરલાલ નેહરુના હાથમાં ત્રિરંગા સાથેનો ફોટો ડીપી તરીકે લગાવી રહ્યા છીએ, પરંતુ એવું લાગે છે કે વડાપ્રધાનનો સંદેશ તેમના પરિવાર સુધી પહોંચ્યો નથી. જેમણે 52 વર્ષ સુધી નાગપુરમાં પોતાના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો નથી. શું તેઓ વડાપ્રધાનની વાત માનશે?
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે પીએમ મોદી અને RSS પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "પીએમ મોદી કહે છે કે તેમનો આધાર આરએસએસની વિચારધારા છે. તેઓ અમને તિરંગાને ડીપીમાં મુકવા અને રેલીઓ કાઢવાનું કહી રહ્યા છે, પરંતુ આરએસએસએ સ્વતંત્ર ભારતને નકારી કાઢ્યું."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)