![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Russia Ukraine War: વોર ઝોનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસો, PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, ચાર કેન્દ્રીય મંત્રીઓ યુક્રેનના પડોશી દેશોમાં જશે
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને વીકે સિંહ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓના બચાવ કાર્યમાં મદદ કરવા યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેશે.
![Russia Ukraine War: વોર ઝોનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસો, PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, ચાર કેન્દ્રીય મંત્રીઓ યુક્રેનના પડોશી દેશોમાં જશે Russia Ukraine War: Prime Minister Narendra Modi calls a high-level meeting on the Ukraine crisis. Russia Ukraine War: વોર ઝોનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસો, PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, ચાર કેન્દ્રીય મંત્રીઓ યુક્રેનના પડોશી દેશોમાં જશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/28/201a2b44f63904bb95810f76d2bb02cd_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia Ukraine War: PM નરેન્દ્ર મોદીએ સોમવારે યુક્રેન સંકટને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને ભૂતપૂર્વ આર્મી ચીફ વીકે સિંહ ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓના બચાવ કાર્યમાં મદદ કરવા યુક્રેનના પડોશી દેશોની મુલાકાત લેશે. આ મંત્રીઓ ભારતના વિશેષ દૂત તરીકે જઈ રહ્યા છે.
યુક્રેનથી 249 ભારતીયોને લઈને પાંચમી ફ્લાઈટ દિલ્હીમાં લેન્ડ થઈ છે. આ ફ્લાઈટે રવિવારે રાત્રે રોમાનિયાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. વિદેશ મંત્રીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ત્યારે પરિવારના સભ્યો પોતાના પ્રિયજનોને મળીને ભાવુક થઈ ગયા હતા. તેઓએ તેમના પ્રિયજનોનું ફૂલો અને ગુલદસ્તાથી સ્વાગત કર્યું.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. પરંતુ બંનેમાંથી એક પણ દેશ ઝૂકવા તૈયાર નથી. રશિયાની સેનાનો 5 કિલોમીટર લાંબો કાફલો યુક્રેનની રાજધાની કિવ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. રશિયન સેના કિવ પર કબજો કરવાની તૈયારી કરી રહી છે.
#WATCH | Prime Minister Narendra Modi calls a high-level meeting on the Ukraine crisis. Some Union Ministers may go to neighboring countries of Ukraine to coordinate the evacuations.#RussiaUkraineCrisis pic.twitter.com/yqTFYwspxo
— ANI (@ANI) February 28, 2022
વિશ્વના સૌથી મોટા વિમાનને રશિયન સૈનિકોએ કિવ નજીકના એક એરફિલ્ડમાં તોડી પાડ્યું હતું. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. વાસ્તવમાં AN-225 'Mriya' જેને યુક્રેનમાં 'ડ્રીમ' કહેવામાં આવે છે તે યુક્રેનિયન એરોનોટિક્સ કંપની એન્ટોનોવ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેની ગણતરી વિશ્વના સૌથી મોટા કાર્ગો એરક્રાફ્ટ તરીકે કરવામાં આવી હતી. રશિયન ગોળીબારના કારણે કિવની બહાર હોસ્ટોમેલ એરપોર્ટ પર વિમાન બળીને ખાખ થઈ ગયું હતું.
યુક્રેને દાવો કર્યો છે કે રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 116 બાળકો સહિત 1684 લોકો ઘાયલ થયા છે. જો કે મંત્રાલય દ્વારા એ નથી જણાવવામાં આવ્યું કે અત્યાર સુધીમાં કેટલા સૈનિકો માર્યા ગયા છે.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ 4,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. સાથે જ 146 ટેન્ક, 27 એરક્રાફ્ટ અને 26 હેલિકોપ્ટર પણ નાશ પામ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)