શોધખોળ કરો

'Y કેટેગરીની સુરક્ષામાં બાબા સિદ્દીકીની થઈ ગઈ હત્યા' ફડણવીસનું નામ લઈ શું બોલ્યા સંજય રાઉત ? 

બાબા સિદ્દીકીની હત્યા બાદ વિપક્ષ શિંદે સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે અનેક સવાલો ઉઠાવ્યા છે.

Baba Siddique Shot Dead:  બાબા સિદ્દીકીની હત્યા બાદ વિપક્ષ શિંદે સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે અનેક સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે Y કેટેગરીની સુરક્ષા હોવા છતાં બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. આ તમામ મુખ્યમંત્રી એકનાથ શિંદેની નિષ્ફળતા છે.

સીએમ શિંદે સંપૂર્ણ નિષ્ફળ  

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, 'મહારાષ્ટ્રમાં અગાઉ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હતી. એટલા માટે મુંબઈમાં મોટા ઉદ્યોગો આવ્યા છે. રાજ્યના પૂર્વ મંત્રી રહી ચૂકેલા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે હત્યા કરવામાં આવી હતી. તેમને Y કેટેગરીની રાજ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી છતાં તેમની હત્યા કરવામાં આવી હતી. તેનો અર્થ શું છે ? આમાં મુખ્યમંત્રીની સંપૂર્ણ નિષ્ફળતા છે.

લોકોમાં પોલીસનો ડર નથી 

સંજય રાઉતે કહ્યું કે જે રીતે મુખ્યમંત્રી શિંદેએ પોલીસનો ઉપયોગ કર્યો છે. જેના કારણે હવે પોલીસ અને કાયદાનો ડર રહ્યો નથી. દિવસે દિવસે ગમે ત્યારે હત્યાઓ થઈ રહી છે. રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સંપૂર્ણ નિષ્ફળ છે. તેમણે રાજીનામું આપવું જોઈએ.

દેવેન્દ્ર ફડણવીસને ગૃહમંત્રી પદ પરથી હટાવી દેવા જોઈએ 

આ સાથે સંજય રાઉતે કહ્યું કે રાજ્યપાલે મુંબઈની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે દરમિયાનગીરી કરવી જોઈએ. દેવેન્દ્ર ફડણવીસને ગૃહમંત્રી પદ પરથી હટાવી દેવા જોઈએ.   

બાબા સિદ્દીકીની રાજનીતિમાં સફર કેવી રહી ?

બાબા સિદ્દીકી 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 2004 અને 2008 વચ્ચે અન્ન અને નાગરિક પુરવઠા, શ્રમ અને FDA રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. બાબા સિદ્દીકી લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. ગત ફેબ્રુઆરીમાં તેઓ કોંગ્રેસ છોડીને NCPના અજિત પવાર જૂથમાં જોડાયા હતા. તેમના પુત્ર જીશાન સિદ્દીકીને ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી હટાવવામાં આવ્યા હતા. 

બિહારમાં જન્મ, મુંબઈને બનાવી કર્મભૂમિ, રાજકારણ અને સિનેમા બંનેમાં લોકપ્રિય, આવી રહી બાબા સિદ્દીકીની સફર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
હવે રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને રસ્તા સુધારવામાં આવશે, સરકારે 112.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા
હવે રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને રસ્તા સુધારવામાં આવશે, સરકારે 112.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા
Talala Rain: તાલાલામાં ધોધમાર વરસાદ, એક કલાકમાં બે ઈંચ વરસાદથી જળબંબાકાર
Talala Rain: તાલાલામાં ધોધમાર વરસાદ, એક કલાકમાં બે ઈંચ વરસાદથી જળબંબાકાર
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pal Ambliya |સરકારે સહાયની જાહેરાત કરી પણ પાય આપી નથી..પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર..Harsh Sanghavi | નવરાત્રિના રંગમાં રંગાયા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, બોલાવી ગરબાની રમઝટBanaskantha Rain Damage | લાખોનું નુકસાન થયું છે સાહેબ.. ઢોરને ખાવા લાયક પણ ઘાસ નથી...Gujarat Rain News | ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ, નદીઓમાં ઘોડાપૂર | Abp Asmita | 13-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
હવે રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને રસ્તા સુધારવામાં આવશે, સરકારે 112.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા
હવે રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને રસ્તા સુધારવામાં આવશે, સરકારે 112.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા
Talala Rain: તાલાલામાં ધોધમાર વરસાદ, એક કલાકમાં બે ઈંચ વરસાદથી જળબંબાકાર
Talala Rain: તાલાલામાં ધોધમાર વરસાદ, એક કલાકમાં બે ઈંચ વરસાદથી જળબંબાકાર
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
ઘી ખાતા પહેલા ચેતી જજો, ગુજરાતમાં અહીંથી 13900000 રૂપિયાનું 45.5 ટન શંકાસ્પદ ઘી ઝડપાયું
હોમ લોન મફત થઈ જશે! વ્યાજના બધા પૈસા વસૂલ થઈ જશે, જાણો તમારે શું કરવું પડશે
હોમ લોન મફત થઈ જશે! વ્યાજના બધા પૈસા વસૂલ થઈ જશે, જાણો તમારે શું કરવું પડશે
તમારા બાળકનું હૃદય પણ બીમાર તો નથી ને, આ લક્ષણોથી ઓળખો, તરત કરાવો લાઈફસેવિંગ ટેસ્ટ
તમારા બાળકનું હૃદય પણ બીમાર તો નથી ને, આ લક્ષણોથી ઓળખો, તરત કરાવો લાઈફસેવિંગ ટેસ્ટ
Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત
Reliance Industries: રિલાયન્સના શેરહોલ્ડર્સના શેર થઈ જશે બમણા, કાલે થવાની છે મોટી જાહેરાત
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
ઋતુ પરિવર્તનને કારણે લોકોના મૂડ અને તેમના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Embed widget