શોધખોળ કરો

Maharashtra: શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતનો મોટો ખુલાસો, 'રાજ ઠાકરેને લઈ ઉદ્ધવ ઠાકરે ખૂબ જ ...' 

શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અને MNS વડા રાજ ઠાકરે વચ્ચેની નિકટતાના સમાચારે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું  છે.

મુંબઈ:  મહારાષ્ટ્રના રાજકારણમાં એક ચર્ચામાં ખૂબ જ ચાલી રહી છે.  શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અને MNS વડા રાજ ઠાકરે વચ્ચેની નિકટતાના સમાચારે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું  છે. આ અંગે ભાજપથી લઈને એનસીપી સુધીની તમામ પાર્ટીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. દરમિયાન, ફરી એકવાર ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે નિવેદન આપીને બંને ભાઈઓ સાથે આવવાની અટકળોને વેગ આપ્યો છે.

ઉદ્ધવ ઠાકરે ખૂબ જ સકારાત્મક છે - સંજય રાઉત

સંજય રાઉતે મંગળવારે (22 એપ્રિલ) દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે સમાધાનને લઈને ખૂબ જ સકારાત્મક છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે દાવો કર્યો હતો કે આંબેડકરવાદી ચળવળ સાથે સંકળાયેલા લોકો અને પક્ષો પણ આ સંભવિત સમાધાન અંગે સંપર્કમાં છે અને તેઓ આ નવા રાજકીય જોડાણનો ભાગ બનવામાં રસ દાખવી રહ્યા છે.

રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરે પણ "સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ"નું નેતૃત્વ કર્યું હતું અને 'મરાઠી માનુસ'ની એકતા માટે પ્રયત્નો કર્યા હતા. 1950માં શરૂ થયેલી આ ચળવળનો ઉદ્દેશ્ય મરાઠી ભાષી લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરવાનો હતો.

"ત્રીજી વ્યક્તિની જરૂર નથી" 

સંજય રાઉતે કહ્યું, "ઉદ્ધવ અને રાજ વચ્ચેની ચર્ચામાં ત્રીજી વ્યક્તિની જરૂર નથી. હું જાણું છું કે તેઓ એકબીજા અને તેમના પરિવારો પ્રત્યે કેવી લાગણી ધરાવે છે. રાજકારણને કારણે સંબંધો તૂટતા નથી. ઉદ્ધવ આ સમાધાનને લઈને ખૂબ જ હકારાત્મક છે. તેમનું વલણ મહારાષ્ટ્ર અને મરાઠી માનુસના હિતમાં ખૂબ જ સકારાત્મક છે."

રાજકીય હરીફો ઉદ્ધવ અને રાજ ઠાકરેના નિવેદનોએ લગભગ બે દાયકા પહેલા તેમના વિભાજન પછી તેમના સમાધાન વિશે અટકળોને વેગ આપ્યો છે. બંનેએ સંકેત આપ્યા છે કે તેઓ 'નાના મુદ્દાઓ'ને અવગણીને મરાઠી હિતો માટે સાથે આવી શકે છે.

રાજ ઠાકરેએ કહ્યું હતું કે, એક થવું મુશ્કેલ નથી

જ્યારે MNS વડા રાજ ઠાકરેએ કહ્યું છે કે મરાઠી માનુસના હિતમાં એક થવું મુશ્કેલ નથી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ નાના મુદ્દાઓ ભૂલી જવા માટે તૈયાર છે, જો મહારાષ્ટ્ર વિરોધી તત્વોને સ્થાન ન આપવામાં આવે.

રાજ ઠાકરેએ 2005માં શિવસેનાથી અલગ થઈને 2006માં પોતાની પાર્ટી MNSની સ્થાપના કરી હતી. આ પછી તેમણે સમયાંતરે ભારતીય જનતા પાર્ટી (BJP)નો વિરોધ કર્યો અને સમર્થન પણ કર્યું. ભાજપ એક સમયે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો સાથી હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget