શોધખોળ કરો

Maharashtra: શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતનો મોટો ખુલાસો, 'રાજ ઠાકરેને લઈ ઉદ્ધવ ઠાકરે ખૂબ જ ...' 

શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અને MNS વડા રાજ ઠાકરે વચ્ચેની નિકટતાના સમાચારે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું  છે.

મુંબઈ:  મહારાષ્ટ્રના રાજકારણમાં એક ચર્ચામાં ખૂબ જ ચાલી રહી છે.  શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અને MNS વડા રાજ ઠાકરે વચ્ચેની નિકટતાના સમાચારે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું  છે. આ અંગે ભાજપથી લઈને એનસીપી સુધીની તમામ પાર્ટીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. દરમિયાન, ફરી એકવાર ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે નિવેદન આપીને બંને ભાઈઓ સાથે આવવાની અટકળોને વેગ આપ્યો છે.

ઉદ્ધવ ઠાકરે ખૂબ જ સકારાત્મક છે - સંજય રાઉત

સંજય રાઉતે મંગળવારે (22 એપ્રિલ) દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે સમાધાનને લઈને ખૂબ જ સકારાત્મક છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે દાવો કર્યો હતો કે આંબેડકરવાદી ચળવળ સાથે સંકળાયેલા લોકો અને પક્ષો પણ આ સંભવિત સમાધાન અંગે સંપર્કમાં છે અને તેઓ આ નવા રાજકીય જોડાણનો ભાગ બનવામાં રસ દાખવી રહ્યા છે.

રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરે પણ "સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ"નું નેતૃત્વ કર્યું હતું અને 'મરાઠી માનુસ'ની એકતા માટે પ્રયત્નો કર્યા હતા. 1950માં શરૂ થયેલી આ ચળવળનો ઉદ્દેશ્ય મરાઠી ભાષી લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરવાનો હતો.

"ત્રીજી વ્યક્તિની જરૂર નથી" 

સંજય રાઉતે કહ્યું, "ઉદ્ધવ અને રાજ વચ્ચેની ચર્ચામાં ત્રીજી વ્યક્તિની જરૂર નથી. હું જાણું છું કે તેઓ એકબીજા અને તેમના પરિવારો પ્રત્યે કેવી લાગણી ધરાવે છે. રાજકારણને કારણે સંબંધો તૂટતા નથી. ઉદ્ધવ આ સમાધાનને લઈને ખૂબ જ હકારાત્મક છે. તેમનું વલણ મહારાષ્ટ્ર અને મરાઠી માનુસના હિતમાં ખૂબ જ સકારાત્મક છે."

રાજકીય હરીફો ઉદ્ધવ અને રાજ ઠાકરેના નિવેદનોએ લગભગ બે દાયકા પહેલા તેમના વિભાજન પછી તેમના સમાધાન વિશે અટકળોને વેગ આપ્યો છે. બંનેએ સંકેત આપ્યા છે કે તેઓ 'નાના મુદ્દાઓ'ને અવગણીને મરાઠી હિતો માટે સાથે આવી શકે છે.

રાજ ઠાકરેએ કહ્યું હતું કે, એક થવું મુશ્કેલ નથી

જ્યારે MNS વડા રાજ ઠાકરેએ કહ્યું છે કે મરાઠી માનુસના હિતમાં એક થવું મુશ્કેલ નથી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ નાના મુદ્દાઓ ભૂલી જવા માટે તૈયાર છે, જો મહારાષ્ટ્ર વિરોધી તત્વોને સ્થાન ન આપવામાં આવે.

રાજ ઠાકરેએ 2005માં શિવસેનાથી અલગ થઈને 2006માં પોતાની પાર્ટી MNSની સ્થાપના કરી હતી. આ પછી તેમણે સમયાંતરે ભારતીય જનતા પાર્ટી (BJP)નો વિરોધ કર્યો અને સમર્થન પણ કર્યું. ભાજપ એક સમયે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો સાથી હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી

વિડિઓઝ

Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Bangladesh Khaleda Zia: બાંગ્લાદેશના પૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Gold Silver Price Crash: સોનુ હાઇલેવલથી 6હજાર સસ્તુ, ચાંદમાં પહેલીવાર 31500નો કડાકો
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Mumbai Bus Accident: મુંબઇમાં બેસ્ટની બસે 4 લોકોને કચડ્યાં, 10ને ગંભીર ઇજા
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરનારાઓને નવા વર્ષે મળશે મોટી તક, રેલવેમાં 22,000 પદો પર થશે ભરતી
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
8th Pay Commission: 8મું પગાર પંચ 1 જાન્યુઆરીથી થશે લાગુ, શું તમારો પગાર તરત વધી જશે કે જોવી પડશે રાહ?
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
Year Ender 2025: આ વર્ષે ટી-20માં સૌથી મોટી ઈનિંગ રમનાર સાત બેટ્સમેન, લિસ્ટમાં ફક્ત એક ભારતીય
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
પુતિનના નિવાસસ્થાન નજીક ડ્રોન હુમલો, રશિયાએ યુક્રેન પર લગાવ્યો ગંભીર આરોપ, જેલેસ્કીએ શું આપી પ્રતિક્રિયા?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
31 ડિસેમ્બરે હડતાળ પર કેમ જઈ રહ્યા છે સ્વિગી, ઝોમેટો અને અમેઝોનના ગિગ વર્કર્સ, શું છે માંગ?
Embed widget