શોધખોળ કરો

Maharashtra: શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતનો મોટો ખુલાસો, 'રાજ ઠાકરેને લઈ ઉદ્ધવ ઠાકરે ખૂબ જ ...' 

શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અને MNS વડા રાજ ઠાકરે વચ્ચેની નિકટતાના સમાચારે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું  છે.

મુંબઈ:  મહારાષ્ટ્રના રાજકારણમાં એક ચર્ચામાં ખૂબ જ ચાલી રહી છે.  શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અને MNS વડા રાજ ઠાકરે વચ્ચેની નિકટતાના સમાચારે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું  છે. આ અંગે ભાજપથી લઈને એનસીપી સુધીની તમામ પાર્ટીઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. દરમિયાન, ફરી એકવાર ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે નિવેદન આપીને બંને ભાઈઓ સાથે આવવાની અટકળોને વેગ આપ્યો છે.

ઉદ્ધવ ઠાકરે ખૂબ જ સકારાત્મક છે - સંજય રાઉત

સંજય રાઉતે મંગળવારે (22 એપ્રિલ) દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે સમાધાનને લઈને ખૂબ જ સકારાત્મક છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે દાવો કર્યો હતો કે આંબેડકરવાદી ચળવળ સાથે સંકળાયેલા લોકો અને પક્ષો પણ આ સંભવિત સમાધાન અંગે સંપર્કમાં છે અને તેઓ આ નવા રાજકીય જોડાણનો ભાગ બનવામાં રસ દાખવી રહ્યા છે.

રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કહ્યું કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરે પણ "સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ"નું નેતૃત્વ કર્યું હતું અને 'મરાઠી માનુસ'ની એકતા માટે પ્રયત્નો કર્યા હતા. 1950માં શરૂ થયેલી આ ચળવળનો ઉદ્દેશ્ય મરાઠી ભાષી લોકો માટે અલગ મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરવાનો હતો.

"ત્રીજી વ્યક્તિની જરૂર નથી" 

સંજય રાઉતે કહ્યું, "ઉદ્ધવ અને રાજ વચ્ચેની ચર્ચામાં ત્રીજી વ્યક્તિની જરૂર નથી. હું જાણું છું કે તેઓ એકબીજા અને તેમના પરિવારો પ્રત્યે કેવી લાગણી ધરાવે છે. રાજકારણને કારણે સંબંધો તૂટતા નથી. ઉદ્ધવ આ સમાધાનને લઈને ખૂબ જ હકારાત્મક છે. તેમનું વલણ મહારાષ્ટ્ર અને મરાઠી માનુસના હિતમાં ખૂબ જ સકારાત્મક છે."

રાજકીય હરીફો ઉદ્ધવ અને રાજ ઠાકરેના નિવેદનોએ લગભગ બે દાયકા પહેલા તેમના વિભાજન પછી તેમના સમાધાન વિશે અટકળોને વેગ આપ્યો છે. બંનેએ સંકેત આપ્યા છે કે તેઓ 'નાના મુદ્દાઓ'ને અવગણીને મરાઠી હિતો માટે સાથે આવી શકે છે.

રાજ ઠાકરેએ કહ્યું હતું કે, એક થવું મુશ્કેલ નથી

જ્યારે MNS વડા રાજ ઠાકરેએ કહ્યું છે કે મરાઠી માનુસના હિતમાં એક થવું મુશ્કેલ નથી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ નાના મુદ્દાઓ ભૂલી જવા માટે તૈયાર છે, જો મહારાષ્ટ્ર વિરોધી તત્વોને સ્થાન ન આપવામાં આવે.

રાજ ઠાકરેએ 2005માં શિવસેનાથી અલગ થઈને 2006માં પોતાની પાર્ટી MNSની સ્થાપના કરી હતી. આ પછી તેમણે સમયાંતરે ભારતીય જનતા પાર્ટી (BJP)નો વિરોધ કર્યો અને સમર્થન પણ કર્યું. ભાજપ એક સમયે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો સાથી હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Train Cancelled: આજથી 42 દિવસ સુધી પ્રભાવિત રહેશે વન્દે ભારત-શતાબ્દી સહિતની ટ્રેનો, જુઓ લિસ્ટ
Train Cancelled: આજથી 42 દિવસ સુધી પ્રભાવિત રહેશે વન્દે ભારત-શતાબ્દી સહિતની ટ્રેનો, જુઓ લિસ્ટ
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

વિડિઓઝ

સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક પડી ફિક્કી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક પડી ફિક્કી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
Donald Trump: 'યુદ્ધ હજુ પૂર્ણ નહીં, બે-ત્રણ સપ્તાહ ઈરાન પર કરીશું મોટા હુમલાઓ', ટ્રમ્પના સંબોધનની મોટી વાતો
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે એક્શન મોડમાં સરકાર: અફવાઓ રોકવા PM મોદીની કડક સૂચના
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
KL રાહુલ અને અક્ષર પટેલ 'ઝીરો' પર આઉટ, છતાં દિલ્હીનો ડંકો! જુઓ કેવી રીતે પાછળથી બાજી પલટાઈ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
Embed widget