શોધખોળ કરો
તામિલનાડુના વિરુધુનગરમાં એક ફટાકડા ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 6 લોકોના મોત
આગ એટલી ભીષણ હતી કે તેના કારણે છ લોકોના મોત થઇ ગયા છે. સમાચાર એજન્સી એએનઆઇએ આ ખબર આપી છે

(પ્રતિકાત્મક તસવીર)
ચેન્નાઇઃ તામિલનાડુના વિરુધુનગરમાં શુક્રવારે એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગી ગઇ, આગ એટલી ભીષણ હતી કે તેના કારણે છ લોકોના મોત થઇ ગયા છે. સમાચાર એજન્સી એએનઆઇએ આ ખબર આપી છે. તામિલનાડુની આગ દૂર્ઘટનાને લઇને રાહુલ ગાંધીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક મદદની અપીલ કરી છે. તેમને ટ્વીટ કરીને કહ્યું- તામિલનાડુના વિરુધુનગરમાં ફટાકડા પીડિતોના પરિવારો પ્રત્યે દિલથી સાંત્વના વ્યક્ત કરુ છું, જે લોકો હજુ પણ અંદર ફસાયેલા છે, તેમના વિશે વિચારવુ હ્રદય વિદારક છે. હું રાજ્ય સરકારને એ એપીલ કરુ છુ કે તે તાત્કાલિક બચાવ, મદદ અને રાહત માટે કામગીરી કરે.
વધુ વાંચો





















