શોધખોળ કરો

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારતના સવા કરોડ લોકો મુશ્કેલીમાં મુકાયા, જાણો વિગતે

રુશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. ભારતમાં ચાના બગીચા સાથે જોડાયેલા સવા કરોડ લોકો ચિંતિત બન્યા છે. આ યુદ્ધથી ભારતીય ચાના ઉત્પાદકો અને નિકાસકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે.

રુશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. ભારતમાં ચાના બગીચા સાથે જોડાયેલા સવા કરોડ લોકો ચિંતિત બન્યા છે. આ યુદ્ધથી ભારતીય ચાના ઉત્પાદકો અને નિકાસકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે, ભારતીય વાવેતરમાંથી લગભગ 20 ટકા ચા રશિયામાં નિકાસ કરવામાં આવે છે. યુક્રેનમાં પણ ભારતીય ચાના શોખીનો છે. હવે આ બંને દેશોમાં ચાની નિકાસ બંધ થઈ ગઈ છે. યુક્રેન તરફથી નવા ઓર્ડર મળી રહ્યા નથી કારણ કે ત્યાં લડાઈ ચાલી રહી છે. પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને કારણે ડૉલરની ચુકવણીમાં અવરોધ ઊભો થયો છે. નિકાસ બંધ છે, પેમેન્ટ સિસ્ટમ બંધ છે, આવી સ્થિતિમાં ભારતીય ચાના બગીચાના માલિકો સામે મોટી સમસ્યા ઊભી થઈ છે.

ભારત સરકાર કેટલીક નવી જગ્યાઓ પર વૈકલ્પિક બજારો વિકસાવવાની પ્રક્રિયામાં છે. ચાના નવા બજારોમાં યુએસ, જાપાન, ઈરાક, ટ્યુનિશિયા અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ચાના બગીચા ઉદ્યોગને જે નુકસાન થયું છે તે હવે આ દેશોમાં ચાની નિકાસ કરીને પૂરી કરી શકાય છે. રૂપિયા-રૂબલમાં બિઝનેસ શરૂ કરવાની વાત ચાલી રહી છે.

ભારતીય ચાના બગીચાના માલિકો ચિંતિત 

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ચાના ઉત્પાદકો અને નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીય ચાના બીજા સૌથી મોટા ખરીદદાર ગણાતા રશિયાએ હવે ત્યાં નિકાસ બંધ કરી દીધી છે. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. વેપારીઓને ડોલરની ચુકવણીમાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય ચા સંઘના અધ્યક્ષ નયનતારા પાલ ચૌધરીએ પહેલેથી જ કહ્યું છે કે ભારતીય ચા ઉત્પાદકો માટે રશિયન બજાર મહત્વપૂર્ણ છે. યુદ્ધની અસર રશિયા અને યુક્રેનની નિકાસ પર પડી છે.

તો બીજી તરફ વૈશ્વિક શિપિંગ લાઇનોએ રશિયા તરફથી આવતા જતા શિપમેન્ટ રદ કરી દીધા છે. એર કુરિયર સંપૂર્ણપણે બંધ છે. ચાના બગીચાના માલિકોને ડર છે કે ગયા વર્ષના માલનું તેમનું પેમેન્ટ અટકી જશે. પશ્ચિમી દેશોએ સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન (SWIFT) માટે રશિયન બેન્કોની પહોંચ પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી પેમેન્ટ ચુકવણીના રસ્તાઓ અવરોધિત થઈ ગયા છે. આવી સ્થિતિમાં ભારતની ચાની નિકાસ મુશ્કેલીમાં આવી ગઈ છે. ચુકવણીની નવી પ્રક્રિયા સાથે નિકાસ શરૂ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
ભારતમાં X પર 18+ સામગ્રી પર પ્રતિબંધ? એલોન મસ્કના નિર્ણયથી સોશિયલ મીડિયા પર હોબાળો
ભારતમાં X પર 18+ સામગ્રી પર પ્રતિબંધ? એલોન મસ્કના નિર્ણયથી સોશિયલ મીડિયા પર હોબાળો
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
ગુજરાત પ્રવાસન અને યાત્રાધામોનો થશે કાયાકલ્પ: હર્ષ સંઘવીએ 28.68 કરોડના કામોને આપી લીલી ઝંડી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
Embed widget