શોધખોળ કરો

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારતના સવા કરોડ લોકો મુશ્કેલીમાં મુકાયા, જાણો વિગતે

રુશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. ભારતમાં ચાના બગીચા સાથે જોડાયેલા સવા કરોડ લોકો ચિંતિત બન્યા છે. આ યુદ્ધથી ભારતીય ચાના ઉત્પાદકો અને નિકાસકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે.

રુશિયા-યુક્રેન યુદ્ધની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. ભારતમાં ચાના બગીચા સાથે જોડાયેલા સવા કરોડ લોકો ચિંતિત બન્યા છે. આ યુદ્ધથી ભારતીય ચાના ઉત્પાદકો અને નિકાસકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે, ભારતીય વાવેતરમાંથી લગભગ 20 ટકા ચા રશિયામાં નિકાસ કરવામાં આવે છે. યુક્રેનમાં પણ ભારતીય ચાના શોખીનો છે. હવે આ બંને દેશોમાં ચાની નિકાસ બંધ થઈ ગઈ છે. યુક્રેન તરફથી નવા ઓર્ડર મળી રહ્યા નથી કારણ કે ત્યાં લડાઈ ચાલી રહી છે. પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને કારણે ડૉલરની ચુકવણીમાં અવરોધ ઊભો થયો છે. નિકાસ બંધ છે, પેમેન્ટ સિસ્ટમ બંધ છે, આવી સ્થિતિમાં ભારતીય ચાના બગીચાના માલિકો સામે મોટી સમસ્યા ઊભી થઈ છે.

ભારત સરકાર કેટલીક નવી જગ્યાઓ પર વૈકલ્પિક બજારો વિકસાવવાની પ્રક્રિયામાં છે. ચાના નવા બજારોમાં યુએસ, જાપાન, ઈરાક, ટ્યુનિશિયા અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ચાના બગીચા ઉદ્યોગને જે નુકસાન થયું છે તે હવે આ દેશોમાં ચાની નિકાસ કરીને પૂરી કરી શકાય છે. રૂપિયા-રૂબલમાં બિઝનેસ શરૂ કરવાની વાત ચાલી રહી છે.

ભારતીય ચાના બગીચાના માલિકો ચિંતિત 

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ચાના ઉત્પાદકો અને નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીય ચાના બીજા સૌથી મોટા ખરીદદાર ગણાતા રશિયાએ હવે ત્યાં નિકાસ બંધ કરી દીધી છે. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. વેપારીઓને ડોલરની ચુકવણીમાં અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય ચા સંઘના અધ્યક્ષ નયનતારા પાલ ચૌધરીએ પહેલેથી જ કહ્યું છે કે ભારતીય ચા ઉત્પાદકો માટે રશિયન બજાર મહત્વપૂર્ણ છે. યુદ્ધની અસર રશિયા અને યુક્રેનની નિકાસ પર પડી છે.

તો બીજી તરફ વૈશ્વિક શિપિંગ લાઇનોએ રશિયા તરફથી આવતા જતા શિપમેન્ટ રદ કરી દીધા છે. એર કુરિયર સંપૂર્ણપણે બંધ છે. ચાના બગીચાના માલિકોને ડર છે કે ગયા વર્ષના માલનું તેમનું પેમેન્ટ અટકી જશે. પશ્ચિમી દેશોએ સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન (SWIFT) માટે રશિયન બેન્કોની પહોંચ પર પ્રતિબંધ મૂક્યો છે. આનાથી પેમેન્ટ ચુકવણીના રસ્તાઓ અવરોધિત થઈ ગયા છે. આવી સ્થિતિમાં ભારતની ચાની નિકાસ મુશ્કેલીમાં આવી ગઈ છે. ચુકવણીની નવી પ્રક્રિયા સાથે નિકાસ શરૂ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget