શોધખોળ કરો

પહેલગામ હુમલા બાદ ઉધમપુરમાં આતંકીઓ સાથે સેનાની અથડામણ, એક જવાન શહીદ

Encounter in Udhampur: એવું માનવામાં આવે છે કે આ આતંકવાદીઓ કદાચ એ જ મોટા જૂથનો ભાગ છે જે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને હીરાનગર સેક્ટરથી ભારતમાં પ્રવેશ્યા હતા

Encounter in Udhampur: પહેલગામમાં થયેલા દુ:ખદ આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, ગુરુવારે (24 એપ્રિલ) સવારે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ડુડુ-બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું.

લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્ટવાલે જણાવ્યું હતું કે, "ડુડુ-બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે." તેમણે કહ્યું કે એન્કાઉન્ટર સંબંધિત સંપૂર્ણ માહિતીની રાહ જોવાઈ રહી છે. માહિતી અનુસાર, શરૂઆતની એન્કાઉન્ટરમાં એક સૈનિક શહીદ થયો છે.

ઘણા આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા  - 
એવું માનવામાં આવે છે કે આ આતંકવાદીઓ કદાચ એ જ મોટા જૂથનો ભાગ છે જે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને હીરાનગર સેક્ટરથી ભારતમાં પ્રવેશ્યા હતા. સાનિયાલ ગામ નજીકના ડોલકા જંગલમાં એક દંપતીની સતર્કતાને કારણે આ જૂથ પહેલી વાર 23 માર્ચે જોવા મળ્યું હતું. આ પછી, 27 માર્ચે, કઠુઆ જિલ્લાના જાખોલે ગામ નજીક સુફાન જંગલોમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. એ જ રીતે, ૧૧-૧૨ એપ્રિલના રોજ, કિશ્તવાડ જિલ્લાના ચતરુ વિસ્તારના નાદગામ જંગલોમાં સેના દ્વારા કરવામાં આવેલા એક ખાસ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

પહેલગામમાં આતંકવાદીઓ પર હુમલો 
મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો અને વિશ્વભરમાં તેની સખત નિંદા થઈ. હવે, ઉધમપુરમાં આતંકવાદીઓની હાજરી અને એન્કાઉન્ટરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઘૂસણખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે અને તેમનો વ્યાપ પણ વધી શકે છે.

હાલમાં, ડુડુ-બસંતગઢ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે અને દરેક સ્તરે કડક તકેદારી રાખવામાં આવી રહી છે. સરકાર અને સુરક્ષા દળોની યોજનાઓ હવે આતંકવાદીઓના સમગ્ર નેટવર્કને ખતમ કરવા પર કેન્દ્રિત છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget