શોધખોળ કરો

Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત

PM Modi In Gujarat: એકતા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કહ્યું કે દેશની સુરક્ષા સાથે ચેડાં કરનારાઓને ખબર છે કે તેમનું શું થવાનું છે.

PM Modi On UCC: પ્રધાનમંત્રી મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગુરુવારે (31 ઓક્ટોબર) સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જયંતી પર ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહ માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દર વર્ષે 31 ઓક્ટોબરે પટેલની જયંતીના અવસરે ઉજવવામાં આવે છે.

પીએમ મોદીએ કહ્યું, "આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદ્ભુત સંયોગ લઈને આવ્યો છે. એક તરફ આપણે એકતાનો પર્વ ઉજવી રહ્યા છીએ તો બીજી તરફ દિવાળીનો પણ તહેવાર છે." તેમણે આગળ કહ્યું કે રોશનીનો તહેવાર માત્ર "દેશને રોશન કરે છે" એટલું જ નહીં પરંતુ તેણે ભારતને બાકીની દુનિયા સાથે જોડવાનું પણ શરૂ કરી દીધું છે.

તેમની આ ટિપ્પણી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણીના એક દિવસ પછી આવી, જેમાં 600થી વધુ પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકનો હાજર હતા. તેમણે કહ્યું, "આ (દિવાળી) ઘણા દેશોમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવી રહી છે."

જલ્દી સાચું થશે એક દેશ એક ચૂંટણી અને UCC - PM મોદી

પ્રધાનમંત્રીએ દોહરાવ્યું કે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' પ્રસ્તાવ, જેનો ઉદ્દેશ દેશમાં બધી ચૂંટણીઓને એક જ દિવસે અથવા એક ચોક્કસ સમયગાળામાં એક સાથે યોજવાનો છે, જલ્દી જ મંજૂર થઈ જશે અને એક વાસ્તવિકતા બની જશે. પ્રસ્તાવને આ વર્ષની શરૂઆતમાં કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને તેને આ વર્ષના અંતમાં સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે.

તેમણે કહ્યું, "અમે હવે 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' દિશામાં કામ કરી રહ્યા છીએ, જેનાથી ભારતનું લોકશાહી મજબૂત થશે, ભારતના સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થશે અને દેશને વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં નવી ગતિ મળશે. આજે ભારત 'એક રાષ્ટ્ર એક નાગરિક સંહિતા' તરફ આગળ વધી રહ્યું છે, જે એક બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા છે."

દેશની સુરક્ષા અંગે શું બોલ્યા PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં તેમની સરકારના છેલ્લા 10 વર્ષના શાસનમાં રાષ્ટ્રીય સુરક્ષા માટેના ઘણા જોખમોને દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "આતંકવાદીઓના 'આકાઓ'ને હવે ખબર છે કે ભારતને નુકસાન પહોંચાડવાથી કોઈ ફાયદો નથી, કારણ કે ભારત તેમને છોડશે નહીં."

પ્રધાનમંત્રીએ દાવો કર્યો કે દેશના ઉત્તર પૂર્વ ક્ષેત્રોને પરેશાન કરતા મુદ્દાઓને "વાતચીત, વિશ્વાસ અને વિકાસ" દ્વારા ઉકેલવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "બોડો અને બ્રુ રિયાંગ સમજૂતીઓએ શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરી છે. નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરાની સમજૂતીએ લાંબા સમયથી ચાલતી અશાંતિને સમાપ્ત કરી છે. ભારત શાંતિ, વિકાસ અને સમૃદ્ધિ સાથે આગળ વધી રહ્યું છે. અમે આસામ અને મેઘાલય વચ્ચેના સીમા વિવાદને મોટાભાગે ઉકેલી લીધો છે."

આ પણ વાંચોઃ

Maharashtra Election: મહારાષ્ટ્રમાં સામે આવ્યો એ સર્વે જે BJPની ઊંઘ ઉડાવી દેશે! આંકડા જોઈને CM શિંદેને પરસેવો આવી શકે છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget