શોધખોળ કરો

VARANASI : પીએમ મોદીએ કર્યા વિપક્ષ પર પ્રહાર, કહ્યું "કોરોના હોય કે યુક્રેન સંકટ, વિપક્ષનું હંમેશા નકારાત્મક વલણ"

UP ELECTION : યુપીમાં 6 તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે પીએમ મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓ છેલ્લા તબક્કાની રેલીઓમાં વ્યસ્ત છે.

UP Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વારાણસીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા સપા, બસપા અને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમે કહ્યું કે આ ચૂંટણીમાં મારી આ છેલ્લી મુલાકાત છે. આ વખતે સરકાર પોતાના કામ પર ચૂંટણી લડી રહી છે. આખું યુપી એક થઈને કહી રહ્યું છે કે જો આવશે તો માત્ર યોગી આવશે, માત્ર ભાજપ જ આવશે. યુપીના લોકોએ ઘોર પરિવારવાદીઓને  સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પીએમે સપાનું નામ લીધા વગર નિશાન સાધતા કહ્યું કે ઘોર પરિવારવાદીઓએ 5 વર્ષમાં માત્ર  રમખાણો જ કર્યા હતા. લોકો કહી રહ્યા છે કે જેઓ યુપીની સેવા કરી રહ્યા છે, તેમણે વિકાસ ચાલુ રાખવો જોઈએ.

અમે સંકટ અને પડકારોને તકોમાં બદલીશું: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, "આજે ડબલ એન્જિનનો બેવડો ફાયદો છે, જેનો લાભ યુપીનો દરેક નાગરિક ઉઠાવી રહ્યો છે, તો બીજી તરફ ઘોર પરિવારવાદીઓની ખાલી ઘોષણાઓ છે જે ક્યારેય પૂર્ણ નહીં થઈ શકે. 21મી સદીનો આ ત્રીજો દાયકો વિશ્વ માટે નવા પડકારો, અભૂતપૂર્વ સંકટ લઈને આવ્યો છે. પરંતુ ભારતે નક્કી કર્યું છે કે અમે આ અભૂતપૂર્વ સંકટ અને પડકારોને તકોમાં પરિવર્તિત કરીશું. આ સંકલ્પ માત્ર મારો નથી, તે ભારતના 130 કરોડ નાગરિકોનો છે, તે તમામ ભારતીયોનો છે."

પીએમ મોદીએ વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું, "જ્યારે પણ સંકટ આવે છે ત્યારે આખું ભારત એકતા દર્શાવે છે, પરંતુ વિપક્ષ દરેક જગ્યાએ નકારાત્મકતા બતાવે છે. પછી ભલે તે કોરોનાનો મામલો હોય, કે પછી યુક્રેન સંકટની વાત હોય. વિપક્ષ માત્ર નકારાત્મક વલણ જ અપનાવે છે. આપણે કોરોના દરમિયાન જોયું અને આજે યુક્રેન કટોકટી દરમિયાન આપણે તે જ અનુભવી રહ્યા છીએ. આંધળો વિરોધ, સતત વિરોધ, ઘોર નિરાશા, નકારાત્મકતા તેમની રાજકીય વિચારધારા બની ગઈ છે." 

પરિવારવાદીઓ  હંમેશા રાજકીય સ્વાર્થ શોધે છેઃ પીએમ મોદી
વડાપ્રધાને કહ્યું, "આપણા ગામડાઓની એક શક્તિ એ છે કે જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની ફરિયાદ ભૂલી જાય છે અને એક થઈ જાય છે, પરંતુ જ્યારે દેશ સામે કોઈ પડકાર હોય છે ત્યારે આ ચરમપંથી પરિવારવાદીઓ તેમાં પણ રાજકીય સ્વાર્થ શોધતા હોય છે. ભારત બે વર્ષથી 80 કરોડથી વધુ ગરીબ, દલિત, પછાત, આદિવાસી પરિવારોને મફત રાશન પૂરું પાડે છે. આ કામ જોઈને આખી દુનિયા ચોંકી ગઈ છે. હું ખુશ છું કે મારો ગરીબ ખુશ છે, મારી ગરીબ માતા મને આશીર્વાદ આપી રહી છે. "

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget