શોધખોળ કરો

UP : અતિકને લઈને યોગી સરકાર લઈ શકે આકરો નિર્ણય, પરિવારની થશે રઝળપાટ

માફિયાઓએ કબજે કરેલી જમીનને ચિન્હિત કરીને લોકોને પરત કરવાની વિચારણા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, યોગી સરકાર આ મામલે જલ્દી જ નિર્ણય લઈ શકે છે.

Mafia Atiq Ahmed : માફિયા અતીક અહેમદનો ખેલ ખતમ થઈ ગયો છે. હવે તેની સંપત્તિને લઈને યોગી સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. અતિક દ્વારા કબજે કરાયેલી જમીન પીડિતોને પાછી આપી શકાય કે કેમ? તે અંગે યોગી સરકાર વિચારણા કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે રાજ્ય સરકાર એક કમિશન બનાવશે, જેના રિપોર્ટ પર કબજે કરેલી જમીનો પરત કરવાનો નિર્ણય લેવામાં આવશે. માફિયા અતીક અને તેના ભાઈ અશરફે દાદાગીરી કરીને પ્રયાગરાજ સહિત અનેક શહેરોમાં અનેક જમીનો પર કબજો જમાવ્યો હતો અથવા તો લોકો પાસેથી મોંઘા ભાવે જમીનો પડાવી લીધી હતી.

માફિયાઓએ કબજે કરેલી જમીનને ચિન્હિત કરીને લોકોને પરત કરવાની વિચારણા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, યોગી સરકાર આ મામલે જલ્દી જ નિર્ણય લઈ શકે છે. અતીક અહેમદની હત્યા બાદ પોલીસના ચક્કર લગાવનારા આવા પીડિતોની સંખ્યામાં એકાએક વધારો થયો છે. જેને ધ્યાનમાં લઈ અધિકારીઓ રૂપરેખા તૈયાર કરી રહ્યા છે.

13 એપ્રિલે યુપી એસટીએફએ અતીક અહેમદના પુત્ર અસદ અહેમદને એન્કાઉન્ટરમાં માર્યો હતો. તે જ દિવસે, યુપી પ્રશાસન દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો હતો. જે દર્શાવે છે કે અતીક અહેમદે બળજબરી દ્વારા કેટલી સંપત્તિ એકઠી કરી હતી, કારણ કે 10માં નાપાસ અતીક અહેમદને આટલી સંપત્તિ કેવી રીતે અને ક્યાંથી મળી? છેલ્લા 2 વર્ષથી અતીક અહેમદની ગેરકાયદેસર મિલકતો પર યોગી સરકારનું બુલડોઝર ચાલી રહ્યું છે, હજુ પણ તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ છે. અતીક અહેમદનું કાળું નાણું ઘણા શહેરોમાંથી શોધી કાઢવામાં આવ્યું છે.

1169 કરોડની ગેરકાયદેસર મિલકતો મુક્ત કરાવવામાં આવી

સરકારી આંકડાઓ અનુસાર, 13 એપ્રિલ સુધી, અતીક અહેમદ પાસેથી લગભગ 1169 કરોડની ગેરકાયદેસર સંપત્તિ મુક્ત કરવામાં આવી છે. જ્યારે ઘણા શહેરોમાં દરોડા હજુ પણ ચાલુ છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં વધુ ઘટસ્ફોટ થઈ શકે છે. અને આ દરમિયાન હવે ધીરે ધીરે અતીક પર ત્રાસ ગુજારનારા લોકો પણ સામે આવી રહ્યા છે. યુપી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, પ્રશાસને અતીક અહેમદની 417 કરોડ રૂપિયાની સંપત્તિનો કબજો લઈ લીધો છે, જ્યારે 752 કરોડ રૂપિયાના ગેરકાયદેસર કબજાને તોડી પાડવામાં આવ્યો છે. કુલ મળીને અત્યાર સુધીમાં રૂ. 1169 કરોડની ગેરકાયદેસર સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

અતીકે સોનિયા ગાંધીના સંબંધીની જમીન પર પણ અતિક્રમણ કર્યું હતું

અતીક અહેમદે સિવિલ લાઈન્સ વિસ્તારમાં વીરા ડી ગાંધીની મિલકત પર અતિક્રમણ કર્યું હતું. વીરા ગાંધી સોનિયાના ખાસ સંબંધી છે અને પેલેસ ટોકીઝના માલિક છે. પ્રયાગરાજના પ્રભાવશાળી લોકોમાં વીરા ગાંધીના પરિવારનો પણ સમાવેશ થાય છે. કથિત રીતે, આ ઘટના 2007 માં બની હતી, જ્યારે અતીકે વીરા ડી ગાંધીની જમીન પર કબજો મેળવ્યો હતો અને તેના સાગરિતોને પૂછીને તેને તાળું મારી દીધું હતું. વીરા ગાંધીની આ મિલકત પેલેસ ટોકીઝની પાછળ જ હતી. અતીક તે સમયે ફુલપુરના સાંસદ હતા અને તે સમયે યુપીમાં સત્તાધારી પક્ષ સમાજવાદી પાર્ટી (SP)નું પ્રતિનિધિત્વ કરતા હતા.

કેન્દ્ર સરકારની દરમિયાનગીરી બાદ અતીકે જમીન છોડી દીધી હતી

જ્યારે વીરા ગાંધીને અતીક દ્વારા તેમની જમીનના અતિક્રમણ વિશે જાણ થઈ, ત્યારે તેમણે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને પગલાં લેવા માટે અપીલ કરી, પરંતુ કથિત રીતે તેમની ફરિયાદ પર કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. પણ આખરે કેન્દ્રએ દરમિયાનગીરી કરતા અતિકે જમીન પરનો કબજો છૉડી દેવો પડ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget