શોધખોળ કરો

UP : અતિકને લઈને યોગી સરકાર લઈ શકે આકરો નિર્ણય, પરિવારની થશે રઝળપાટ

માફિયાઓએ કબજે કરેલી જમીનને ચિન્હિત કરીને લોકોને પરત કરવાની વિચારણા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, યોગી સરકાર આ મામલે જલ્દી જ નિર્ણય લઈ શકે છે.

Mafia Atiq Ahmed : માફિયા અતીક અહેમદનો ખેલ ખતમ થઈ ગયો છે. હવે તેની સંપત્તિને લઈને યોગી સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. અતિક દ્વારા કબજે કરાયેલી જમીન પીડિતોને પાછી આપી શકાય કે કેમ? તે અંગે યોગી સરકાર વિચારણા કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે રાજ્ય સરકાર એક કમિશન બનાવશે, જેના રિપોર્ટ પર કબજે કરેલી જમીનો પરત કરવાનો નિર્ણય લેવામાં આવશે. માફિયા અતીક અને તેના ભાઈ અશરફે દાદાગીરી કરીને પ્રયાગરાજ સહિત અનેક શહેરોમાં અનેક જમીનો પર કબજો જમાવ્યો હતો અથવા તો લોકો પાસેથી મોંઘા ભાવે જમીનો પડાવી લીધી હતી.

માફિયાઓએ કબજે કરેલી જમીનને ચિન્હિત કરીને લોકોને પરત કરવાની વિચારણા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, યોગી સરકાર આ મામલે જલ્દી જ નિર્ણય લઈ શકે છે. અતીક અહેમદની હત્યા બાદ પોલીસના ચક્કર લગાવનારા આવા પીડિતોની સંખ્યામાં એકાએક વધારો થયો છે. જેને ધ્યાનમાં લઈ અધિકારીઓ રૂપરેખા તૈયાર કરી રહ્યા છે.

13 એપ્રિલે યુપી એસટીએફએ અતીક અહેમદના પુત્ર અસદ અહેમદને એન્કાઉન્ટરમાં માર્યો હતો. તે જ દિવસે, યુપી પ્રશાસન દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો હતો. જે દર્શાવે છે કે અતીક અહેમદે બળજબરી દ્વારા કેટલી સંપત્તિ એકઠી કરી હતી, કારણ કે 10માં નાપાસ અતીક અહેમદને આટલી સંપત્તિ કેવી રીતે અને ક્યાંથી મળી? છેલ્લા 2 વર્ષથી અતીક અહેમદની ગેરકાયદેસર મિલકતો પર યોગી સરકારનું બુલડોઝર ચાલી રહ્યું છે, હજુ પણ તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ છે. અતીક અહેમદનું કાળું નાણું ઘણા શહેરોમાંથી શોધી કાઢવામાં આવ્યું છે.

1169 કરોડની ગેરકાયદેસર મિલકતો મુક્ત કરાવવામાં આવી

સરકારી આંકડાઓ અનુસાર, 13 એપ્રિલ સુધી, અતીક અહેમદ પાસેથી લગભગ 1169 કરોડની ગેરકાયદેસર સંપત્તિ મુક્ત કરવામાં આવી છે. જ્યારે ઘણા શહેરોમાં દરોડા હજુ પણ ચાલુ છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં વધુ ઘટસ્ફોટ થઈ શકે છે. અને આ દરમિયાન હવે ધીરે ધીરે અતીક પર ત્રાસ ગુજારનારા લોકો પણ સામે આવી રહ્યા છે. યુપી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, પ્રશાસને અતીક અહેમદની 417 કરોડ રૂપિયાની સંપત્તિનો કબજો લઈ લીધો છે, જ્યારે 752 કરોડ રૂપિયાના ગેરકાયદેસર કબજાને તોડી પાડવામાં આવ્યો છે. કુલ મળીને અત્યાર સુધીમાં રૂ. 1169 કરોડની ગેરકાયદેસર સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

અતીકે સોનિયા ગાંધીના સંબંધીની જમીન પર પણ અતિક્રમણ કર્યું હતું

અતીક અહેમદે સિવિલ લાઈન્સ વિસ્તારમાં વીરા ડી ગાંધીની મિલકત પર અતિક્રમણ કર્યું હતું. વીરા ગાંધી સોનિયાના ખાસ સંબંધી છે અને પેલેસ ટોકીઝના માલિક છે. પ્રયાગરાજના પ્રભાવશાળી લોકોમાં વીરા ગાંધીના પરિવારનો પણ સમાવેશ થાય છે. કથિત રીતે, આ ઘટના 2007 માં બની હતી, જ્યારે અતીકે વીરા ડી ગાંધીની જમીન પર કબજો મેળવ્યો હતો અને તેના સાગરિતોને પૂછીને તેને તાળું મારી દીધું હતું. વીરા ગાંધીની આ મિલકત પેલેસ ટોકીઝની પાછળ જ હતી. અતીક તે સમયે ફુલપુરના સાંસદ હતા અને તે સમયે યુપીમાં સત્તાધારી પક્ષ સમાજવાદી પાર્ટી (SP)નું પ્રતિનિધિત્વ કરતા હતા.

કેન્દ્ર સરકારની દરમિયાનગીરી બાદ અતીકે જમીન છોડી દીધી હતી

જ્યારે વીરા ગાંધીને અતીક દ્વારા તેમની જમીનના અતિક્રમણ વિશે જાણ થઈ, ત્યારે તેમણે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને પગલાં લેવા માટે અપીલ કરી, પરંતુ કથિત રીતે તેમની ફરિયાદ પર કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. પણ આખરે કેન્દ્રએ દરમિયાનગીરી કરતા અતિકે જમીન પરનો કબજો છૉડી દેવો પડ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે
બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
પશ્ચિમ બંગાળમાં BJP એ 144 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, મમતા સામે આ દિગ્ગજ નેતાને આપી ટિકિટ 
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
ગેસ સંકટ થશે દૂર: હોર્મુઝની ખાડી પાર કરી LPG ભરેલું જહાજ 'શિવાલિક' મુન્દ્રા પોર્ટ પહોંચ્યું, ભારતની કૂટનીતિની મોટી જીત
બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે
બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: 18 થી 20 માર્ચ સુધી પલટાશે વાતાવરણ, જાણો ક્યાં પડશે વરસાદ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
સુરતમાં રત્નકલાકાર પતિની હેવાનિયત: ઘરમાં દારૂની મહેફિલ બાદ પત્નીને 3 મિત્રોને સોંપી, નરાધમોએ કર્યો ગેંગરેપ
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
Kerala BJP Candidates List: કેરળમાં ભાજપે 47 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Embed widget