શોધખોળ કરો

UP : અતિકને લઈને યોગી સરકાર લઈ શકે આકરો નિર્ણય, પરિવારની થશે રઝળપાટ

માફિયાઓએ કબજે કરેલી જમીનને ચિન્હિત કરીને લોકોને પરત કરવાની વિચારણા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, યોગી સરકાર આ મામલે જલ્દી જ નિર્ણય લઈ શકે છે.

Mafia Atiq Ahmed : માફિયા અતીક અહેમદનો ખેલ ખતમ થઈ ગયો છે. હવે તેની સંપત્તિને લઈને યોગી સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. અતિક દ્વારા કબજે કરાયેલી જમીન પીડિતોને પાછી આપી શકાય કે કેમ? તે અંગે યોગી સરકાર વિચારણા કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે રાજ્ય સરકાર એક કમિશન બનાવશે, જેના રિપોર્ટ પર કબજે કરેલી જમીનો પરત કરવાનો નિર્ણય લેવામાં આવશે. માફિયા અતીક અને તેના ભાઈ અશરફે દાદાગીરી કરીને પ્રયાગરાજ સહિત અનેક શહેરોમાં અનેક જમીનો પર કબજો જમાવ્યો હતો અથવા તો લોકો પાસેથી મોંઘા ભાવે જમીનો પડાવી લીધી હતી.

માફિયાઓએ કબજે કરેલી જમીનને ચિન્હિત કરીને લોકોને પરત કરવાની વિચારણા ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, યોગી સરકાર આ મામલે જલ્દી જ નિર્ણય લઈ શકે છે. અતીક અહેમદની હત્યા બાદ પોલીસના ચક્કર લગાવનારા આવા પીડિતોની સંખ્યામાં એકાએક વધારો થયો છે. જેને ધ્યાનમાં લઈ અધિકારીઓ રૂપરેખા તૈયાર કરી રહ્યા છે.

13 એપ્રિલે યુપી એસટીએફએ અતીક અહેમદના પુત્ર અસદ અહેમદને એન્કાઉન્ટરમાં માર્યો હતો. તે જ દિવસે, યુપી પ્રશાસન દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો હતો. જે દર્શાવે છે કે અતીક અહેમદે બળજબરી દ્વારા કેટલી સંપત્તિ એકઠી કરી હતી, કારણ કે 10માં નાપાસ અતીક અહેમદને આટલી સંપત્તિ કેવી રીતે અને ક્યાંથી મળી? છેલ્લા 2 વર્ષથી અતીક અહેમદની ગેરકાયદેસર મિલકતો પર યોગી સરકારનું બુલડોઝર ચાલી રહ્યું છે, હજુ પણ તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ છે. અતીક અહેમદનું કાળું નાણું ઘણા શહેરોમાંથી શોધી કાઢવામાં આવ્યું છે.

1169 કરોડની ગેરકાયદેસર મિલકતો મુક્ત કરાવવામાં આવી

સરકારી આંકડાઓ અનુસાર, 13 એપ્રિલ સુધી, અતીક અહેમદ પાસેથી લગભગ 1169 કરોડની ગેરકાયદેસર સંપત્તિ મુક્ત કરવામાં આવી છે. જ્યારે ઘણા શહેરોમાં દરોડા હજુ પણ ચાલુ છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં વધુ ઘટસ્ફોટ થઈ શકે છે. અને આ દરમિયાન હવે ધીરે ધીરે અતીક પર ત્રાસ ગુજારનારા લોકો પણ સામે આવી રહ્યા છે. યુપી સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, પ્રશાસને અતીક અહેમદની 417 કરોડ રૂપિયાની સંપત્તિનો કબજો લઈ લીધો છે, જ્યારે 752 કરોડ રૂપિયાના ગેરકાયદેસર કબજાને તોડી પાડવામાં આવ્યો છે. કુલ મળીને અત્યાર સુધીમાં રૂ. 1169 કરોડની ગેરકાયદેસર સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

અતીકે સોનિયા ગાંધીના સંબંધીની જમીન પર પણ અતિક્રમણ કર્યું હતું

અતીક અહેમદે સિવિલ લાઈન્સ વિસ્તારમાં વીરા ડી ગાંધીની મિલકત પર અતિક્રમણ કર્યું હતું. વીરા ગાંધી સોનિયાના ખાસ સંબંધી છે અને પેલેસ ટોકીઝના માલિક છે. પ્રયાગરાજના પ્રભાવશાળી લોકોમાં વીરા ગાંધીના પરિવારનો પણ સમાવેશ થાય છે. કથિત રીતે, આ ઘટના 2007 માં બની હતી, જ્યારે અતીકે વીરા ડી ગાંધીની જમીન પર કબજો મેળવ્યો હતો અને તેના સાગરિતોને પૂછીને તેને તાળું મારી દીધું હતું. વીરા ગાંધીની આ મિલકત પેલેસ ટોકીઝની પાછળ જ હતી. અતીક તે સમયે ફુલપુરના સાંસદ હતા અને તે સમયે યુપીમાં સત્તાધારી પક્ષ સમાજવાદી પાર્ટી (SP)નું પ્રતિનિધિત્વ કરતા હતા.

કેન્દ્ર સરકારની દરમિયાનગીરી બાદ અતીકે જમીન છોડી દીધી હતી

જ્યારે વીરા ગાંધીને અતીક દ્વારા તેમની જમીનના અતિક્રમણ વિશે જાણ થઈ, ત્યારે તેમણે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને પગલાં લેવા માટે અપીલ કરી, પરંતુ કથિત રીતે તેમની ફરિયાદ પર કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. પણ આખરે કેન્દ્રએ દરમિયાનગીરી કરતા અતિકે જમીન પરનો કબજો છૉડી દેવો પડ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget